સાઉથ સુપરસ્ટાર મોહનલાલના માતા અને પીઢ અભિનેત્રી સંથાકુમારીનું નિધન
- સાઉથ સુપરસ્ટાર મોહનલાલના માતાશ્રીનું થયું અવસાન (Santhakumari Passes Away)
- સંથાકુમારીનું મંગળવારે 90 વર્ષની વયે નિધન
- એલામક્કારા સ્થિત નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ
સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના માતૃશ્રી અને જાણીતા અભિનેત્રી સંથાકુમારીનું મંગળવારે 90 વર્ષની વયે અવસાન થયું છે. કોચીના એલામક્કારા સ્થિત નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા લાંબા સમયથી વય સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા.
Santhakumari Passes Away: લાંબી માંદગી બાદ લીધા અંતિમ શ્વાસ
નોંધનીય છે કે સંથાકુમારી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા. મોહનલાલ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને સતત તેમની સેવા કરતા હતા. ઉલ્લેખનીય છે કે, મોહનલાલના પિતા વિશ્વનાથન નાયરનું 2005માં અને મોટા ભાઈ પ્યારીલાલનું 2000માં અવસાન થયું હતું. હવે માતાના નિધનથી અભિનેતાએ પરિવારનો મજબૂત આધાર ગુમાવ્યો છે.
#WATCH | Ernakulum, Kerala | People gather outside actor Mohanlal's residence in Kochi after the demise of his mother Shantakumari Amma pic.twitter.com/MTh5wKArPq
— ANI (@ANI) December 30, 2025
Santhakumari Passes Away : માતા સાથે હતો અતૂટ સંબંધ
મોહનલાલ પોતાની માતાની ખૂબ જ નજીક હતા. અનેક ઇન્ટરવ્યુમાં તેમણે સ્વીકાર્યું છે કે તેમની સફળતા પાછળ તેમની માતાનો મોટો હાથ છે. તાજેતરમાં જ્યારે તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારની જાહેરાત થઈ, ત્યારે તેમણે સૌથી પહેલા માતા પાસે જઈને આ ખુશી વહેંચી હતી. તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે, "આ સન્માન મારી માતા સાથે શેર કરવું એ મારા માટે જીવનનો સૌથી મોટો લહાવો છે."
અંતિમ સંસ્કારની વિગતો
મળતી માહિતી મુજબ સંથાકુમારીના પાર્થિવ દેહને કોચીથી તેમના વતન તિરુવનંતપુરમ લઈ જવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર 31 ડિસેમ્બરના રોજ નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં કરવામાં આવશે. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ આ દુઃખદ અવસરે શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : Top Viral Faces 2025 : શું તમને યાદ છે આ ચહેરાઓ? 2025માં આ થયા છે ખૂબ વાયરલ


