Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Raghav-Parineeti ના લગ્નને લઇને AAP ના પૂર્વ નેતાનો સૌથી મોટો ખુલાસો

Raghav-Parineeti ના લગ્નનું કારણ આગળ ધરીને પ્રહાર કરવામાં આવ્યો છે, AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, રાઘવ ફક્ત એટલા માટે પરિણીતી સાથે લગ્ન કરી શક્યા, કારણ કે તે, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ છે. તેમણે કહ્યું હતું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત, તો કોઈએ તેને પસંદ ના કર્યો હોત. નોંધનીય છે કે, બંનેએ 2023 માં લગ્ન કર્યા હતા.
raghav parineeti ના લગ્નને લઇને aap ના પૂર્વ નેતાનો સૌથી મોટો ખુલાસો
Advertisement
  • Raghav-Parineeti ના લગ્નનું કારણ આગળ ધરીને પ્રહાર
  • આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે તાક્યું નિશાન
  • ત્યાર બાદ અન્ય પૂર્વ નેતા આવ્યા મેદાને અને લીધા આડેહાથ

Raghav-Parineeti : આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) મોટા ભાગલાની ગરમી હવે રાઘવ ચઢ્ઢાના (Raghav Chadha) અંગત જીવન સુધી પહોંચી ગઈ છે. હરિયાણામાં AAPના પૂર્વ પ્રદેશ પ્રમુખ નવીન જયહિંદે (Naveen Jai Hind) એક સૌથી મોટો ખળભળાટ મચાવી દે તેવો દાવો કર્યો છે, જેમાં રાઘવના લગ્નને વિવાદનું મૂળ ગણાવ્યું છે.

Raghav-Parineeti, પરિણીતી જોડે લગ્ન કરવા માંગતા હતા

એક નિવેદનમાં, જયહિંદે કહ્યું કે, જે લગ્ન માટે આમ આદમી પાર્ટી શ્રેય લઈ રહી છે, તે અધૂરા છે. રાઘવ ચઢ્ઢાને ફક્ત તેમના લગ્નને સરળ બનાવવા માટે આ પદ આપવામાં આવ્યું હતું. જયહિંદે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, X પર એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં કહ્યું કે, "આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજ (AAP Ex Minister - Saurabh Bharadwaj) દાવો કરે છે કે, રાઘવ ચઢ્ઢાના પરિણીતા (Raghav Chadha - Parineeti Chopra) જોડે લગ્ન એટલા માટે થઇ શક્યા કારણ કે, તેમને ધારાસભ્ય, સાંસદ અને પંજાબના સુપર સીએમ (Super CM - Punjab) બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમણે એ વાતનો ખુલાસો કર્યો નથી કે, તેમને ધારાસભ્ય, સાંસદ અને પછી પંજાબના સુપર સીએમ બનાવવામાં આવ્યા હતા, કારણ કે, તેઓ પરિણીતી ચોપડા સાથે લગ્ન કરવા માંગતા હતા."

Advertisement

Advertisement

આ પણ વાંચો - Preet Singh Assault : ક્લબમાં મોડેલ જોડે માથાકૂટમાં દાંત તૂટ્યો, આંખે સોજા ચઢ્યા !

Raghav-Parineeti, આટલો વિશ્વાસુ અને શ્રીમંત કેમ !

તેમણે વધુમાં સમજાવ્યું કે રાઘવ ચઢ્ઢાના લગ્ન અંગે શરૂઆતથી જ પાર્ટીમાં મતભેદ હતા. તેમનો દાવો છે કે, "લગ્ન ખોટી જગ્યાએ થયા હતા. તેમણે પરિણીતી ચોપરા સાથે લગ્ન કરવાના ન હતા." ફરક ફક્ત લગ્નનો હતો. હું સૌરભ ભારદ્વાજને પૂછવા માંગુ છું કે, તમે કેમ નથી જણાવતા કે રાઘવ ચઢ્ઢાએ પરિણીતી ચોપરા સાથે સગાઈ કરી ત્યારે સંઘર્ષ શરૂ થયો હતો. સગાઈ હોવા છતાં, તેને સગાઈ અને લગ્ન તોડી નાખવા કહેવામાં આવ્યું હતું. લગ્ન પછી પણ, તેને છૂટાછેડાની ઓફર કરવામાં આવી હતી. તમે એ જ સૌરભ ભારદ્વાજ છો, શું તમે તે ભૂલી ગયા છો ? હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે, તમે બધા સમજી ગયા હશો કે, તે આટલો વિશ્વાસુ અને શ્રીમંત કેમ હતો.

સંપૂર્ણ સત્ય કહેવા માટે વિનંતી

જય હિંદે બંને નેતાઓ (રાઘવ ચઢ્ઢા અને સૌરભ ભારદ્વાજ) ને ખુલ્લેઆમ આગળ આવવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, "રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પાર્ટી છોડવાના વિવિધ કારણો આપે છે. હવે સત્ય કહો. તમે કેમ ડરો છો ? હવે સત્યનો પર્દાફાશ કરો. હવે શું થયું, અને શા માટે થયું, તે વિશે સંપૂર્ણ સત્ય બહાર લાવો. તમે આખી વાર્તા જાણો છો." હું પૂર્વ મંત્રી સૌરભને સંપૂર્ણ સત્ય કહેવા વિનંતી કરું છું. "આ લગ્ન ફક્ત એટલા માટે નહોતા થયા કારણ કે તે છૂટાછેડામાં નિષ્ણાત છે, લગ્નમાં નહીં." જોકે, જયહિંદે સ્પષ્ટતા કરી ન હતી કે, પરિણીતી ચોપરા સાથેના તેમના લગ્નને લઈને વિવાદ કેમ થયો હતો.

2023 માં લગ્ન થયા હતા

AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, રાઘવ ચઢ્ઢા ફક્ત એટલા માટે પરિણીતી સાથે લગ્ન કરી શક્યા કારણ કે તે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ છે. તેમણે કહ્યું હતું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત, તો કોઈએ તેમને પ્રશ્ન ન કર્યો હોત. નોંધનીય છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ 2023 માં લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો - Lawrence Of Punjab સિરીઝના નિર્માતાઓને મોટો ઝટકો, અરમાનો પર પાણી ફર્યું !

Tags :
Advertisement

.

×