Pa. Deendayal Upaddhyay: જનસંઘ ઉર્દૂનો વિરોધ કરતું હતું, પણ દીનદયાલજીને ઉર્દૂ શાયરી ગમતી હતી!
. Pa. Deendayal Upaddhyay ને ઉર્દૂ શેરોશાયરી ગમતી
. સ્વતંત્રતા પહેલા હિંદી-ઉર્દૂ ભાષા વિવાદ ચરમસીમાએ હતો
. ઉર્દૂ ભાષાનું મૂળ વિદેશી હુમલાખોરોની સૈન્ય છાવણીઓમાં હતું
. ઉર્દૂ ભાષાનો વિરોધ ભારતીય જનસંઘની નીતિ હતી
આનંદ શુક્લ : ભારત (India) માં ભારતીયતા નિષ્ઠ રાજનીતિની શરૂઆત કરવા માટે ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) ની સ્થાપના ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી (Dr. Shyama Prasad Mukherjee) ના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આના માટે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Dr. Shyama Prasad Mukherjee) ની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh - RSS) ના દ્વિતિય સરસંઘચાલક શ્રી ગુરુજી (Shri Guruji) ઉપાખ્ય માધવરાવ સદાશિવ ગોલવલકર સાથે થઈ હતી. આરએસએસના ચુનિંદા પ્રચારકો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને નવા પક્ષ માટે મળ્યા હતા. જેમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upaddhyay) અગ્રક્રમે હતા.
ભારતને સ્વતંત્રતા પ્રાપ્તિ થઈ, પણ તેની સાથે વિભાજન (Partition) ની વિભીષિકા પણ જોવી પડી. આ આખા મામલામાં ભાષાની ઘણી મોટી ભૂમિકા હતી. સંસ્કૃતનિષ્ઠ હિંદી (Hindi) અને ઉર્દૂ (Urdu) વચ્ચેના વિવાદમાં ફારસી-ઉર્દૂ શબ્દોની ભરમાર સાથેની હિંદુસ્તાની (Hindustani) ના વિકલ્પ પર પણ ચર્ચા થઈ હતી.
જ્યારે 1951માં ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) ની રચના થઈ, ત્યારે સ્વતંત્રતા પહેલાનો વિવાદ સ્વતંત્ર ભારતમાં ભૂતકાળના સ્વરૂપે જોવા મળે નહીં તેના માટે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથેની સ્પષ્ટતાઓને લઈને ભારતીય જનસંઘ દ્વરા ઉર્દૂ (Udru) નો વિરોધ કરાયોહતો. આ કોઈ ભાષાનો વિરોધ ન હતો.
આ પણ વાંચો: જ્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાયને રૌદ્રાવતાર ધારણ કરવો પડયો!, જાણો શું હતી ઘટના?
જનસંઘ ઉર્દૂ (Urdu) નો વિરોધ કરતું હતું!
એક સ્થાન પર વાતવાતમાં ઉર્દૂ ભાષાને લઈને પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો. ભાષા વિષયક ચર્ચા દરમિયાન ગોપાલજી કેસરીએ જનસંઘ દ્વારા ઉર્દૂનો શા માટે વિરોધ કરાય રહ્યો છે, તેવો પ્રશ્ન કર્યો.
પંડિત દીનદયાલજી (Pandit Deendayalji) એ આનો જવાબ આપતા કહ્યુ કે "ગોપાલજી, ભાષાના નાતે આપણો કોઈપણ ભાષા સાથે વિરોધ નથી. પરંતુ ઉર્દૂને જો ભારતીય ભાષાના રુપમાં માન્યતા જોઈતી હોય, તો તેને પહેલા ભારતીય બનવું પડશે. ઉર્દૂનું મૂળ વિદેશમાં છે. ભારતમાં રહેતા ખ્રિસ્તી જો કાલે એ માંગ કરવા લાગે કે અંગ્રેજીને ભારતીય ભાષા તરીકે માન્યતા આપવામાં આવે, તો શું આપણે તેનો આગ્રહ સ્વીકારી લઈશું? અલગ ભાષા તથા અલગ સંસ્કૃતિનો સ્વીકાર કરવાને કારણે આપણે દેશના વિભાજનનો એકવાર અનુભવ કર્યો છે. હવે તો આપણે દેશનું વિભાજન કરી શકનારા કોઈપણ અલગવાને કોઈપણ આગ્રહનો સ્વીકાર કરી શકીશું નહીં." ("गोपालजी, भाषा के नाते हमारा किसी भी भाषा से विरोध नहीं है. किन्तु उर्दूको यदि भारतीय भाषा के रुप में मान्यता चाहिए हो, तो उसे पहले भारतीय बनना पडेगा. उर्दू का मूल विदेश में है. भारत में रहने वाले ईसाई यदि कल को यह मांग करने लगें कि अंग्रेजी को भारतीय भाषा के रुप में मान्यता दी जाये, तो क्या हम उनका आग्रह स्वीकार कर लेंगे? अलग भाषा तथा अलग संस्कृति को स्वीकार करने के कारण हमने देश के विभाजन को एक बार अनुभव किया है. अब तो हम देश का विभाजन कर सकने वाले किसी भी अलगाव के किसी भी आग्रह को स्वीकार नहीं कर सकेंगे.") * (1)
આ પણ વાંચો: Deendayal Upaddhyay: જ્યારે અટલજી (Atalji) નારાજ થઈ ગયા, ત્યારે પં. દીનદયાલ ઉપાધ્યાયે શું કર્યું?
દીનદયાલજી (Pandit Deendayalji) ને ઉર્દૂ શેરોશાયરી પ્રિય હતી!
જો કે જનસંઘની નીતિ ઉર્દૂનો વિરોધ કરવાની હતી. પરંતુ ખુદ દીનદયાલજીને ઉર્દૂ શેરોશાયરી ઘણી પ્રિય હતી. તેમ છતાં તેમણે આ ભાષાને લઈને આટલા સુસ્પષ્ટ વિચાર રજૂ કર્યા હતા.
જનસંઘના વરિષ્ઠ નેતા પીતાંબરદાસ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જ્યારે મુલાકાત થાય ત્યારે શેરોશાયરી અવશ્ય થતી. પીતાંબરદાસે લખ્યુ છે કે "उनसे भेंट दीवानखाने में हो अथवा रेलवे स्टेशन पर बिदाई के समय हो, पंडितजी शेर सुनाने का अनुरोध अवश्य करते. (તેમની સાથેની મુલાકાત દીવાનખાનમાં હોય અથવા રેલવે સ્ટેશન પર વિદાઈ સમયે હોય, પંડિતજી શેર સંભળાવવાનો આગ્રહ અવશ્ય કરતા. ) *(2)
પીતાંબરદાસ શેર સંભળાવતા અને દીનદયાલજી વાહવાહ કહીને દાદ આપીને ત્યાંથી પોતાના પ્રવાસે નીકળી જતા હતા."
પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો સ્વભાવ હતો કે તેમણે અંગત ગમા-અણગમા અને રાષ્ટ્રહિતમાં ક્યારેય કોઈ સંભ્રમની સ્થિતિ ઉભી થવા દીધી ન હતી. તેથી જ વૈચારિક દ્રઢતાના પ્રતીક તરીકે ભારતીય જનસંઘની અનુગામી ભારતીય જનતા પાર્ટીમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રત્યેનું સમ્માન અડગ છે.
સંદર્ભ :
1. પૃષ્ઠ ક્રમાંક- 40, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खण्ड-7 व्यक्ति-दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987
2. પૃષ્ઠ ક્રમાંક- 40-41, पं. दीनदयाल उपाध्याय विचार-दर्शन खण्ड-7 व्यक्ति-दर्शन, લેખક- વિશ્વનાથ નારાયણ દેવધર, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987
આ પણ વાંચો: દીનદયાલ દ્રષ્ટિ દર્શન (Deendayal Drishti Darshan) : "કાર્યકર્તા નિર્જીવ નથી કે ચાહો ત્યાં ચોંટાડી દો"


