Thalapathy Vijay: ‘જન નાયકન’ ફિલ્મની રિલીઝ ડેટ અટકી જતા મેકર્સ થયા દુઃખી, કહ્યું, વિજય શાનદાર વિદાયનો હકદાર
- Thalapathy Vijay: "થલાપતિ વિજય સારી વિદાયનો હકદાર"
- ફિલ્મ નિર્માતાએ દર્શકોની કેમ માગવી પડી માફી?
- વિજયની અંતિમ ફિલ્મની રિલીઝ કેમ અટકી પડી?
Thalapathy Vijay: રાજકારણી અને અભિનેતા વિજય થલાપતિની અંતિમ ફિલ્મ જનનાયક હાલ વિવાદોમાં સપડાઈ છે. આ ફિલ્મ અભિનેતા તરીકે વિજય થાલપતિની અંતિમ ફિલ્મ છે. જો કે, સેન્સર સર્ટિફિકેટના અભાવે "જન નાયકન" ની રિલીઝ ડેટ લંબાવાઈ છે. અને ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ નથી. ફિલ્મ મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court) માં સર્ટિફિકેશન અંગે કાનૂની લડાઈનો સામનો કરી રહી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે ફિલ્મ મેકર્સે દર્શકોની માફી માગી છે. તેમણે નિવેદન બહાર પાડીને દર્શકોને અવગત કરાવ્યું કે હાલનો સમય ફિલ્મ માટે ઘણો મુશ્કેલીભર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે અભિનેતા વિજય ફિલ્મ ઉદ્યોગમાંથી શાનદાર વિદાયનો હકદાર છે.
Thalapathy Vijay: નિર્માતાએ શું કહ્યું
"જન નાયકન" ના નિર્માતા વેંકટ કે. નારાયણે (Producer Venkat K. Narayan) ફિલ્મની કાનૂની લડાઈની ચર્ચા કરતો એક વિડીયો રિલીઝ કર્યો. તેમણે વિજયને ભવ્ય વિદાય આપવા વિશે પણ વાત કરી. વિડીયોમાં નિર્માતાએ જણાવ્યું કે ફિલ્મ 18 ડિસેમ્બર, 2025 ના રોજ CBFC ને સબમિટ કરવામાં આવી હતી. "આ પછી 22 ડિસેમ્બર 2025 ના રોજ, અમને એક ઇમેઇલ મળ્યો. જેમાં અમને જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મને કેટલાક ફેરફારો સાથે UA 16+ પ્રમાણપત્ર આપવામાં આવશે. અમે ફિલ્મમાં સૂચવેલા ફેરફારો કર્યા. અને ફિલ્મ સબમિટ કરી. 5 જાન્યુઆરી 2026 ના રોજ અમારી નિર્ધારિત રિલીઝ (Release) તારીખના થોડા દિવસો પહેલા, અમને જાણ કરવામાં આવી કે ફિલ્મ ફરિયાદના આધારે સમીક્ષા સમિતિને મોકલવામાં આવી છે. સમીક્ષા સમિતિનો સંપર્ક કરવાનો સમય પૂરો થઈ ગયો હોવાથી, અને ફરિયાદી કોણ છે તે જાણ્યા વિના, અમે માનનીય હાઇકોર્ટનો સંપર્ક કર્યો."
વધુમાં જણાવ્યું હતું કે 6 અને 7 જાન્યુઆરીએ કોર્ટમાં સુનાવણી પછી, ન્યાયાધીશ પીટી આશાએ CBFCને 9 જાન્યુઆરીએ "જન નાયકન" ફિલ્મને મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો. CBFC દ્વારા નિર્ણયને પડકાર્યાના થોડા કલાકોમાં જ, મુખ્ય ન્યાયાધીશ એમ.એમ. શ્રીવાસ્તવ અને ન્યાયાધીશ જી.અરુલ મુરુગનની બનેલી ડિવિઝન બેન્ચે સિંગલ જજના નિર્ણય પર વચગાળાનો સ્ટે આપ્યો. આ કેસની સુનાવણી 21 જાન્યુઆરીએ થવાની હતી. ફિલ્મ નિર્માતાઓએ 14 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ કરવાની યોજના બનાવી હતી, પરંતુ અણધાર્યા અવરોધોનો સામનો કરવો પડ્યો.
Thalapathy Vijay: ફિલ્મનું ભવિષ્ય અંધકારમાં
વેંકટ કે. નારાયણે વિજયની ભવ્ય વિદાય વિશે કહ્યું કે, "જન નાયકન" (Jan Naykan) ની રિલીઝનું ભવિષ્ય અંધકારમાં લટકેલું છે. ખાસ કરીને આગામી તમિલનાડુ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને. આ ફિલ્મમાં પોતાનું હૃદય, આત્મા અને વર્ષોની મહેનત કરનારા દરેક વ્યક્તિ માટે આ ખૂબ જ ભાવનાત્મક અને મુશ્કેલ ક્ષણ છે. અમે માનીએ છીએ કે થલાપતિ વિજય સર તેમના ચાહકો તરફથી દાયકાઓના પ્રેમ દ્વારા મેળવેલી વિદાયને પાત્ર છે. નિર્માતાએ "જન નાયકન" ની રિલીઝ પર નિર્ભર રહેલા ચાહકો, વિતરકો અને પ્રદર્શકોની માફી પણ માંગી.
Thalapathy Vijay: આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ થશે
'જન નાયકન' વિજયની છેલ્લી ફિલ્મ હોવાનું કહેવાય છે. તે પહેલા તે 'તમિલાગા વેત્રી કઝગમ' સાથે તમિલનાડુની ચૂંટણી લડશે. એચ વિનોથ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વિજયની સાથે મમિતા બૈજુ, પૂજા હેગડે અને બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં, આ કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ મદ્રાસ હાઈકોર્ટમાં થવાની છે. હવે જોવાનું એ છે કે વિજયની આ છેલ્લી ફિલ્મ ક્યારે રિલીઝ થશે.
આ પણ વાંચો------- Hrithik Birthday: બોલિવૂડના ‘ક્રિશ’નો આજે બર્થડે, જાણો ઋત્વિક વિશે રસપ્રદ વાતો
આ પણ વાંચો------- Kantara Chapter - 1 સહિત ત્રણ ફિલ્મોની Oscar માં એન્ટ્રી


