Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Thalapathy Vijay CBI Notice :સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની મુશ્કેલી વધી, CBIએ પૂછપરછ માટે બોલાવ્યા

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની મુશ્કેલીમાં વધારો થયો છે. તમિલનાડુના કરૂરમાં તેમની પાર્ટી TVKની સભા દરમિયાન થયેલી ભાગદોડના કેસમાં CBIએ વિજયને પૂછપરછ માટે નોટિસ ફટકારી છે. આ દુર્ઘટનામાં 41 લોકોના મોત થયા હતા. અભિનેતાની આગામી ફિલ્મ ‘જાન નાયકન’ 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે, તે પહેલા જ તેમને 12 જાન્યુઆરીએ દિલ્હી CBI હેડક્વાર્ટરમાં હાજર થવા આદેશ અપાયો છે.
thalapathy vijay cbi notice  સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની મુશ્કેલી વધી  cbiએ પૂછપરછ માટે બોલાવ્યા
Advertisement
  • સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજ્યને CBIનું તેડું (Thalapathy Vijay CBI Notice) 
  • દિલ્હી સ્થિત CBI હેડકર્વાટરમાં હાજર થવાની નોટિસ અપાઇ
  • 12 જાન્યુઆરીએ થલાપતિ વિજય CBI સામે હાજર રહેશે

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય તેની આગામી ફિલ્મ જાન નાયકન માટે હાલ સમાચારમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. જોકે, અભિનેતાની મુશ્કેલીઓ પહેલાથી જ વધી ગઈ છે. સીબીઆઈએ તેમને કરુર ભાગદોડ કેસમાં પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવી છે.

Thalapathy Vijay CBI Notice : નોંધનીય છે કે થલાપતિ વિજય દિલ્હીમાં 12 જાન્યુઆરીએ સીબીઆઈ ઓફિસમાં હાજર થવાના છે. કરુર ભાગદોડ કેસ અંગે તેમની પૂછપરછ કરવામાં આવશે. નોંધનીય છે કે 27 સપ્ટેમ્બર, 2025 ના રોજ, તમિલનાડુના કરુરમાં વિજયની પાર્ટી, ટીવીકે, ની જાહેર સભામાં ભાગદોડ મચી ગઈ હતી.વિજયની પાર્ટી, ટીવીકે, ની જાહેર સભામાં ભાગદોડમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. મીડિયા અહેવાલો અનુસાર, ભાગદોડમાં ઓછામાં ઓછા 41 લોકો માર્યા ગયા અને 110 થી વધુ ઘાયલ થયા હતા.

Advertisement

થલાપતિ વિજયને CBIની નોટિસ

Thalapathy Vijay CBI Notice: ઉલ્લેખનીય છે કે કરુર ભાગદોડ પછીના દિવસે, વિજયે સોશિયલ મીડિયા દ્વારા માફી પણ માંગી. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું, "કરુરમાં જે બન્યું તે કલ્પના બહાર છે. તેના વિશે વિચારવું મારા હૃદય અને મન પર ભારે પડે છે. મારા હૃદયમાં જે પીડા છે તેને વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. મારી આંખો અને મન દુઃખથી ભરાઈ જાય છે.

Advertisement

થલાપતિએ દુર્ઘટના પર કર્યું હતું દુ:ખ વ્યકત

થલાપતિ વિજયે આગળ લખ્યું, "જે લોકોને હું મળ્યો છું તેમના ચહેરા મારા મનમાં આવતા રહે છે. જેમ જેમ હું તે પ્રિયજનો વિશે વિચારું છું, મારું હૃદય વધુ બેચેન થઈ જાય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ છે અને સારવાર લઈ રહ્યા છે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય અને ઘરે પાછા ફરે. હું એ પણ ખાતરી આપું છું કે અમારી પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે), સારવાર મેળવનારા તમામ લોકોને જરૂરી સહાય પૂરી પાડશે." આ ટ્વિટ પહેલા, ઘણા લોકોએ વિજયની આકરી ટીકા કરી હતી, તેમને કરુર ભાગદોડ માટે જવાબદાર ઠેરવ્યા હતા. હવે વિજયની આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવશે.આ સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયે કરૂર ભાગદોડમાં માર્યા ગયેલા 41 લોકોના પરિવારને વળતરની મોટી રકમ પણ ચૂકવી દીધી છે.

આ પણ વાંચો: હાર્દિક અને માહિકા શર્માનો રોમેન્ટિક અંદાજ, બિગ બી પણ જોતા રહી ગયા!, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×