બ્રાહ્મણ હોવા પર શરમ, હિંદુ હોવા પર સવાલ એક રોગ છે, ભોગ બન્યા છે ઘણાં "Piyush Mishra"
. પિયૂષ મિશ્રાનો ઘટસ્ફોટ: 'લેફ્ટિસ્ટ હતો ત્યારે બ્રાહ્મણ હોવા પર શરમ આવતી હતી'
. ભારતીય ઓળખ પર સવાલ: પિયૂષ મિશ્રાના જીવનમાં કેવી રીતે આવ્યું પરિવર્તન?
. નેહરુયુગથી મોદીયુગ સુધી: ભારતીય પરંપરા અને રાજનીતિક અભિગમમાં બદલાતો પ્રવાહ
આનંદ શુક્લ : ભારત અને ભારતીય ઓળખ બંનેનો દ્રોહ કરવો કે તેને અપખોડવા કે તેનો અનાદર કરવો, આ છેલ્લા 200 વર્ષથી ભારતના કથિત પ્રગતિશીલ લોકોની ઓળખ રહી છે.
તાજેતરમાં એક્ટર, સિંગર અને લેખક પિયૂષ મિશ્રા (Piyush Mishra) એ એક પોડકાસ્ટ પર જે વાત કરી છે, તેના પરથી ભારતમાં છેલ્લા 200 વર્ષથી ઓળખ અને સ્વાભિમાનને કેટલી હદે હાનિ પહોંચી છે, તેનો ખુલાસો થઈ શકે છે.
Brahmin હોવા પર શરમ, Hindu હોવા પર સવાલ!
પિષૂય મિશ્રાએ એક પોડકાસ્ટમાં કહ્યુ છેકે જ્યારે હું લેફ્ટિસ્ટ હતો, ત્યારે શરમ હતી કે હું બ્રાહ્મણ છું. હું હિંદુ છું, હું હિંદુ કેમ છું? હિંદુસ્તાનમાં રહીને હિંદુસ્તાનને ગાળ આપતો હતો. તમામ બેવકૂફીઓ હતી. બેહદ બેવકૂફીઓ હતી. લેફ્ટિસ્ટ સાથી આ વાતની ઘણી ખુશી માનવતા હતા કે આપણે આવું કરવું જોઈએ. અજીબ હતું, ખબર નહીં શું હતું...
પણ પિયૂષ મિશ્રા હવે ખાસા બદલાઈ ગયા છે, તેમણે પોડકાસ્ટમાં એમ પણ કહ્યુ કે તેઓ લેફ્ટિસ્ટ હતા, કમ્યુનિસ્ટ નહીં. તેમણે કહ્યુ કે તેઓ કોઈ ભગવાનને પૂજતા નથી, પણ જો સામે કોઈ મૂર્તિ કે મંદિર આવી જાય તો માથું નમાવવામાં વાંધો પણ નથી. તેની સાથે તેમણે કહ્યુ કે આધ્યત્મ જ જીવન છે. તમે લાખ લેફ્ટિસ્ટ હો, લાખ કમ્યુનિસ્ટ હો, ત્યાં જઈને જીવન રોકાઈ જાય છે. આ જન્મમાં નહીં કરો તો આગલા જન્મમાં કરશો. હું તો આ વાતને માનું છું કે જે નોટ પર હું છૂટી રહ્યો છું, તે નોટ પર હું જન્મ લઈશ.
આ પણ વાંચો : ચીન સાથે નહેરુએ કેમ કર્યો હતો પંચશીલ કરાર? CDS અનિલ ચૌહાને જણાવી તિબેટવાળી વાત
Leftist વિચારધારામાં પરિવર્તન
પિયૂષ મિશ્રાએ લેફ્ટિસ્ટ વિચારધારા બદલવા પર પુછાયેલા સવાલના જવાબમાં કહ્યુ હતુ કે હું કમ્યુનિસ્ટ (Communist) ક્યારેય ન હતો, લેફ્ટિસ્ટ (Leftist) રહ્યો. ખબર નથી કે શું મુશ્કેલી આવે છે લોકોને એ એક્સેપ્ટ કરવામાં કે આપણે લેફ્ટિસ્ટ છીએ. મતલબ અમારી જનરેશનમાં ઘણાં ભણેલા-ગણેલા હતા અને તે સમયે 20 વર્ષની વયમાં 30 વર્ષની ઉંમરે લેફ્ટિસ્ટ થવું જરૂરિયાત હતી. એન્ટી એડમિનિસ્ટ્રેશન તમે હશો જ નહીં ચાહતા હો તો પણ હશો. ઝખ મારીને હશો. કમ્યુનિસ્ટ આઈડિયોલોજી અલગ હોય છે, તે થોડું ઘેરું થઈ જાય છે. તે ન હતો, પણ હા લેફ્ટ તો હતો બકાયદા હતો. લેફ્ટ તેમને એ તો દેખાડશે નહીં, તમારી ગતિ શું હશે, ધીરેધીરે તમારે ખુદ વિચારવું પડે છે. પછી ધીરેધીરે આધ્યાત્મ પ્રવેશ કરે છે અને તમારી ગતિ બદલાઈ જાય છે.
તેમણે એમ પણ કહ્યુ હતુ કે તે વયે બધાં કરે છે. તે વિલન નથી. તેમને કરવા દેવું જોઈએ. આમને આપોઆપ સદબુદ્ધિ મળશે તો ખુદને મળશે.
આ પણ વાંચો : નહેરુ-ગાંધી પરિવારનો ઈતિહાસ ખોટો, મક્કારી, ભ્રષ્ટાચારી, દેશ તોડનારો: BJP MP Nishikant Dubey
આ માત્ર પિયૂષ મિશ્રા (Piyush Mishra) ની થોડી સમસ્યા છે...
ભારતમાં ઓળખ અને સ્વાભિમાનને લગતી પરંપરાઓની એક લાંબી ઘટમાળ છે. જો કે તેમાં ઘણે ઠેકાણે આવેલી જડતાએ કેટલીક બાબતોમાં અંધશ્રદ્ધાને પણ વધારી છે. પણ અંધશ્રદ્ધા તથ્યાત્મકતા અને તર્કબદ્ધતાથી રોકી શકાય તેવી બાબત છે. તેના માટે ભારતની ઓળખ અને સ્વાભિમાનના દુશ્મન થોડું થઈ જવાય.
પણ આવું થયું છે. ભારતની પરંપરાઓને અપખોડવી એક અલગ જ પરંપરા બ્રિટિશ કાળથી થઈ ચુકી છે. આવી શરૂ થયેલી ખોટી પરંપરા હજી પણ થંભી નથી. આમા જોડાનારા પિયૂષ મિશ્રા જેવા લોકો એક પોઈન્ટ પર પાછા ફરે છે. પણ જેઓ ખુદને મળી શક્યા નથી તેવા ઘણાં લોકો તેમાં પોતાનો પ્રવાસ ચાલુ જ રાખે છે.
બ્રિટિશ કાળમાં અંગ્રેજોના પ્રભાવ વચ્ચે સામ્યવાદ, સમાજવાદ જેવી વિચારધારાઓને કારણે ભારતીયતા અને ભારતની ઓળખને કથિત પ્રગતિશીલોના વૈચારિક પ્રહારોનો ભોગ બનવું પડયું હતું.
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru) સમાજવાદી વલણ ધરાવતા હતા. તેઓ રાષ્ટ્રવાદી હતા. પણ 1950ના દાયકામાં હિંદુ મહાસભા (Hindu Mahasabha) ના નેતા એન. બી ખરે (N. B. Khare) નું તેમના માટે વાપરવામાં આવેલું એક વિધાન ઘણું ચર્ચાસ્પદ બન્યું હતું. એન. બી. ખરે મુજબ, નહેરુએ ક્યાંક એવું કહ્યું હતું કે હું શિક્ષણથી અંગ્રેજ છું, સંસ્કૃતિથી મુસ્લિમ (Muslim) છું અને માત્ર અકસ્માતે હિંદુ (Hindu) છું. જો કે નહેરુ ક્યારેય આવું નહીં બોલ્યા હોવાના પ્રતિદાવાઓ પણ થાય છે. જો કે નહેરુએ ખુદ પોતાની આત્મકથા અને ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં લખ્યું છે કે તેઓ પરંપરાગત ધાર્મિક વિધિઓમાં બહુ માનતા ન હતા.
પણ હકીકત એ પણ છે કે નહેરુએ પોતાના લખાણોમાં વેદો, ઉપનિષદો અને ગંગા નદી પ્રત્યેના પોતાના આદર વિશે ઊંડાણપૂર્વક લખ્યું છે. તેમણે ગંગા નદીને ભારતની સંસ્કૃતિનું પ્રતીક ગણાવી હતી અને પોતાની વસિયતમાં તેમણે પોતાના અસ્થિ ગંગા નદીમાં પધરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : "શું રાહુલ ગાંધી ભારત વિભાજનની યોજના બનાવી રહ્યા છે?", લોકસભામાં વિપક્ષના નેતા પર ગંભીર આરોપ
JNU કાંડ લેફ્ટિસ્ટોની કરતૂત
થોડા વર્ષો પહેલા દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં કેટલાક વામપંથી છાત્ર સંગઠનોના વિદ્યાર્થીઓએ દેશના ટુકડા-ટુકડા કરવાના સૂત્રોચ્ચાર કરીને સંસદ પર હુમલાના દોષિત અને ફાંસીએ ચઢાવાયેલા અફઝલ ગુરુ સાથે અન્યાય થયો હોવાના પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવી સ્થિતિ ભારતના તંત્રનો વિરોધ કરનારા મોટાભાગના ડાબેરી જૂથોની છે. આ જૂથો હિંદુ ઓળખને નકારવા કરતા તેનાથી પીડાઈ રહ્યા છે અને તેમાં પણ બ્રાહ્મણ હોય તો આનાથી શરમ પણ અનુભવે છે, જાણે કે આ કોઈ મોટો ગુનો હોય. આવી મનોસ્થિતિમાંથી બોલીવુડના એક્ટર, લેખક અને સિંગર પિયૂષ મિશ્રા તો બહાર આવી ગયા છે. પણ હજી કેટલા લોકોને ભારતથી અને ભારતીયતાથી રૂબરુ થવું પડશે, તેની હાલ ખબર નથી પણ હવે ખબર તો રાખવી પડશે.
આ પણ વાંચો : National Security નો અર્થ દેશની જનતા અને તેની વિચારધારાની સુરક્ષા: CDS અનિલ ચૌહાન
1026થી 2026 વાયા 1951
એક બીજી વાત યાદ કરાવી દઉં કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ના સંકલ્પબળથી 1951માં સોમનાથ મંદિર (Somnath Temple) નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો, ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru) એ તેનો વિરોધ કર્યો હતો અને સરકારે ધાર્મિક કાર્યોમાં સીધો ભાગ નહીં લેવો જોઈએ તેવો અભિપ્રાય દ્રઢતાથી પાળ્યો પણ હતો. પણ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે (Dr. Rajendra Prasad) વ્યક્તિગત ધોરણે સોમનાથ મંદિરના નવનિર્માણ બાદ થયેલી પ્રાણપ્રતિષ્ઠામાં નહેરુના વિચારોને નકારીને સામેલ થવાનું પસંદ કર્યું હતું.
આ પણ વાંચો : કૉંગ્રેસના નેતા શશી થરુર જવાહરલાલ નહેરુની દરેક નીતિઓ સાથે નથી સંમત!
2026માં એટલે કે સોમનાથ મંદિર (Somnath Temple) પર મહમૂદ ગઝનવી (mahmood ghaznavi) ના 1026માં થયેલા પહેલા આક્રમણને જ્યારે 1000 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સત્તાસીન સરકારો હવે ભારતીય પરંપરા, ઓળખ અને સ્વાભિમાનનું સત્તાવાર રીતે સમ્માન કરી રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ રામજન્મભૂમિ (RamJanmabhoomi) પર ભવ્ય રામમંદિર (Ram Temple) નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. 22 જાન્યુઆરી, 2024માં થયેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામેલ થયા હતા અને તેમના હસ્તે ભગવાન રામ (Lord Rama) ના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આના પહેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરના નિર્માણ માટે કરાયેલા ભૂમિપૂજનમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) સામેલ થયા હતા.
આ પણ એક પરિવર્તન છે અને આ પરિવર્તન ઘણાં ' પિયૂષ મિશ્રા' ઓને ભારત અને ભારતીયતા તેની ઓળખ અને પરંપરાઓના પ્રવાહમાં ફરીથી સામેલ કરશે.
આ પણ વાંચો : Nehru ની લોકશાહીને સૈન્ય પ્રભાવથી દૂર રાખતી સમજે India માં 'Pakistan' જેવી સ્થિતિ ટાળી!


