Kamal Haasan: શા માટે અભિનેતાએ કહેવું પડ્યું કે, હું રામ નહિ પરંતુ દશરથના માર્ગે ચાલું છું...
Kamal Haasan અત્યારે પોતાની આગામી ફિલ્મ Thug Life ના પ્રમોશનમાં બિઝી છે. એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન તેમણે લગ્ન વ્યવસ્થા અને પોતે કરેલા 2 લગ્નો સંદર્ભે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું રામ નહિ પરંતુ દશરથના માર્ગે ચાલું છું. વાંચો વિગતવાર.
Advertisement
- હું રામ નહિ પરંતુ દશરથના માર્ગે ચાલું છું...Kamal Haasan
- Kamal Haasan એ વાણી અને સારિકા સાથે કરેલા છે લગ્ન
- Kamal Haasan પોતાની મચ અવેટેડ ફિલ્મ Thug Lifeના પ્રમોશનમાં છે વ્યસત
Kamal Haasan: પોતાની આગામી ફિલ્મ Thug Lifeનું પ્રમોશન કમલ હાસન જોર શોરથી કરી રહ્યા છે. તેમણે એક પ્રમોશનલ ઈવેન્ટમાં લગ્ન વ્યવસ્થા વિશે પુછવામાં આવ્યું. ત્યારે Kamal Haasan એ પોતે કરેલા 2 લગ્નો વિશે જણાવ્યું અને કહ્યું કે, હું રામ નહિ પરંતુ દશરથના માર્ગે ચાલું છું. Kamal Haasan એ તેમની જિંદગીમાં વાણી અને સારિકા સાથે લગ્ન કર્યા હતા. તેમણે શ્રુતિ(Shruti Haasan) અને અક્ષરા( Akshara Haasan) નામે બે દીકરીઓ છે.

