Shraddha Kapoor Eetha Movie: ફિલ્મ અને પાત્ર વિશે આ પણ જાણો
શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં વિઠાબાઈ નારાયણગાંવકરની ભૂમિકા ભજવી રહી છે. વિઠાબાઈએ તમશા નામના મહારાષ્ટ્રીયન લોક સંગીત અને નૃત્ય પ્રકારને નવી ઓળખ અપાવી હતી. તેઓ આ કળાના ક્ષેત્રમાં અતિશય પ્રતિષ્ઠા ધરાવતી હતી. ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત નિર્દેશકો સંભાળી રહ્યા છે. શ્રદ્ધા આ ભૂમિકા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તે પોતાના અભિનયમાં આ પાત્રની ગરિમા જાળવવા માટે સખત મહેનત કરી રહી છે.
Shraddha Kapoor Eetha Movie: વિઠાબાઈ નારાયણગાંવકરનું જીવન
વિઠાબાઈનો જન્મ 1 જુલાઈ, 1935ના રોજ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં થયો હતો. તેમનો પરિવાર ગાયન અને નૃત્ય કરીને ગુજરાન ચલાવતો હતો. દાદા, નારાયણ ખુડેએ એક તમાશા મંડળીની સ્થાપના કરી હતી. વિઠાબાઈને નાનપણથી જ લાવણી, ગવલણ અને અન્ય લોક કલાઓમાં તાલીમ લીધી હતી. વિઠાબાઈ દાદાએ સ્થાપિત કરેલી મંડળીમાં જોડાઈને નૃત્ય અને ગાવાનું શીખ્યા. તેઓ નાનપણથી જ મંડળી સાથે ગામડે ગામડે ફરીને નૃત્ય કરતા હતા. વિઠાબાઈની નૃત્ય કૌશલ્યએ તેમને મહારાષ્ટ્રમાં ખ્યાતિ અપાવી હતી.
તેમની પ્રતિભાને સૌપ્રથમ મરાઠી નાટ્યકાર મામા વારેકરે ઓળખી હતી. તેઓ તેમની સ્ટેજ હાજરીથી પ્રભાવિત થયા હતા. અને વિઠાબાઈને પોતાની મંડળમાં જોડાવાની ઓફર કરી હતી. વિઠાબાઈએ મામા વારેકરના મંડળમાંથી ઘણું શીખ્યું હતી. સમય જતાં, વિઠાબાઈના નામે તમાશા યોજાવા લાગ્યા. લોકો ફક્ત તેમના પ્રદર્શન જોવા માટે ઉમટી પડતા. વિઠાબાઈ મહારાષ્ટ્રની તમાશા રાણી બની ગઈ હતી.
વિઠાબાઈ સાથે જોડાયેલી કથા
વિઠાબાઈ પોતાના જીવનમાં નૃત્યને અન્ય કામો સિવાય ઘણુ જ મહત્વ આપતા હતા. એક ઘટના તેમના જીવનમાં નૃત્યનું મહત્વ કેટલું છે તે દર્શાવે છે. કહેવાય છે કે, જ્યારે તે પૂર્ણ માસથી ગર્ભવતી હતી ત્યારે પણ તે સ્ટેજ પર પર્ફોર્મ કરતી હતી. જે દિવસે બાળકને જન્મ આપ્યો, તે દિવસે તેણે પથ્થરથી પોતાની નાળ કાપી નાખી હતી. અને બીજી જ ક્ષણે તે સ્ટેજ પર પાછી આવી ગઈ હતી. જ્યારે લોકોને ખબર પડી કે તેણે બાળકને જન્મ આપ્યો છે, ત્યારે બધાએ વિઠાબાઈને આરામ કરવા સલાહ આપી હતી.
વિઠાબાઈની લોકપ્રિયતા માત્ર તમાશા થિયેટર પૂરતી મર્યાદિત નહોતી. તેમને ફિલ્મોની ઓફર પણ મળી હતી. તેમના જીવન પર મરાઠી નાટક લખનારા થિયેટર ડિરેક્ટર શાંતનુ ઘુલેએ દાવો કર્યો હતો કે, વિઠાબાઈને અસંખ્ય ફિલ્મોની ઓફર મળી હતી. પરંતુ તેમણે તે બધી ઓફરો ઠુકરાવી દીધી હતી. વિઠાબાઈનું માનવું હતું કે જો તેઓ ફિલ્મો માટે થિયેટર છોડી દેશે, તો તેમના પરિવારને ટેકો આપતી મંડળીની રોજીરોટી છીનવાઈ જશે. ઘણા લોકોએ તેમને "તમાશા સરદારની"નું ઉપનામ પણ આપ્યું હતું.
મુશ્કેલ અંગત જીવન અને છેલ્લા દિવસો
વિઠાબાઈના અંગત જીવન વિશે વાત કરીએ તો, કહેવાય છે કે, તેમને પ્રેમ અને ખ્યાતિ મળી નહીં. તેમના લગ્ન મારુતિ સાવંત સાથે થયા હતા. જે તેમને ફક્ત પૈસાના સ્ત્રોત તરીકે જ માનતા હતા. તે તેમની બધી કમાણી છીનવી લેતો, અને તેમને ખૂબ માર પણ મારતો.
વિઠાબાઈનું મૃત્યુ પણ પીડાદાયક હતું. તેમને તેના અંતિમ દિવસોમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, અને જ્યારે તે બીમાર પડ્યા ત્યારે તેમની પાસે સારવાર માટે પણ રૂપિયા નહોતા. અને આમ આર્થિક તંગી અને સારવારના અભાવ 15 જાન્યુઆરી 2002ના રોજ લકવાગ્રસ્ત હુમલામાં વિઠાબાઈનું અવસાન થયું હતું. એવું કહેવાય છે કે, તેના પરિવાર પાસે તેના મૃતદેહને લઈ જવા અને અંતિમ સંસ્કાર કરવા માટે હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે પૂરતા પણ પૈસા નહોતા. ત્યારબાદ વિઠાબાઈના પ્રિયજનો તેની મદદ માટે આવ્યા હતા.
ક્યારે રિલિઝ થશે ફિલ્મ ઈથા
હવે અભિનેત્રી શ્રદ્ધા કપૂર વિઠાબાઈને ઈથા તરીકે લોકો સમક્ષ રજૂ કરશે. અને મોટા પરદે જણાવશે કે, તમાશા ક્વીન તરીકે જાણીતી વિઠાબાઈનું જીવન કેટલા સંઘર્ષોથી ભર્યું હતું. આપને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂરની ફિલ્મ ઈથા 28 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થશે. 'ઈથા' ફિલ્મ માત્ર એક મનોરંજક પિક્ચર નથી, પણ એક સાચી જીવનગાથા છે. આ ફિલ્મ દ્વારા નવી પેઢીને વિઠાબાઈના યોગદાન વિશે જાણવા મળશે. મહારાષ્ટ્રની આ લોકકળાને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો આ પ્રયાસ છે. ફિલ્મમાં 1950 થી 1980 ના દાયકાના સમયગાળાને સુંદર રીતે દર્શાવવામાં આવશે. શ્રદ્ધા કપૂરનો લુક અને પરફોર્મન્સ આ ફિલ્મ માટે મુખ્ય આકર્ષણ બની રહેશે. ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો--- Ketan Murder Case : હિના ખાને સિયા ગોયલ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું - 'કોઈનો જીવ લેવાથી સરળ હતું સત્ય બોલવું'