Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ghooskhor Pandit Controversy : ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદમાં, સુપ્રીમ કોર્ટે મેકર્સનો ઉધડો લીધો

એક ટાઈટલે આખા બોલિવૂડ અને કોર્ટમાં હલચલ મચાવી દીધી છે. મનોજ બાજપેયી અને નીરજ પાંડે જેવા દિગ્ગજો હવે સુપ્રીમ કોર્ટના રડારમાં છે. કોર્ટે સ્પષ્ટ પૂછ્યું છે કે "તમે ચોક્કસ સમાજને જ કેમ ટાર્ગેટ કરો છો?" અભિવ્યક્તિની આઝાદીની દલીલો અહીં ચાલી નહીં અને હવે ફિલ્મનું ભવિષ્ય અધ્ધરતાલ છે. શું નામ બદલવાથી વિવાદ શમશે કે પછી કાયમી તાળું લાગશે?
ghooskhor pandit controversy   ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદમાં  સુપ્રીમ કોર્ટે મેકર્સનો ઉધડો લીધો
Advertisement
  • Ghooskhor Pandit Controversy : સુપ્રીમ કોર્ટે કહ્યું- "પહેલા નામ બદલો"
  • સુપ્રીમ કોર્ટે નીરજ પાંડેની ફિલ્મના ટાઈટલ સામે સખત વાંધો નોંધાવ્યો
  • "અભિવ્યક્તિની આઝાદીના નામે સમાજનું અપમાન ન કરી શકો": કોર્ટની ટિપ્પણી
  • મેકર્સ જ્યાં સુધી નવું નામ નહીં આપે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થાય
  • નેટફ્લિક્સ પર ટીઝર રિલીઝ થયા બાદથી જ ટાઈટલ પર વિવાદ ચાલી રહ્યો હતો

Ghooskhor Pandit Controversy : બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર નીરજ પાંડે (Neeraj Pandey) અને અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) નો પ્રોજેક્ટ 'ઘૂસખોર પંડિત' (Ghooskhor Pandit) હવે મોટા વિવાદમાં ફસાયો છે. ફિલ્મના શીર્ષકને લઈને શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચી ગયો છે. કોર્ટે આ મામલે ગંભીર નોંધ લેતા મેકર્સનો ઉધડો લીધો છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી ફિલ્મનું નામ બદલવામાં નહીં આવે, ત્યાં સુધી તેને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

suprem court of india

Advertisement

Advertisement

'સમાજને બદનામ કરવાનો હક નથી': કોર્ટની ફટકાર

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નીરજ પાંડેને પૂછ્યું કે, "તમે આવા ટાઈટલનો ઉપયોગ કરીને સમાજના એક ચોક્કસ વર્ગને કેમ બદનામ કરવા માંગો છો? આ ટાઈટલ નૈતિકતા અને જાહેર વ્યવસ્થા (Public Order) ની વિરુદ્ધ છે." કોર્ટે મેકર્સને આદેશ આપ્યો છે કે તેઓ કોર્ટ સમક્ષ એક સોગંદનામું (Affidavit) દાખલ કરે અને ખાતરી આપે કે તેમની ફિલ્મ સમાજના કોઈપણ વર્ગનું અપમાન કરતી નથી. કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે જ્યાં સુધી તમે નવું નામ નહીં સૂચવો, ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થઈ શકે.

અભિવ્યક્તિની આઝાદી વિરુદ્ધ સામાજિક જવાબદારી

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે, "અમને લાગતું હતું કે ફિલ્મમેકર્સ અને પત્રકારો જવાબદાર હોય છે. તેઓ બંધારણના આર્ટિકલ 19(1)(a) એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of Speech) અને તેની મર્યાદાઓને સમજે છે." કોર્ટે સ્પષ્ટ કર્યું કે આઝાદીના નામે કોઈ સમાજને નીચું દેખાડવાની મંજૂરી આપી શકાય નહીં. હવે આ મામલે આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાથ ધરાશે, જેમાં નક્કી થશે કે ફિલ્મ પર કાયમી પ્રતિબંધ લાગશે કે નામ બદલાશે.

Netflix india

નેટફ્લિક્સ ટીઝરથી શરૂ થયો હતો વિવાદ

આ વિવાદની શરૂઆત 3 ફેબ્રુઆરીથી થઈ હતી જ્યારે નેટફ્લિક્સ (Netflix) પર આ સીરીઝનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. 'ઘૂસખોર પંડિત' નામ સાંભળતા જ સોશિયલ મીડિયા અને સામાજિક સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો અને ફિલ્મને બેન (Ban) કરવાની માંગ ઉઠી હતી. વિવાદ વધતા મેકર્સે ટીઝર હટાવી લીધું હતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પણ ટાઈટલ સામે વાંધો ઉઠાવતા મેકર્સની મુશ્કેલી વધી ગઈ છે.

આ પણ વાંચો : Rajpal Yadav Bail Case Update: ’25 તક આપી પણ તમે કાયદો મજાક સમજો છો’, હાઈકોર્ટે રાજપાલ યાદવને ખખડાવ્યા!

Tags :
Advertisement

.

×