ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Suniel Shetty: ટ્રોલિંગ બાદ ટામેટાંની વધતી કિંમતો પર 'અન્ના'એ બદલ્યું પોતાનું વલણ, અભિનેતાએ ખેડૂતોની માફી માંગી

બોલિવૂડના અન્ના એટલે કે સુનીલ શેટ્ટી, જે વાતની મીડિયામાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે તે છે ટામેટાં અને તેની વધતી કિંમતો પર અભિનેતા દ્વારા આપવામાં આવેલ નિવેદનને લઈને ચર્ચાએ જોર પક્ડયું છે. સુનીલ શેટ્ટીના તાજેતરના ટામેટાં અંગેના નિવેદનથી સોશિયલ મીડિયા...
10:01 AM Jul 19, 2023 IST | Viral Joshi
બોલિવૂડના અન્ના એટલે કે સુનીલ શેટ્ટી, જે વાતની મીડિયામાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે તે છે ટામેટાં અને તેની વધતી કિંમતો પર અભિનેતા દ્વારા આપવામાં આવેલ નિવેદનને લઈને ચર્ચાએ જોર પક્ડયું છે. સુનીલ શેટ્ટીના તાજેતરના ટામેટાં અંગેના નિવેદનથી સોશિયલ મીડિયા...

બોલિવૂડના અન્ના એટલે કે સુનીલ શેટ્ટી, જે વાતની મીડિયામાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે તે છે ટામેટાં અને તેની વધતી કિંમતો પર અભિનેતા દ્વારા આપવામાં આવેલ નિવેદનને લઈને ચર્ચાએ જોર પક્ડયું છે. સુનીલ શેટ્ટીના તાજેતરના ટામેટાં અંગેના નિવેદનથી સોશિયલ મીડિયા પર વિવાદ થયો છે. હકીકતમાં, જ્યારે અભિનેતાએ ટામેટાંની વધતી કિંમતો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, ત્યારે સોશિયલ મીડિયા પર તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. આ કારણે સુનીલ શેટ્ટી સતત ટ્રોલનો સામનો કરી રહ્યા છે. હવે ટ્રોલિંગથી કંટાળીને અભિનેતાએ પોતાના નિવેદન પર ખુલાસો કર્યો છે.

નિવેદન પર વિવાદ

ટામેટાંના ભાવમાં થયેલા વધારા પર પોતાનો મત વ્યક્ત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે તેની અસર તેમના રસોડામાં પણ પડી રહી છે. સુનીલ શેટ્ટીએ પણ પોતાના અગાઉના નિવેદનમાં કહ્યું હતું કે તેણે તાજેતરમાં ટામેટાંનો વપરાશ ઓછો કર્યો છે. આ પછી તેમના નિવેદન પર વિવાદ ઊભો થયો હતો. અભિનેતાનું નિવેદન વાયરલ થતાં જ ઘણા ખેડૂતોએ તેની નિંદા કરી. આટલું જ નહીં, એક રિપોર્ટ અનુસાર, સામાજિક કાર્યકર્તા અને ખેડૂત સંતોષ મુંડેએ અભિનેતાની ટીકા કરી હતી અને તેણે તેનો વિરોધ કરતા સુનીલને ટામેટાં પણ મોકલ્યા હતા. આ બધી બાબતોથી અન્નાને ખૂબ જ આઘાત લાગ્યો છે.

વિવાદ બાદ માફી

એક રિપોર્ટ અનુસાર સુનીલ શેટ્ટીએ હવે ખેડૂતોની માફી માંગી છે. તેમણે કહ્યું, 'હું ખેડૂતોને સમર્થન આપું છું. હું તેમના વિશે નકારાત્મક ધારણા રાખવાનું વિચારી પણ શકતો નથી. મેં હંમેશા તેમના સમર્થન સાથે કામ કર્યું છે. હું ઈચ્છું છું કે અમે અમારા સ્વદેશી ઉત્પાદનોનો પ્રચાર કરીએ. હું ઇચ્છું છું કે અમારા ખેડૂતોને હંમેશા તેનો લાભ મળે.

સુનીલે વધુમાં કહ્યું કે, 'ખેડૂતો મારા જીવનનો મહત્વનો ભાગ છે. હોટેલીયર તરીકે મારો તેમની સાથેનો સંબંધ હંમેશા સીધો રહ્યો છે. જો મારા કોઈ નિવેદનો, જે મેં કહ્યું પણ નથી, તેમને દુઃખ પહોંચાડ્યું હોય, તો હું દિલથી ક્ષમા ચાહું છું. હું તેમની વિરુદ્ધ બોલવાનું સપનું પણ જોઈ શકતો નથી. કૃપા કરીને મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરશો નહીં.

સુનીલ શેટ્ટીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા ટૂંક સમયમાં 'હેરા ફેરી 3'માં ફરી એકવાર શ્યામનું પાત્ર ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ પણ જોવા મળશે. આ સિવાય સુનીલ શેટ્ટીએ તાજેતરમાં 'આહાર - એસોસિએશન હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ' સાથે મળીને તેની ફૂડ ડિલિવરી એપ લોન્ચ કરી છે.

અહેવાલ : રવિ પટેલ, અમદાવાદ

આ પણ વાંચો : સિગરેટ વિવાદ બાદ સલમાન ખાને છોડ્યો BIGG BOSS શો…, જાણો શું છે સચ્ચાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BollywoodFarmerssuniel shettyTomato Price
Next Article