Pulkit Samrat એ ફિલ્મ માટે ચૂકવી મોટી કિંમત! લગ્ન બાદ હનીમૂન પણ જતું કરવું પડ્યું
- લગ્ન બાદ હનીમૂન પર પણ ન જઈ શક્યો એક્ટર
- પત્ની કૃતિ ખરબંદાના અતૂટ સાથ વિશે કર્યો ખુલાસો
- લગ્નના 3 દિવસ બાદ જ એક્ટ્રેસ સેટ પર પરત ફરી હતી
- 1 મેના રોજ રિલીઝ થઈ રહી છે ફિલ્મ 'ગ્લોરી'
- પુલકિતે રિલીઝ પહેલા 15 દિવસનો લીધો બ્રેક
Pulkit Samrat Movie Glory : અભિનેતા પુલકિત સમ્રાટ (Pulkit Samrat) તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગ્લોરી' (Glory) દ્વારા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. જોકે, આ પાત્રને જીવંત કરવું તેના માટે શારીરિક રીતે જેટલું પડકારજનક હતું, તેટલું જ માનસિક અને ભાવનાત્મક રીતે પણ અઘરું હતું. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં પુલકિતે સ્વીકાર્યું હતું કે, આ ફિલ્મની તૈયારીમાં તે એટલો ડૂબી ગયો હતો કે તેના અંગત જીવન પર તેની ગંભીર અસર પડી હતી.
લગ્ન પછીની એ કપરી સફર
પુલકિત અને કૃતિ ખરબંદા (Kriti Kharbanda) ના લગ્ન બોલિવૂડના સૌથી ચર્ચિત લગ્નોમાંના એક હતા. પરંતુ આ નવા પરિણીત યુગલ માટે લગ્ન પછીનો સમય સામાન્ય રહ્યો નહોતો. પુલકિત જણાવે છે કે, "ગ્લોરી' માટે મેં જે સૌથી મોટું બલિદાન આપ્યું, તે હતું અમારું હનીમૂન (Honeymoon). અમે ઈચ્છતા હોવા છતાં ક્યાંય જઈ શક્યા નહીં." આ પાછળનું કારણ બંનેનું અત્યંત વ્યસ્ત વર્ક શેડ્યૂલ હતું. લગ્નના માત્ર ત્રણ જ દિવસ પછી કૃતિ તેની વેબ સિરીઝ 'રાણા નાયડુ' ના સેટ પર પરત ફરી હતી, અને જેવું તેનું કામ પૂરું થયું, પુલકિત 'ગ્લોરી' (Glory) ના શૂટિંગમાં પરોવાઈ ગયો હતો.
View this post on Instagram
Pulkit Samrat 15 દિવસ માટે દુનિયાથી અલિપ્ત
આગામી 1 મેના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે પુલકિતે અત્યારથી જ તેના પરિવાર અને મિત્રોને ચેતવણી આપી દીધી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે ફિલ્મના પ્રમોશન અને રિલીઝના સમયગાળા દરમિયાન એટલે કે આગામી 15 દિવસ સુધી કોઈના માટે પણ ઉપલબ્ધ રહેશે નહીં. પુલકિત માને છે કે જ્યારે કોઈ કલાકાર પોતાના પાત્ર માટે સર્વસ્વ હોમી દે છે, ત્યારે તેના પરિવારને સૌથી વધુ સમજૂતી કરવી પડે છે. કૃતિના અવિરત સમર્થન વગર 'ગ્લોરી' નું આ સપનું સાકાર કરવું અશક્ય હતું.
આ પણ વાંચો : Ranveer Singh Aditya Dhar Movie: રણવીર સિંહ અને આદિત્ય ધર ફરી આવશે સાથે; 'ધુરંધર'ની સફળતા બાદ નવા પ્રોજેક્ટની તૈયારી


