હિંદુઓને વસ્તી વધારાની સલાહ મહામૂર્ખતા ! ડેમોગ્રાફી બદલાવાનું કારણ 'Political Islam'
. ડેમોગ્રાફીમાં પરિવર્તન એ રણનીતિનું પરિણામ છે, જેને સમજવામાં ભારતીય નેતૃત્વ છેલ્લા 100 વર્ષથી નિષ્ફળ રહ્યું છે
. યોગી આદિત્યનાથે પોલિટિકલ કરેક્ટનેસ છોડીને આ મુદ્દે ખુલ્લી ચર્ચા શરૂ કરી છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય છે
. એકતરફી એકતાના પ્રયાસો અને તુષ્ટીકરણને બદલે હિંદુઓએ સમાન સ્તરે દ્રઢતા બતાવવી જોઈએ
આનંદ શુક્લ : થોડા દિવસોમાં પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, તમિલનાડુ અને પુડ્ડુચેરી (West Bengal, Kerala, Assam, Tamilnadu and Pudduchery) માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ દરમિયાન પશ્ચિમ બંગાળ અને આસામમાં બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો અને બંને રાજ્યોમાં ધાર્મિક વસ્તી અસંતુલનના મુદ્દાઓ ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઘણાં મોટા સ્તરેથી ઉઠી રહ્યા છે. જ્યારે કેરળમાં પણ ધાર્મિક વસ્તી અસંતુલન ઘણાં મોટા પ્રમાણમાં છે. પણ ધાર્મિક વસ્તી અસંતુલન એક પરિણામ છે અને તેની પાછળનું કારણ પોલિટિકલ ઈસ્લામ (Political Islam) છે. જેને જણાવવાનું ચૂંટણીગત રાજનીતિમાં ભૂલી જવા છે કે ભૂલવાડી દેવાય છે કે મૌન રહીને નજરઅંદાજ કરવામાં આવે છે.
આ રાજ્યોમાં ચૂંટણીઓ જાહેર થઈ તેના પહેલા આરએસએસ (RSS) અને ભાજપ (BJP) સહીતના ઘણાં હિંદુ (Hindu) વાદી સંગઠનોના નેતાઓએ હિંદુઓને વધુ બાળકો પેદા કરવા જોઈએ- તેવી સલાહો આપી હતી. આમા અપરણિતથી માંડીને જેમના પરિવારમાં "બે બસ" નું સૂત્ર અપનાવાયું છે તેવા નેતા પણ સામેલ હતા. હકીકતમાં હિંદુઓને અપાતી આવી સલાહ મૂર્ખતા છે અને આવા લોકો રાજનીતિક ઈસ્લામ (Political Islam) પ્રત્યે અજ્ઞાનતા ધરાવે છે અથવા પોતાને ખબર હોવા છતાં રાજકીય ફાયદા ગણિતને ધ્યાનમાં રાખીને તેને લઈને ચુપ રહે છે.
સામાજીક-સાંસ્કૃતિક-રાજનીતિક નેતૃત્વ કરનારા નેતાઓનું કામ હોય છે કે તેઓ અસુવિધાજનક સત્યોનો સામનો કરે અને સમાજને પણ તેના માટે પ્રેરિત કરે. પોલિટિકિલ કરેક્ટનેસ (Political Correctness) ના કાળમાં ભારતના નેતાઓ તેમાં પણ ખાસ કરીને હિંદુ નેતાઓ છેલ્લા 200 વર્ષથી નુરાકુશ્તીમાં લાગેલા છે. તેમાં છેલ્લા 1920થી માંડીને અત્યાર સુધીની રાજનીતિ ક્યારેક રાષ્ટ્રઘાતક પણ લાગે છે. 1947 આવી રાષ્ટ્રઘાતક રાજનીતિની ચરમસીમા આપણને સૌને વિભાજનની વિભીષિકાઓ સ્વરૂપે દર્શાવી ચુકી છે. પણ આપણું રાજકારણ ખુરશીકારણના ચક્કરમાં બદલાવા માટે બિલકુલ તૈયાર નથી.
આ પણ વાંચો: મહમૂદ ગઝનવીનો 'જેહાદનો વાયદો' હતો સોમનાથ મંદિરના ધ્વંસનું કારણ!
આ પણ વાંચો: Bengal Assembly Election: બંગાળમાં બાબરીવાળા હુમાયૂં-ઓવૈસીના ગઠબંધનના કારણે મમતા બેનર્જી BJP સામે હારશે?
યોગી આદિત્યનાથે 'Political Islam' ની ચર્ચા શરૂ કરી
જો કે આવી રાજનીતિમાં પણ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) જેવા વીરલા પણ સામે આવતા હોય છે અને ભારતના લોકોને પોલિટિકલ કરેક્ટનેસની પરવાહ કર્યા વગર અસુવિધાજનક સત્યોનો સામનો ખુદ પણ કરે છે અને સમાજને પણ તેના માટે પ્રેરીત કરતા દેખાય છે. ઓક્ટોબર-2025માં ગોરખપુરમાં આરએસએસ (RSS) ની સ્થાપનના શતાબ્દિ વર્ષ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં સામેલ થયેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે બ્રિટિશ અને ફ્રેન્ચ કોલોનીકાળની ચર્ચા મોટભાગે થાય છે, પરંતુ સનાતન ધર્મ પર સૌથી મોટો પ્રહાર કરનારા રાજનીતિક ઈસ્લામ (Political Islam) નો ઉલ્લેખ ઓછો જ કરવામાં આવે છે.
તેમણે કહ્યુ હતુ કે "દેશમાં અંગ્રેજોનું શાન, બ્રિટિશ કોલોનીની ચર્ચા થાય છે. પણ રાજનીતિક ઈસ્લામની ક્યાંય ચર્ચા થતી નથી. તેણે (ભારતની) આસ્થા પર સર્વાધિક કુઠારાઘાત કર્યા. બ્રિટિશ કોલોનીવાદની વિરુદ્ધ આપણા પૂર્વજો લડયા. પરંતુ રાજનીતિક ઈસ્લામ વિરુદ્ધ પણ આપણા પૂર્વજો મોટી-મોટી લડાઈઓ લડયા હતા. છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદ સિંહ, મહારાણા પ્રતાપ, મહારાણા સાંગાને આપણે આના માટે યાદ કરીએ છીએ. માટે તેમને રાષ્ટ્રનાયક તરીકે સમ્માન આપીએ છીએ. પરંતુ રાજનીતિક ઈસ્લામ તે છે આજે પણ રાષ્ટ્રમાતાના ટુકડે-ટુકડા કરવાની મનસા સાથે કાર્ય કરી રહ્યો છે."
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે રાજનીતિક ઈસ્લામને પ્રોત્સાહન આપનારી પ્રવૃત્તિઓ અલગ-અલગ સ્વરૂપે ચાલુ છે. યોગીએ કહ્યુ હતુ કે ઉત્તરપ્રદેશમાં હલાલ-સર્ટિફિકેટ પ્રોડેક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે અને દાવો કર્યો હતો કે આના વેચાણમાંથી થનારા નફાનો ઉપયોગ ધર્માંતરણ (Conversion) , લવજેહાદ (Love Jihad) અને આતંકવાદ (Terrorism) માટે કરાઈ રહ્યો છે.
રાજનીતિક ઈસ્લામ (Political Islam) પર યોગી આદિત્યનાથની હાકલ ઐતિહાસિક છે, કારણ કે ભારતના બંધારણીય પદ પર બેઠેલા મુખ્યમંત્રી સ્તરના રાજનેતાએ આ મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે અત્યારે આ મુદ્દાને લઈને હિંદુઓના સાંસ્કૃતિક-ધાર્મિક-રાજનીતિક સંગઠન સ્તરે એકંદરે વ્યાપક ખામોશી છવાયેલી છે. એક માત્ર શ્રીરામજન્મભૂમિ મુક્તિ આંદોલનના સમયગાળાને બાદ કરતા ભારતીય નેતૃત્વમાં આવી ખામોશી છેક 1920ના ખિલાફત આંદોલનથી છવાયેલ છે.
આ પણ વાંચો: પહેલા Kinjal Dave હવે Kinjal Rabari, પ્રેમ સાચો હોય તો હિંદુ સમાજ આંતરજ્ઞાતિય લગ્નો સ્વીકારે!
"મુસ્લિમોને ગળે મળવા અને કુશ્તી લડવા- બંને માટે હિંદુઓએ તૈયાર રહેવું જોઈએ"
યોગી આદિત્યનાથ પહેલા ભારતીય રાજનીતિમાં મહર્ષિ અરવિંદે (Maharshi Arvind) રાજનીતિક ઈસ્લામ (Political Islam) નો સામનો કરવાની જરૂરિયાત હોવાની વાત કહી હતી. શ્રી અરવિંદે અલગ-અલગ સ્થાનો, પ્રસંગોમાં લખેલી અને બોલેલી વાતો ખૂબ ધ્યાનથી વિચારવા જેવી છે. શ્રી અરવિંદે કહ્યુ હતુ કે મુસ્લિમો પણ ભારતમાતાના સંતા છે. પરંતુ તથ્યોની ઉપેક્ષા કરવાથી કોઈ લાભ નથી. હિંદુ-મુસ્લિમ (Hindu - Muslim) એકતા એકતરફી બનાવી શકાય નહીં. હંમેશા મુસ્લિમોની માગણીઓ સામે ઝુકી જવું સમસ્યાનું સમાધાન નથી, પરંતુ તેને ટાળવામાં આવે છે. ક્યારેકને ક્યારેક હિંદુઓએ લડવું પડશે અને તેમને તેના માટે તૈયાર રહેવું જોઈએ. મુસ્લિમોની માગણીઓની સામે ઝુકતા જવાને બદલે, જો હિંદુ નેતા માત્ર એ કામ કરે જે દેશના હિતમાં છે, તો મોટી સંખ્યામાં મુસ્લિમો પણ આપોઆપ તેમની સાથે આવી જશે. જ્યારે એકતાને સાધવાની કોશિશે મુસ્લિમોને વધુ મહત્ત્વતા આપી દીધી છે, અને આ તમામ આફતોનું મૂળ છે. માટે ભાઈ તરીકે મુસલમાનો બરાબરીના અધિકારી છે, ન તેનાથી ઓછા, ન વધારે. માટે મુસ્લિમોને ગળે મળવા અને કુશ્તી લડવા- બંને માટે હિંદુઓએ તૈયાર રહેવું જોઈએ.
Pakistan "રાજનીતિક ઈસ્લામ" નું પરિણામ
પણ સ્વતંત્રતા પહેલા તિલકયુગની સમાપ્તિ બાદ હિંદુ નેતૃત્વ પોલિટિકલ કરેક્ટનેસ દેખાડવાની ચાહમાં આત્મશ્લાઘાની અવસ્થાને પણ પાર કરી ગયેલું દેખાયું. 1920 બાદથી ઉભી થયેલી સ્થિતિએ 14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને તોડીને પાકિસ્તાન (Pakistan) બંને પડખામાં ઉભું કર્યું. પાકિસ્તાન 1971માં વિભાજીત થયું અને પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ પણ બન્યું. પણ પશ્ચિમમાં રહેલું પાકિસ્તાન માત્ર ભારત જ નહીં પણ આખી દુનિયાના ઘણાં દેશોને આતંકવાદની પીડા આપી રહ્યું છે. પાકિસ્તાન રાજનીતિક ઈસ્લામ (Political Islam) ની માનસિકતાનું સાકાર સ્વરૂપ છે. યોગી આદિત્યનાથે રાજનીતિક ઈસ્લામની જે ચર્ચા શરૂ કરી છે, તેનાથી બચવાની કોશિશો ભારતભરની નેતાગીરી કરી રહી છે. જો આ રાજનીતિક ઈસ્લામ (Political Islam) ની જાણકારી ભારતના લોકોને જેવી છે, તેવી આપવામાં આવે તો પણ ઘણી ભ્રાંતિઓ અને અસ્પષ્ટતાઓ જનતામાંથી તાત્કાલિક અસરથી દૂર થઈ જાય અને પોલિટિકલ ઈસ્લામનો રાજનીતિ પરનો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારનો પ્રભાવ અદ્રશ્ય થઈ જશે.
રાજનીતિક ઈસ્લામ (Political Islam) પ્રત્યે જાગરુકતા વધારવી જરૂરી છે, કારણ કે આની સાથે ભારતનો ઈતિહાસ અને વર્તમાન દ્વારા ભવિષ્ય પણ જોડાયેલું છે. અયોધ્યામાં રામજન્મભૂમિ (Ramjanmabhoomi) પર ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પુનર્સ્થાપનાનું આંદોલન પણ રાજનીતિક ઈસ્લામ (Political Islam) ના ભારતીય રાજનીતિમાં પ્રભાવ થકી થયેલી હિંદુઓની ઉપેક્ષાનું પરિણામ હતું અને તેને કારણે ભારતીય રાજનીતિના ધ્રુવો પણ બદલાઈ ચુક્યા છે. 2014માં ભારતીયતા આધારીત રાજનીતિનો દાવો કરનારી ભારતીય જનતા પાર્ટીને મળેલી સ્પષ્ટ બહુમતી રાજનીતિના ધ્રુવો બદલવાની રાજનીતિની ચરમસીમા હતી.
આ પણ વાંચો: Love Jihad કે The Kerala Story-2 સામેનો પ્રોપેગેન્ડા? મોનાલિસા-ફરમાનના લગ્નથી ઉઠયા સવાલ
પણ રાજનીતિક ઈસ્લામ પર ચર્ચા કરવાને સ્થાને ચુપકીદી ખુદ એક ગંભીર ચિંતાનો વિષય છે. રાજનીતિક ઈસ્લામ એટલે એવી રાજનીતિ કે જે ઈસ્લામ મુજબ ચાલે છે. પોલિટિકલ ઈસ્લામ માત્ર ભારત માટે નહીં પણ આખા વિશ્વ માટે એક ગંભીર ચિંતનનો મુદ્દો છે. ભારત વિભાજનનું મુખ્ય કારણ પણ આ જ પોલિટિકલ ઈસ્લામ (Political Islam) હતો.
મુસ્લિમ લીગના તત્કાલિન અધ્યક્ષ અને પાકિસ્તાનના સર્જક મોહમ્મદ અલી ઝીણા (Muhammad Ali Jinnah ) એ મુસ્લિમોમાટે અલગ દેશને લઈને ઈસ્લામના જ દાવાઓ રજૂ કર્યા હતા. ઝીણાએ 22 માર્ચ, 1940ના રોજ કહ્યુ હતુ કે હિંદુ અને મુસલમાન બે ભિન્ન સભ્યતાઓ સાથે જોડાયેલા છે જેમના વિચાર અને ધારણાઓ એકબીજાથી વિપરીત છે. તેઓ જુદાજુદા સ્ત્રોતોમાંથી પ્રેરણાઓ લે છે. તેમની પ્રેરક કથાઓ, નાયક અને પ્રસંગ બિલકુલ અલગ-અલગ છે. માટે એક માટે જે નાયક છે, તે બીજા માટે ખલનાયક રહ્યા છે. તેવી રીતે તેમની જીત અને હાર પણ બંને માટે ઉપર-નીચે પડતી રહે છે.
ઝીણાની વાત કોઈ ફરિયાદ નથી, પણ કોઈપણ સ્થિતિમાં અલગ અને વિરુદ્ધ રહેવાનો રાજકીય સિદ્ધાંત છે. અન્ય ધર્મોના લોકો પર ઈસ્લામિક રાજનીતિક એકાધિકારનો દાવો કરવો ઝીણાની વાતનો મૂળ મર્મ છે. આમા સહ-અસ્તિત્વનો સ્પષ્ટ ઈન્કાર છે. આવા દાવાઓનું સમાધાન પહેલા આંખમાં આંખ નાખીને ખુલ્લો વૈચારીક પડકાર આપવો શક્ય છે. રાજનીતિક ઈસ્લામ સામે સમાન સ્તરની વૈચારીક રાજનીતિક ખુલ્લી દ્રઢતા જ એકમાત્ર સમાધાન છે. એટલે કે રાજનીતિક ઈસ્લામના દાવાઓને નકારવા અને તેને મનોવૈજ્ઞાનિક સ્વરૂપે પણ હરાવવા જરૂરી છે. ભારતની ઘણી સમસ્યાઓનું કારણ શક્તિ નહીં, સમજનો અભાવ છે. આમા આવી સમસ્યાઓ સામે આંખ મિલાવવાના સ્થાને ખોટા કલ્પનાવિશ્વો રચી નાખવા એક મુખ્ય કારણ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મુસ્લિમો દ્વારા સરદાર પટેલ પર ક્યાં થયો હતો જીવલેણ હુમલો? શું હતી પ્રતિક્રિયા
ખિલાફત આંદોલનને સમર્થન ટર્નિંગ પોઈન્ટ
રાજનીતિક ઈસ્લામને સમજવામાં ગફલતને કારણે જ 1919માં ખિલાફત આંદોલન (Khilafat Movement) ને સમર્થન આપીને મજહબી ભાગલાવાદ અને વર્ચસ્વને ભારતીય રાજનીતિમાં હવા આપવાનું કામ કરાયું હતું. આની વિરુદ્ધ શ્રી અરવિંદ અને એની બેસન્ટ જેવા નેતાઓએ મોટી ચેતવણીઓ પણ આપી હતી. તેના કારણે ઝીણા જેવાઓને નેતૃત્વમાં ભારતમાં પોલિટિકલ ઈસ્લામ મજબૂત થતો ગયો હતો. આખરે 14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતના વિભાજનનો કડવો ઘૂંટ દેશવાસીઓને પીવો પડયો. ભારત વિભાજનની વિભીષિકાઓમાં હિંદુ-શીખોને ધર્માંતરણ અથા મોતનો વિકલ્પ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન જાહેર થયેલા ક્ષેત્રોમાં આપવામાં આવ્યો હતો. આ જ ઝીણાના પોલિટિકલ ઈસ્લામની હકીકત હતી. તેનું ટ્રેલર 16 ઓગસ્ટ, 1946ના રોજ ડાયરેક્ટ એક્શન ડે (Direct Action Day) સ્વરૂપે દેશ-દુનિયાએ જોયું હતું. પણ તેમ છતાં જાણે કે કંઈ જ કરવામાં આવ્યું નહીં. હકીકતમાં સ્વતંત્ર ભારતના કોઈ સંસદીય સત્રમાં દેશ વિભાજન અને પોલિટિકલ ઈસ્લામ (Political Islam) પર ચર્ચા થવી જોઈતી હતી.
ડેમોગ્રાફી અસંતુલન પરિણામ, કારણ પર ચર્ચાના સ્થાને વધુ બાળકો પેદા કરવાની સલાહો!
આવી ચર્ચાઓ નહીં થવાને કારણે હજીપણ ખતરાથી લોકો અજાણ છે. પશ્ચિમ પંજાબ, પૂર્વ બંગાળ અને બાદમાં સ્વતંત્ર ભારતમાં કાશ્મીર (Kashmir) ખીણમાંથી હિંદુઓનો સફાયો થયો અને હવે પશ્ચિમ બંગાળ, આસામ અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં આ પ્રક્રિયા એક પેટર્ન હેઠળ ધીરેધીરે અને ક્યારેક આંચકાજનક રીતે સતત ચાલી રહી છે.
આ મામલાને ડેમોગ્રાફી (Demography) એટલે કે ધાર્મિક વસ્તી અસંતુલન તરીકે ગણાવવામાં આવે છે. પણ ડેમોગ્રાફીમાં પરિવર્તન એ પરિણામ છે, કારણ નથી. કારણ રાજનીતિક ઈસ્લામ છે કે જેની રણનીતિ અને કાર્યનીતિમાં આખા વિશ્વ પર ઈસ્લામી રાજ સ્થાપિત કરવાનું એકમાત્ર લક્ષ્ય છે. હવે રાજકારણ-સમાજકારણ અને સાંસ્કૃતિક બાબતોમાં દેશનું નેતૃત્વ કરનારા સંગઠનો ડેમોગ્રાફીમાં પરિવર્તનના ખતરા ગણાવીને હિંદુઓને વધુ બાળકો પેદા કરવાની મૂર્ખતાપૂર્ણ સલાહો આપીને રાજનીતિક ઈસ્લામ સામે મુંગા રહીને વૈચારિક અંધકારની સ્થિતિ યથાવત રાખવાનું પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં Love Jihad નહીં ચાલે: જાણો કોણે દેશમાં સૌથી પહેલા ઉઠાવ્યો હતો મુદ્દો, કોણે કરી વ્યાખ્યા?
વાત ડેમોગ્રાફિક નહીં, પણ મનોવૈજ્ઞાનિક દ્રઢતા સાથે સંકળાયેલી છે. જે મનોવૈજ્ઞાનિક દ્રઢતા 18 ટકા મુસ્લિમ વસ્તી હોય ત્યાં દેખાય છે, તેવી જ વાત માત્ર 5 ટકા મુસ્લિમ હોય ત્યાં પણ દેખાય છે. આવા સંજોગોમાં ડેમોગ્રાફિક પરિવર્તનને મુદ્દો ગણાવવો એક ભ્રામક સ્થિતિથી વધારે કંઈ નથી. ડઝનબંધ ફિરકાઓમાં વહેંચાઈને પણ એકલો મુસ્લિમ નેતા પણ પોતાની રાજકીય દાદાગીરી ચલાવતો હોય તેવા ઉદાહરણોની ભારતમાં કોઈ કમી નથી. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં બાબરી મસ્જિદ નિર્માણ એક આવો જ રાજનીતિક ઈસ્લામનો પડકાર છે. જેનો પ્રયોગ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી દરમિયાન થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં 28થી 30 ટકા મુસ્લિમો છે. આવી પોલિટિકલ દાદાગીરીઓ દેશમાં નવા ઝીણા ઉભા કરવાનું કારણ પણ બની શકે છે. પાડોશી પાકિસ્તાનમાં આતંકીઓની ખેતી થાય છે અને આપણા સ્વતંત્ર ભારતમાં ઉભા થનારા નવા ઝીણાઓ ભાગલાવાદની ખેતી કરવા માટે લાલાયિત છે.
નોબલ પુરસ્કાર વિજેતા લેખક વી. એસ. નાયપૉલે (V. S. Naipaul) રાજનીતિક ઈસ્લામ સામે આંગળી ચિંધતા પોતાના પુસ્તક ભારત- એક ઘાયલ સભ્યતામાં ભારતમાં 600 વર્ષ ચાલેલા ઈસ્લામી શાશનકાળ પરના મૌને રેખાંકીત કર્યું હતું. તેમાં તેમણે કહ્યુ હતુ કે ભારતના શિક્ષણ અને રાજનીતિક વિમર્શમાં બ્રિટિશ કોલોનીવાદની ખૂબ ચર્ચા કરવામાં આવે છે, જ્યારે તેનાથી પહેલાના સંપૂર્ણ ઈસ્લામી વિધ્વંસ અને સંહાર પર મૌન રહે છે.
ડૉ. આંબેડકરની વાત પણ ધ્યાનમાં રાખો...
ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકર (Dr. B. R. Ambedkar) નું 1940માં લખાયેલું પુસ્તક પાકિસ્તાન અથવા ભારતનું વિભાજન (Pakistan or Partition of india) ,રાજનીતિક ઈસ્લામનું એક ટૂંકુ પણ સ્પષ્ટ આકલન છે. ડૉ. આંબેડકરે ગ્રાવામેન પોલિટિકસ (Gravamen Politics) ની વાત કર છે. જેમાં મુખ્ય રણનીતિ એ હોય છે કે ફરિયાદો પેદા કરીને સત્તા હડપવામાં આવે. એટલે કે ઈસ્લામી રાજનીતિ સતત ફરિયાદો કરરતા કપટપૂર્વક દબાણ બનાવે છે. જે નિર્બળની આશંકાનો સ્વાંગ કરે છે, પરંતુ વાસ્તવમાં શક્તિશાળીની રાજનીતિક રણનીતિ છે. આંબેડકર મુજબ, "ઈસ્લામી રાજનીતિ હિંદુઓ સાથે બરાબરી નહીં, પણ તેમના પર સરસાઈ પ્રાપ્ત કરવાના લક્ષ્યથી પ્રેરીત છે.
આ પણ વાંચો: Casteism: વાત ભારતને એક કરવાની હતી, પણ જ્ઞાતિઓ એક થવાના નામે સામસામે !
ડૉ. આંબેડકરે કહ્યુ હતુ કે "મુસ્લિમ રાજનીતિ અનિવાર્યત: મુલ્લાઓની રાજનીતિ છે અને તે માત્ર એક અંતરને માન્યતા આપે છે- હિંદુ અને મુસ્લિમ વચ્ચે રહેલું અંતર. જીવનના કોઈપણ ધર્મનિરપેક્ષ તત્વનું મુસ્લિમ સમુદાયની રાજનીતિમાં કોઈ સ્થાન નથી અને તે મુસ્લિમ રાજનીતિક જમાતના માત્ર એક જ નિર્દેશક સિદ્ધાંત સમક્ષ તે નતમસ્તક થાય છે, જેને મજહબ કહેવામાં આવે છે."
યોગીની જેમ નેતાઓ બોલે, મુંગા ન રહે...
હાલની ભારતની રાજનીતિમાં પોલિટિકલ ઈસ્લામ પર વિમર્શ શરૂ કરાવનારા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ધન્યવાદને પાત્ર પણ છે, કારણ કે રાજનીતિક ઈસ્લામનો મુકાલો તેની ચમચાગિરી અથવા તેને સુવિધા, ફંડ-ફાળો આપીને અથવા અદ્યતન શસ્ત્રોથી તેને પર પ્રહાર કરીને થઈ શકે નહીં, કારણ કે આ મુખ્યત્વે વિચાર અને મનોબળ સાથેની લડાઈ છે. પણ દુર્ભાગ્યે બિનમુસ્લિમો આની ઉપેક્ષા કરે છે અથવા મુંગા રહેવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો: બ્રાહ્મણ હોવા પર શરમ, હિંદુ હોવા પર સવાલ એક રોગ છે, ભોગ બન્યા છે ઘણાં "Piyush Mishra"


