Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

રિલીઝ પહેલા Thalapathy Vijay ની આખરી ફિલ્મનો જબ્બર ક્રેઝ, રૂ. 2 હજાર સુધી ટિકિટ વેચાઇ

ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મના નિર્માતાઓ હજુ પણ CBFC તરફથી સેન્સર પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, CBFC એ ફિલ્મમાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે, જેના કારણે થિયેટર માલિકો છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવા માટે ટિકિટ રિલીઝ કરવામાં સાવધાની રાખી રહ્યા છે. હાલમાં, ફક્ત કર્ણાટક, કેરળ અને વિદેશી બજારોમાં જ એડવાન્સ બુકિંગ ખુલ્લું છે
રિલીઝ પહેલા thalapathy vijay ની આખરી ફિલ્મનો જબ્બર ક્રેઝ  રૂ  2 હજાર સુધી ટિકિટ વેચાઇ
Advertisement
  • વિજયની અંતિમ ફિલ્મને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે
  • ફિલ્મના વહેલી સવારના શોમાં ઊંચા ભાવે હાઉસફૂલના પાટીયા લાગ્યા
  • નિર્માતાઓ હજુ પણ CBFC તરફથી સેન્સર પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે

Thalapathy Vijay Final Film Jan Nayagan : તમિલ સિનેમાના સુપરસ્ટાર Thalapathy Vijay ની છેલ્લી ફિલ્મ, Jan Nayagan, રિલીઝ થાય તે પહેલાં જ જબરદસ્ત ચર્ચા જગાવી ચૂકી છે. 9 જાન્યુઆરીએ પોંગલના શુભ પ્રસંગે સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે ચાહકો ખુબ ઉત્સાહિત છે, એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે, ખાસ કરીને કર્ણાટકમાં. બેંગલુરુમાં "જન નાયગન" ના ખાસ સવારના શો માટે ટિકિટ રૂ. 2,000 સુધી માં વેચાઈ રહી છે, અને મોટાભાગના શો પહેલાથી જ ભરાઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Vijay (@actorvijay)

કોઇ પણ કિંમત ચૂકવવા તૈયાર

રિલીઝના દિવસે મુકુન્દ થિયેટરમાં સવારે 6:30 વાગ્યે યોજાનારા શો માટે ટિકિટ રૂ. 2,000 માં ઉપલબ્ધ હતી, અને તે BookMyShow પર થોડી જ વારમાં વેચાઈ ગઈ હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, ચાહકો વિજયની છેલ્લી ફિલ્મ મોટા પડદા પર જોવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. ફક્ત મુકુન્દ થિયેટર જ નહીં, પરંતુ સ્વાગત શંકર નાગ, શ્રી વિનાયકા, સિનેફાઇલ HSR લેઆઉટ, ગોપાલન ગ્રાન્ડ મોલ, શ્રી કૃષ્ણા, બ્રિન્ડા RGB, વૈભવ અને પ્રસન્ના સહિત ઘણા અન્ય થિયેટરોએ પણ તેમના મોર્નિંગ શો હાઉસફૂલ થઇ ગયા છે. આ થિયેટરોમાં મોર્નિંગ શોની ટિકિટ રૂ. 1,500 સુધીની હતી.

Advertisement

CBFC એ ફિલ્મમાં ફેરફારો સૂચવ્યા

રસપ્રદ વાત એ છે કે, કર્ણાટકમાં એડવાન્સ બુકિંગ તેજીમાં છે, પરંતુ ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં ટિકિટનું વેચાણ હજુ શરૂ થયું નથી. કેરળના કોચીમાં પરિસ્થિતિ થોડી અલગ છે, જ્યાં સૌથી મોંઘી ટિકિટની કિંમત રૂ. 350 સુધી હોય છે. તમિલનાડુમાં બુકિંગમાં વિલંબનું કારણ ટેકનિકલ સમસ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મના નિર્માતાઓ હજુ પણ CBFC તરફથી સેન્સર પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, CBFC એ ફિલ્મમાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે, જેના કારણે થિયેટર માલિકો છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવા માટે ટિકિટ રિલીઝ કરવામાં સાવધાની રાખી રહ્યા છે. હાલમાં, ફક્ત કર્ણાટક, કેરળ અને વિદેશી બજારોમાં જ એડવાન્સ બુકિંગ ખુલ્લું છે, પરંતુ આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં ટિકિટનું વેચાણ શરૂ થવાની ધારણા છે.

Advertisement

ભાવનાત્મક વિદાય માટે તૈયાર

એચ. વિનોદ દ્વારા દિગ્દર્શિત, "જાના નાયગન" માં વિજય સાથે મમિતા બૈજુ, પૂજા હેગડે અને બોબી દેઓલ છે. આ ફિલ્મ વિજયની કારકિર્દીની છેલ્લી સિનેમેટિક ઓફર માનવામાં આવે છે, કારણ કે, તેઓ આ બાદ સંપૂર્ણપણે રાજકારણમાં પ્રવેશ કરશે. વિજય આ વર્ષે તેની પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (TVK) સાથે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. વધુમાં, ઉદ્યોગમાં એવી ચર્ચા છે કે "જાના નાયકન" 2023 માં રિલીઝ થયેલી અનિલ રવિપુડીની બાલકૃષ્ણ અભિનીત ફિલ્મ "ભગવંત કેસરી" ની રિમેક હોઈ શકે છે. જો કે, નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એકંદરે, "જાન નાયકન" માત્ર એક ફિલ્મ નથી, પરંતુ વિજયના ચાહકો માટે ભાવનાત્મક વિદાય છે, જેના કારણે તે રિલીઝ થાય તે પહેલાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

આ પણ વાંચો -------- Nayak 2 Movie: શું અનિલ કપૂર ફરી 24 કલાક માટે CM બનશે? જાણો સત્તાવાર અપડેટ

Tags :
Advertisement

.

×