Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : ગુજરાતી મીડિયામાં સૌથી પહેલી Gujarat First ની ટીમ પહોંચી કાશ્મીર, જુઓ Exclusive રિપોર્ટ

Gujarat First Ground Zero Report : 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા નિર્દયી આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતને હચમચાવી દીધું છે. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોતથી દેશભરમાં આઘાત અને આક્રોશનું મોજું ફરી વળ્યું છે.
pahalgam terror attack   ગુજરાતી મીડિયામાં સૌથી પહેલી gujarat first ની ટીમ પહોંચી કાશ્મીર  જુઓ exclusive રિપોર્ટ
Advertisement
  • પહલગામ આતંકી હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી
  • સમગ્ર કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ
  • ગુજરાત ફર્સ્ટ પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું કાશ્મીર
  • ગુજરાતી મીડિયાથી સૌથી પહેલી ટીમ પહોંચી કાશ્મીર
  • જ્યાં આતંકી હુમલો થયો ત્યાંથી ગુજરાત ફર્સ્ટનો Exclusive રિપોર્ટ
  • સેના એક એક આતંકીને વીણી વીણીને કરી રહી છે ખતમ
  • દરરોજ આતંકીઓના ઘર શોધી શોધીને કરાઇ રહ્યાં છે ધ્વસ્ત
  • સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં તમામ રસ્તાઓ સુમસામ
  • આતંકના લોકલ સાથીદારો પર સેનાની સૌથી મોટી કાર્યવાહી
  • સેનાની અલગ અલગ ટૂકડીઓનું મોટાપાયે ઓપરેશન

Gujarat First Ground Zero Report : 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના પહેલગામમાં થયેલા નિર્દયી આતંકવાદી હુમલા (Terrorist Attack) એ સમગ્ર ભારતને હચમચાવી દીધું છે. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોતથી દેશભરમાં આઘાત અને આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો પર આ હુમલાનો આરોપ લાગતાં, લોકોમાં ગુસ્સો ભડક્યો છે અને પાકિસ્તાન સાથેના તમામ સંબંધો બંધ કરવાની માંગ ઉઠી છે. આ ઘટનાએ રાષ્ટ્રીય એકતા અને આતંકવાદ સામે લડવાના સંકલ્પને વધુ મજબૂત કર્યો છે. ત્યારે આજે Gujarat First ની ટીમ કાશ્મીરમાં પહોંચી છે. જ્યાથી ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ (Channel Head of Gujarat First Dr. Vivek Kumar Bhatt) અત્યારે ત્યાનો કેવો માહોલ છે તે વિશે જણાવી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું

ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટે તાજેતરમાં કાશ્મીરની સ્થિતિ વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, હાલમાં અહીંની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે પુલવામા હુમલો જે સ્થળ પર થયો તે સ્થળ પણ બતાવ્યું અને કહ્યું કે, અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. જ્યા નજર કરો ત્યા સેનાના જવાનો જ નજરે પડી રહ્યા છે. વીડિયો જોઇને એવું પણ લાગી રહ્યું છે કે, સ્થાનિકોએ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વીડિયોમાં એક પણ સ્થાનિક જોવા મળી રહ્યો નથી. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે, સેનાએ હવે અહીંના તમામ સ્થળો પર ચાકચોબંદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. દરેક અવર-જવર કરતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ ટૂરિસ્ટ હતા તેઓ કાશ્મીર ખાલી કરી ચુક્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે તેઓ ગુજરાતના અમદાવાદ શહેરથી કાશ્મીર ફ્લાઇટમાં જઇ રહ્યા હતા ત્યારે ફ્લાઇટમાં માત્ર 3 પેસેન્જર જ હતા. જ્યારે કાશ્મીરમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, અહીં સ્થિતિને કાબુ કરવા માટે સેનાએ મોરચો સંભાળી લીધો છે. હોટલો અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે અહીંની ઇકોનોમીને મોટો ફટકો પડ્યો છે.

Advertisement

Advertisement

સેનાની આક્રમક કાર્યવાહી! ઓપરેશન ઓલઆઉટ

પહેલગામ હુમલા બાદ ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે સમગ્ર કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલઆઉટને વેગ આપ્યો. આ અભિયાન હેઠળ, સેનાએ આતંકવાદીઓ અને તેમના સ્થાનિક સહયોગીઓને નિશાન બનાવવા માટે ઘરે-ઘરે તપાસ અભિયાન શરૂ કર્યું. પુલવામા, હંદવાડા, કુલગામ અને કઠુઆ જેવા વિસ્તારોમાં સેનાની અલગ-અલગ ટુકડીઓએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ ઓપરેશનમાં આતંકવાદીઓના છુપા ઠેકાણાઓ, હથિયારોના ભંડાર અને વિસ્ફોટકો શોધીને નષ્ટ કરવામાં આવ્યા.  અત્યાર સુધીમાં 6 આતંકીઓના ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા છે.

આતંકના સ્થાનિક સહયોગીઓ પર નિશાન

આ હુમલામાં સ્થાનિક સહયોગીઓની ભૂમિકા પણ સામે આવી છે, જેમણે આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ અને માહિતી પૂરી પાડી હોવાનું જાણવા મળ્યું. સેનાએ આવા સહયોગીઓને ઓળખવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ ગુપ્તચર ટુકડીઓ ગોઠવી છે. અનંતનાગ પોલીસે જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરમાં શંકાસ્પદ આતંકવાદી સમર્થકોની ઓળખ માટે વ્યાપક તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીએ સ્થાનિક આતંકી નેટવર્કને મોટો ફટકો આપ્યો છે.

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાનું ઓપરેશન ઓલઆઉટ

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરણ વેલીમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત અને 20થી વધુ લોકો ઘાયલ થયા, જેમાં બે વિદેશી નાગરિકો અને એક ભારતીય નૌસેનાના અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામની આતંકવાદી સંગઠને લીધી, જેણે દાવો કર્યો કે આ હુમલો કાશ્મીરમાં "ડેમોગ્રાફિક ફેરફારો" સામે વિરોધ તરીકે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ભારતમાં આક્રોશનું મોજું ફેલાવ્યું અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી. આ હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ શરૂ કર્યું, જે આતંકવાદના મૂળને નષ્ટ કરવા માટેનું અત્યંત આક્રમક અભિયાન છે.

Update...

આ પણ વાંચો :  Pahalgam Terrorist Attack : ગુજરાતમાં ગેરકાયદે રહેતા 1 હજાર બાંગ્લાદેશીઓની અટકાયત

Tags :
Advertisement

.

×