Voice of Operation Sindoor : 'ઓપરેશન સિંદૂર'નો અવાજ બનેલા અધિકારીઓને સલામ, જાણો તેમના વિશે ખાસ વાત
- સમગ્ર દેશવાસી રાષ્ટ્રના મહેનતી અધિકારીઓને સલામ કરે છે
- જાણો કોણ છે DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ
- આતંકીઓને ધૂળ ચટાડનાર 2 મહિલાઓ વિશે જાણો
Voice of Operation Sindoor : 'ઓપરેશન સિંદૂર'નો અવાજ બનેલા અધિકારીઓને સલામ છે. સમગ્ર દેશવાસી રાષ્ટ્રના મહેનતી અધિકારીઓને સલામ કરે છે વિદેશ સચિવ વિક્રમ મિસરીની કાર્યદક્ષતા પર સૌને ગર્વ છે. તેમજ સેનાના કર્નલ સોફિયા કુરૈશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર પણ ગર્વ છે તથા સેનાના DGMO રાજીવ ઘઈના કાર્યોને દેશ બિરદાવે છે. DGAO એર માર્શલ ભારતીની કામગીરીને સો-સો સલામ. વાયુસેનાએ આતંકના આકાઓના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવ્યા છે. ત્યારે આવો જાણીએ આ કાર્યદક્ષ વ્યક્તિઓ વિશે ટૂંકમાં માહિતી.
જાણો કોણ છે વિક્રમ મિસરી
IFS વિક્રમ મિસરી દેશના 35માં વિદેશ સચિવ છે. 15 જુલાઈ 2024થી વિદેશ સચિવ તરીકે કાર્યરત છે. મિસરી 1989ની બેચના વિદેશ સેવા અધિકારી છે. જાન્યુઆરી 2022થી 2024 સુધી ડેપ્યુટી NSA હતા. યુરોપ, એશિયા, ઉત્તર અમેરિકામાં ફરજ બજાવી છે. વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન ડેસ્ક પર કામ કર્યુ છે. તથા 2019થી 2021 સુધી ચીનમાં ભારતના રાજદૂત હતા. સ્પેન, મ્યાનમારમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે. ઈન્દ્રકુમાર ગુજરાલ, પ્રણવ મુખરજીની ટીમમાં હતા. PMOમાં સંયુક્ત સચિવ તરીકે સેવાઓ આપી છે. તથા મનમોહનસિંહ, PM મોદીના PS હતા. IFS વિક્રમ મિસરીનો જન્મ શ્રીનગરમાં થયો હતો. શ્રીનગર અને ઉદ્યમપુરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. મિસરી ઈતિહાસમાં ઓનર્સ સાથે ગ્રેજ્યુએટ થયેલા છે તથા હિન્દી, અંગ્રેજી, કાશ્મીરી, ફ્રેન્ચ ભાષાની જાણકારી ધરાવે છે.
જાણો કોણ છે DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ
ઓક્ટોબર 2024માં આર્મી હેડક્વાર્ટરમાં DGMO બન્યા હતા. દોઢ વર્ષ શ્રીનગરની ચિનાર કોરમાં કમાન્ડિંગ ઈન ચીફ હતા. તથા LoC, કાશ્મીર ઘાટીમાં આતંકવાદને નાથવામાં મહારત છે. ત્રણ દાયકાથી વધુ સેનામાં ફરજ બજાવવાનો અનુભવ છે.ડિસેમ્બર 1989માં કુમાઉ રેજિમેન્ટમાં કમિશન થયા હતા. 33 વર્ષની કારકિર્દીમાં અનેક અભિયાનોમાં સક્રિય રહ્યા છે. રાજીવ ઘાઈએ ઓક્ટોબર 2024 માં આર્મી હેડક્વાર્ટર સાઉથ બ્લોક ખાતે DGMO તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ઘાઈએ દોઢ વર્ષ સુધી શ્રીનગરના ચિનાર કોર્પ્સ (15મી કોર્પ્સ)ના કમાન્ડિંગ ઇન ચીફ (GOC) તરીકે સેવા આપી છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને નિયંત્રણ રેખા (LOC) અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીનો નોંધપાત્ર અનુભવ છે.
જાણો કોણ છે વિંગ કમાન્ડર અવધેશ કુમાર ભારતી
વિંગ કમાન્ડર અવધેશ કુમાર ભારતીને ફ્લાઈંગ બ્રાન્ચમાં કમિશન આપવામાં આવ્યું હતું. 20 વર્ષની વિશિષ્ટ સેવા દરમિયાન, આ અધિકારીએ અનેક મહત્વપૂર્ણ સીમાચિહ્નો પાર કર્યા છે. તેઓ ફાઇટર કોમ્બેટ લીડર છે અને ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજના સ્નાતક છે. તેઓ સુખોઈ-30 એમકે સ્ક્વોડ્રનના ફ્લાઇટ કમાન્ડર હતા. તેમણે એર હેડક્વાર્ટરમાં એર ડિફેન્સ ઓપરેશન્સના સંયુક્ત નિયામક તરીકે સ્ટાફ નિમણૂક પણ સંભાળી છે. આ અધિકારીને અકસ્માત મુક્ત ઉડાન (ઉત્તમ પ્રદર્શન) માટે 'થ્રી સ્ટાર' એનાયત કરવામાં આવ્યા છે. ફરજ પ્રત્યે સમર્પણ બદલ 1997 માં CAS દ્વારા તેમની પ્રશંસા પણ કરવામાં આવી હતી.
વિંગ કમાન્ડર અવધેશ કુમાર ભારતીને 'વાયુ સેના મેડલ' એનાયત કરવામાં આવ્યું
16 ઓગસ્ટ 05 ના રોજ Wg Cdr AK ભારતીને સુખોઈ-30 MKI સ્ક્વોડ્રનના CO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુખોઈ-30 MKI ફેઝ III એરક્રાફ્ટને તાજેતરમાં જ સામેલ કરવામાં આવ્યું છે અને તેમની પાસે વિવિધ શસ્ત્ર પ્રણાલીઓને કાર્યરત બનાવવા અને તેના માટે યુક્તિઓ વિકસાવવાની ભારે જવાબદારી હતી. તેમના અસરકારક નેતૃત્વ અને નવીન અભિગમ દ્વારા, તેમણે શસ્ત્ર પ્રણાલીઓને શક્ય તેટલા ટૂંકા સમયમાં કાર્યરત બનાવી દીધી. આ બહુમુખી વિમાનમાંથી મહત્તમ લાભ મેળવવા માટે યુક્તિઓ પણ વિકસાવવામાં આવી હતી. તેમના નેતૃત્વ હેઠળ, સ્ક્વોડરૅને ગગન શક્તિ નામની વાયુસેના સ્તરની કવાયતમાં સફળતાપૂર્વક ભાગ લીધો હતો અને 'એર ડોમિનન્સ ફોર્સ' ની વિકસતી વિભાવનાને સાબિત કરવામાં મદદ કરી હતી. 2006 માં એક્સરસાઇઝ ઇન્દ્રધનુષ દરમિયાન યુનાઇટેડ કિંગડમના રોયલ એર ફોર્સ સાથે અને 2007 માં એક્સરસાઇઝ-ગરુડ દરમિયાન ફ્રેન્ચ એર ફોર્સ સાથે કસરત કર્યા પછી સ્ક્વોડરૅને પ્રશંસા પણ મેળવી હતી. ફરજ પ્રત્યેની અસાધારણ નિષ્ઠા માટે, માનનીય રાષ્ટ્રપતિ દ્વારા વિંગ કમાન્ડર અવધેશ કુમાર ભારતીને 'વાયુ સેના મેડલ' એનાયત કરવામાં આવ્યું છે.
જાણો કોણ છે વાઇસ એડમિરલ એએન પ્રમોદ - નૌકાદળના સંચાલન મહાનિર્દેશક
વાઇસ એડમિરલ એએન પ્રમોદે 15 જાન્યુઆરી 2024ના રોજ ભારતીય નૌકાદળ કામગીરીના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ ગોવાની નૌકાદળ એકેડેમીના 38મા ઇન્ટિગ્રેટેડ કેડેટ કોર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને જુલાઈ 1990માં નૌકાદળમાં કમિશન્ડ થયા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું, "22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી તરત જ, આપણા નૌકાદળના કેરિયર બેટલ ગ્રુપ, સબમરીન, સરફેસ ફોર્સ અને એવિએશન યુનિટ્સને ઉત્તર અરબી સમુદ્રમાં સંપૂર્ણ લડાઇ તૈયારીમાં તૈનાત કરવામાં આવ્યા હતા." નૌકાદળના મહાનિર્દેશક વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું હતું કે નૌકાદળો ઉત્તર અરબી સમુદ્રમાં "પ્રતિરોધક" સ્થિતિમાં તૈનાત છે અને અમારા દ્વારા પસંદ કરાયેલા સમયે કરાચી સહિત સમુદ્ર અને જમીન પર પસંદગીના લક્ષ્યો પર હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) એ વધુમાં માહિતી આપી હતી કે નૌકાદળે આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર અરબી સમુદ્રમાં અનેક શસ્ત્રોના ફાયરિંગ દરમિયાન રણનીતિ અને પ્રક્રિયાઓનું સમુદ્રી પરીક્ષણ કર્યું હતું.
જાણો કોણ છે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, ઓપરેશન સિંદૂરને લઈને થઇ રહી છે ચર્ચા
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી ઓપરેશન સિંદૂર પર મીડિયા બ્રીફિંગમાં IAFના એક શ્રેષ્ઠ હેલિકોપ્ટર પાઈલટ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે સહ-નેતૃત્વ કર્યું હતું. પહેલગામમાં 26 ભારતીય પ્રવાસીઓની હત્યાના બદલામાં આ હુમલાઓ કરવામાં આવ્યા હતા. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને 2500 થી વધુ ઉડાન કલાકોનો અનુભવ છે. તેમણે જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર પૂર્વ સહિતના કેટલાક સૌથી પડકારજનક વિસ્તારોમાં ચેતક અને ચિત્તા જેવા હેલિકોપ્ટર ઉડાવ્યા છે. વ્યોમિકા સિંહે અનેક બચાવ કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, ખાસ કરીને નવેમ્બર 2020 માં અરુણાચલ પ્રદેશમાં એક મહત્વપૂર્ણ બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. આ મિશન ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા જ્યાં હવામાન પ્રતિકૂળ હતું અને દૂરના સ્થળોએ બચાવ કામગીરી કરવામાં આવી હતી, જ્યાં હવાઈ સહાયે જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વ્યોમિકા સિંહે પડકારજનક મિશનમાં પણ ભાગ લીધો
પોતાની ઓપરેશનલ ફરજો ઉપરાંત, વ્યોમિકા સિંહે પડકારજનક મિશનમાં પણ ભાગ લીધો છે. 2021માં તે 21650 ફૂટની ઊંચાઈ પર આવેલા માઉન્ટ મણિરંગ પર ત્રણેય સેવાઓના તમામ મહિલાઓ દ્વારા યોજાયેલા પર્વતારોહણ અભિયાનનો ભાગ હતી. આ સિદ્ધિને વાયુસેનાના વડા સહિત વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ સ્વીકારી હતી. અહેવાલ મુજબ, તે સશસ્ત્ર દળોમાં જોડાનાર તેના પરિવારની પ્રથમ મહિલા બની. વ્યોમિકા સિંહે ધ્યાન અને દૃઢ નિશ્ચય સાથે પોતાના સ્વપ્નને સાકાર કર્યું. તેણી શાળામાં જ નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) માં જોડાયા, જેનાથી તેમણે લશ્કરી જીવનનો શરૂઆતનો અનુભવ મળ્યો. પાછળથી તેમણે ટેકનિકલ પૃષ્ઠભૂમિ બનાવવા માટે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. વ્યોમિકા સિંહને 18 ડિસેમ્બર 2004ના રોજ ભારતીય વાયુસેનામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે 21મા SSC (મહિલા) ફ્લાઈંગ પાયલટ કોર્સ હેઠળ તાલીમ મેળવી હતી. આ શોર્ટ સર્વિસ કમિશન કોર્સ છે જે ખાસ કરીને મહિલા અધિકારીઓ માટે રચાયેલ છે.
વ્યોમિકા સિંહ 2017માં વિંગ કમાન્ડર બન્યા
વ્યોમિકા સિંહને 18 ડિસેમ્બર 2017 ના રોજ, તેમના 13મા વર્ષમાં વિંગ કમાન્ડરના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. આ પ્રમોશન તેમની પ્રતિબદ્ધતા, કાર્યક્ષમતા અને ઉત્તમ સેવાનો પુરાવો છે. વિંગ કમાન્ડર વ્યોમિકા ભારતીય વાયુસેનામાં મહિલા અધિકારીઓની વધતી જતી ભૂમિકાનું પ્રતીક છે.
Colonel Sophia Qureshi: ગુજરાતની વતની છે ‘ઓપરેશન સિંદૂર’ને લીડ કરનાર આ અધિકારી ! જાણો સમગ્ર માહિતી
પાકિસ્તાન આતંકીઓને ધૂળ ચટાડનાર આ 2 મહિલામાંથી એક મહિલા અધિકારી લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી એક ગુજરાતી છે. તે ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સના અધિકારી છે. ભારતે 15 દિવસ પહેલા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે મોટી કાર્યવાહી કરી અને 6 અને 7 મે 2025 ની રાત્રે પાકિસ્તાન દ્વારા કબજા હેઠળના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ આતંકવાદી ઠેકાણા તોડી પાડવામાં આવ્યા. તે જ સમયે, ભારતીય સેનાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. ત્યારે આ કોન્ફરન્સમાં માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશીએ પહેલગામ હુમલાના પીડિતોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર દ્વારા નક્કર પગલાં લેવાની વાત કરી ત્યારે તમને જણાવી દઈએ કે પાકિસ્તાન આતંકીઓને ધૂળ ચટાડનાર આ 2 મહિલા માંથી એક મહિલા અધિકારી લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી એક ગુજરાતી છે.
ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સના અધિકારી છે
ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સના અધિકારી છે, જેમણે વર્ષ 2006 માં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ કામગીરીમાં પણ કામ કર્યું છે. અહીં તેમણે યુદ્ધવિરામનું નિરીક્ષણ કર્યું હતું અને માનવતાવાદી મિશનમાં મદદ કરી હતી. ગુજરાતના લેફ્ટનન્ટ કર્નલ કુરેશી પાસે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતક ડિગ્રી છે. સોફિયા કુરેશી મૂળ ગુજરાતના છે. તેમનો જન્મ 1981માં ગુજરાતના વડોદરામાં થયો હતો. તેમણે બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ગુજરાતની રહેવાસી સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે અને તેમણે પોતાની કારકિર્દીમાં આવા ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે, જે મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા, જે આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં સેવા આપે છે. તેમને નવ વર્ષનો પુત્ર છે.
સોફિયા એક લશ્કરી પરિવારમાંથી આવે છે
સોફિયા એક લશ્કરી પરિવારમાંથી આવે છે. તેના દાદા ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે અને તેના પિતાએ પણ થોડા સમય માટે આર્મીમાં સેવા આપી હતી. આ લશ્કરી પૃષ્ઠભૂમિને કારણે, સોફિયાએ બાળપણથી જ સૈનિક બનવાનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1999 માં, તેણીને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA) દ્વારા આર્મીમાં કમિશન મળ્યું. આ પછી, તેણીને દેશના વિવિધ ભાગોમાં પોસ્ટ કરવામાં આવી, જેમાં બળવાખોરી વિરોધી ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. સોફિયા કુરેશીને શાંતિ રક્ષા કામગીરીનો પણ અનુભવ છે. વર્ષ 2006 માં, તેણીએ કોંગો (આફ્રિકા) માં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, તેણીએ ઓપરેશન પરાક્રમ દરમિયાન પંજાબ સરહદ પર કામ કર્યું હતું. તે જ સમયે, ઉત્તરપૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેમણે સંદેશાવ્યવહાર કાર્યને સિગ્નલ ઓફિસર-ઇન-ચીફ પ્રશંસા કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.
સોફિયા એકમાત્ર મહિલા અધિકારી હતા જેણે ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું
લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી વિદેશી લશ્કરી કવાયતનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી છે. માર્ચ 2016 માં, સોફિયા કુરેશીએ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ ભારતીય મહિલા અધિકારી બનીને ઇતિહાસ રચ્યો. 'એક્સરસાઇઝ ફોર્સ 18' નામની આ કવાયત 2 માર્ચ થી 8 માર્ચ, 2016 દરમિયાન પુણેમાં યોજાઈ હતી. તે ભારત દ્વારા આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી લશ્કરી કવાયત હતી. વિવિધ દેશોની સાથે, ભારત, જાપાન, ચીન, રશિયા, અમેરિકા, કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સેનાઓએ તેમાં ભાગ લીધો હતો. આ કવાયતમાં કુલ 18 લશ્કરી ટુકડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી સોફિયા એકમાત્ર મહિલા અધિકારી હતા જેણે ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું.
આ પણ વાંચો: Gujarat Weather News : ગુજરાતમાં વરસાદ મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી