Rajpal Yadav: કોમેડિયનના દુઃખમાં આગળ આવ્યું બોલિવૂડ, અનેક કલાકારોએ લંબાવ્યો મદદનો હાથ
- Rajpal Yadav: રાજપાલ યાદવ જેલમાં
- કલાકારો મદદ માટે આગળ આવ્યા
- શું રાજપાલના દુઃખના દિવસો પૂરા થશે?
Rajpal Yadav: બોલિવૂડ (Bollywood) ના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અભિનેતા (Actor) રાજપાલ યાદવ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એક સમયે તેમના હાસ્ય કલાકારી માટે જાણીતો હવે કાનૂની (Legal) અને નાણાકીય મુશ્કેલીઓમાં ફસાયેલો છે. ચેક બાઉન્સ (Check bounce) અને કરોડો (Crores) ના દેવાના કેસમાં રાજપાલે કોર્ટની શરણાગતિ સ્વીકારી હતી. શરણાગતિ પહેલા રાજપાલે કહ્યું હતું કે, દંડ ચૂકવવા માટે મારી પાસે નાણા નથી. ચેક બાઉન્સ કેસમાં રાજપાલને હાલ દિલ્હીની તિહાર જેલ (Delhi's Tihar Jail) માં મોકલવામાં આવ્યો છે.
રાજપાલ યાદવ લાંબા સમયથી દેવા અને ચેક બાઉન્સના કેસનો સામનો કરી રહ્યો હતો. કોર્ટ (Court) ના આદેશ બાદ, અભિનેતાએ તાજેતરમાં તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું. આ કેસમાં આશરે 9 કરોડનું દેવું હતું, જેણે અભિનેતાની નાણાકીય પરિસ્થિતિને ગંભીર અસર કરી હતી. રાજપાલે શરૂઆતમાં 5 કરોડ ઉધાર (Borrowing) લીધા હતા. જે વ્યાજ સાથે વધીને 9 કરોડ થઈ ગયા છે. શરણાગતિ (Surrender) સ્વીકારતા પહેલા, રાજપાલ યાદવ ભાવુક દેખાયો હતો.
Rajpal Yadav: રાજપાલના દુઃખમાં ફિલ્મ ઉદ્યોગ સમર્થનમાં આવ્યું
રાજપાલ યાદવની મુશ્કેલીઓની જાણ થતાં જ, ઉદ્યોગ જગતના ઘણા સેલેબ્રિટી (Celebrity) તેને ટેકો આપવા માટે આગળ આવ્યા. જનશક્તિ જનતા દળ (Janshakti Janata Dal) પાર્ટીના વડા તેજપ્રતાપ યાદવે (Tej Pratap Yadav) સૌપ્રથમ સમર્થન જાહેર કર્યું. તેણે રાજપાલને 11 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું. ત્યારબાદ ઉદ્યોગ જગતના સ્ટાર્સ પણ આગળ આવ્યા. અભિનેતા સોનુ સૂદે (Actor Sonu Sood) મદદની ખાતરી આપતા કહ્યું કે તે દયાનું સ્વરૂપ નથી, પરંતુ આદરપૂર્ણ સન્માન છે. ટીવી અભિનેતા ગુરમીત ચૌધરી (Gurmeet Chaudhary) પણ આગળ આવ્યો. તેમણે સોશિયલ મીડિયા પર ભાવનાત્મક અપીલ (Emotional appeal) પણ કરી, ફિલ્મ ઉદ્યોગને એક થવા વિનંતી કરી.
આ પણ વાંચો--- Krrish 4 Update : Hrithik Roshan ની ફિલ્મ આ કારણોસર ઘોંચમાં પડી !
Rajpal Yadav: રાજપાલ માટે મદદ
હવે, આ યાદીમાં કમાલ આર ખાન (Kamal R Khan,) જેને કેઆરકે તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સંગીત નિર્માતા રાવ ઇન્દ્રજીત સિંહ (Rao Inderjit Singh) નું નામ ઉમેરાયું છે. કે.આર.કે.એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (Social media platform X) પર એક પોસ્ટ શેર કરી. જેમાં રાજપાલ યાદવને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાની તૈયારી દર્શાવી. તેમણે અન્ય બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Stars) ને પણ આગળ આવવા અપીલ કરી. કે.આર.કે.એ કહ્યું કે, જો દરેક વ્યક્તિ ફાળો આપે તો, રાજપાલ યાદવને ટૂંક સમયમાં રાહત મળી શકે છે. તેમણે પોતાના સંદેશમાં એમ પણ કહ્યું કે જો, અભિનેતા તેના દેવાનો નોંધપાત્ર ભાગ ચૂકવે તો તેને જેલમાંથી બહાર કાઢવામાં મદદ મળી શકે છે.
આ દરમિયાન, ઇન્દ્રજીત સિંહે રાજપાલ યાદવને એક મહાન કલાકાર અને સાચા માનવી ગણાવતા 11 મિલિયન રૂપિયાની મદદની જાહેરાત કરી. તેણે કહ્યું, "આવા મુશ્કેલ અને દુ:ખદ સમયમાં, માનવી તરીકે આપણી ફરજ છે કે, આપણે તેની અને તેના પરિવાર (Family) ની સાથે ઉભા રહીએ." સંગીત નિર્માતાએ ભારતના લોકોને આ દુઃખના સમયમાં રાજપાલ અને તેમના પરિવારને ટેકો આપવા માટે આગળ આવવાની નમ્ર અપીલ પણ કરી.
ગુરમિત ચૌધરીની પોસ્ટઃ
કે.આર.કે.ની પોસ્ટઃ
I am ready to give ₹10 lakhs for RajPal Yadav. Let’s all Bollywood people come together to give him ₹5cr! If he does pay back only ₹5cr So he can come out from jail immediately! Let’s all help him.
— KRK (@kamaalrkhan) February 10, 2026
સોનુ સૂદની પોસ્ટઃ
Rajpal Yadav: ઇન્દ્રજીત સિંહે
View this post on Instagram
Rajpal Yadav: શું મામલો છે?
રાજપાલ યાદવે 2010 ની આસપાસ દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તેમણે "અતા પતા લાપતા" નામની ફિલ્મ બનાવવા માટે દિલ્હી સ્થિત એક કંપની પાસેથી આશરે 5 કરોડ ઉધાર લીધા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ (Box office) પર નબળી રહી. જેના કારણે લોન ચૂકવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સમય જતાં વ્યાજ વધ્યું, જેના કારણે રકમ 9 કરોડ થઈ ગઈ. જેના કારણે કેસ કોર્ટમાં પહોંચ્યો અને અંતે ચેક બાઉન્સનો કેસ થયો. રાજપાલ યાદવના ચાહકો સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યા છે. અને પ્રશ્ન કરી રહ્યા છે કે, વર્ષોથી દર્શકોને હસાવનાર અભિનેતા હવે આવી સ્થિતિમાં કેમ છે.
આપને જણાવી દઈએ કે, કોમેડિયન રાજપાલ યાદવ હાલમાં દિલ્હીની તિહાર જેલમાં છે. જોકે, ફિલ્મ ઉદ્યોગ તેની માટે એકજૂટ થઈ રહ્યો છે, તેથી આશા છે કે આગામી દિવસોમાં તેમને રાહત મળી શકે છે.
આ પણ વાંચો--- Bollywood અભિનેતા રણવીર સિંહને ધમકીવાળો મેસેજ, કરોડોની ખંડણી માંગી


