ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેજરીવાલને યૂપી-બિહારથી વધારે ગુજરાત ચૂંટણીમાં રસ કેમ?

ગુજરાતમાં ધામા નાંખનારા અરવિંદ કેજરીવાલ બિહારની ચૂંટણીને કેમ કરી રહ્યાં છે નજરઅંદાજ
06:01 PM Jul 23, 2025 IST | Mujahid Tunvar
ગુજરાતમાં ધામા નાંખનારા અરવિંદ કેજરીવાલ બિહારની ચૂંટણીને કેમ કરી રહ્યાં છે નજરઅંદાજ

રાજનીતિ સ્પેશ્યલ: બિહારની ચૂંટણી એકદમ નજીક છે એટલે વર્તમાન સમયમાં તો બિહારની ચૂંટણી ખુબ જ મહત્વપૂર્ણ છે. બિહાર પછી પશ્ચિમ બંગાળ અને કેરલનો નંબર આવે છે. જે ચૂંટણી નજીક હોય તેને બધા મહત્વ આવે તે સ્વભાવિક પણ છે અને આપવું પણ જોઈએ. પરંતુ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાર પર આવી ગયા છે. ગુજરાતમાં બિહાર અને બંગાળ પછી 2027માં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

નિશ્ચિત રીતે ઉપચૂંટણીમાં ગુજરાતની વિસાવદરની સીટ જીત્યા પછી અરવિંદ કેજરીવાલનું કર્તવ્ય બને છે કે તેઓ ત્યાંના લોકોની સમસ્યાઓને સમજે. મુશ્કેલ સમયમાં ગુજરાતના લોકો વચ્ચે હાજર રહે. આવું કરવાથી લોકોનો સાથે અરવિંદ કેજરીવાલને મળી શકે છે અને આમ આદમી પાર્ટીને બીજેપી વિરૂદ્ધ ગુજરાતમાં તક પણ મળશે.

પરંતુ જ્યાં પહેલા ચૂંટણી થઈ રહી છે, તે વિસ્તારને છોડીને ગુજરાત માટે બે દિવસનો પ્રવાસ ચોંકાવનાર જ ગણાઇ શકે. ઠિક છે કે, અરવિંદ કેજરીવાલ રાજનીતિ કરી રહ્યા છે અને તેમને તે કરવાનો હક પણ છે. આમ પણ રાજનીતિ ત્યાં જ કરવી જોઈએ જ્યાં આશા હોય અને પ્રભાવ હોય, પરંતુ મોટો પ્રશ્ન તે છે કે, શું યૂપી અને બિહારથી અરવિંદ કેજરીવાલને કોઈ જ આશા નથી?

જો બિહારથી અરવિંદ કેજરીવાલને કોઈ જ આશા નથી તો રાજ્યની બધી જ 243 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાતનો અર્થ શું છે? આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહના પ્રવાસ પછી અરવિંદ કેજરીવાલ પણ બિહારની બધી વિધાનસભા સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે પરંતુ તે પછીનો શું પ્લાન છે?

સૌથી મોટો પ્રશ્ન તે છે કે શું દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને યૂપી અને બિહાર ચૂંટણી-રાજનીતિમાં જરાપણ રસ નથી. જો તેમને રસ નથી તો આમ આદમી પાર્ટી દ્વારા બિહારની બધી જ સીટો પર ચૂંટણી લડવાનો શું અર્થ છે?

બિહારમાં ચૂટણીના રાજકીય રીતે ગરમ માહોલ વચ્ચે કેજરીવાલનો ગુજરાત પ્રવાસ

ગુજરાતના મોડાસામાં આમ આદમી પાર્ટી તરફથી ખેડૂત-પશુપાલકો વચ્ચે મહાપંચાયતોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપંચાયતમાં આપના નેતા અરવિંદ કેજરીવાલની સાથે-સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પહોંચ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલે સોશિયલ સાઈટ એક્સ પર લખ્યું કે તેઓ ગુજરાતમાં પોતાના દૂધના યોગ્ય ભાવ માંગી રહેલા ખેડૂત પશુપાલકોને સપોર્ટ કરશે.

અરવિંદ કેજરીવાલે લખ્યું કે, ગુજરાતમાં પોતાના દૂધના યોગ્ય ભાગ માંગી રહેલા ખેડૂત પશુપાલકોના પ્રદર્શન પર બીજેપી સરકાર લાઠી ચાર્જ કરી દીધું. એક ખેડૂતનું મોત થઈ ગયું. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવવા પર આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાની ધરપકડ કરી લેવામાં આવી છે. 30 વર્ષના શાસન પછી આજે ગુજરાતમાં બીજેપીનો અહંકાર અને ભ્રષ્ટાચાર ચરમ પર છે.

જ્યારે અરવિંદ કેજરીવાલ પંજાબના લુધિયાના વેસ્ટ ઉપચૂંટણની તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યારે આમ આદમી પા્રટીના આગામી બે વર્ષના ચૂંટણી પ્લાનને લઈને સમાચાર આવ્યા હતા. કહેવામાં આવ્યું હતુ કે, આગામી બે વર્ષમાં દેશમાં જેટલી પણ વિધાનસભાની ચૂંટણીઓ થશે, આમ આદમી પાર્ટી લડશે. રિપોર્ટ અનુસાર, જે રાજ્યોમાં ચૂંટણી થવાની હતી, તેમને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક કેટેગરીમાં તેવા રાજ્યોને રાખવામાં આવ્યો, જેમાં અરવિંદ કેજરીવાલ પોતે ચૂંટણી કેમ્પનને લીડ કરશે અને બીજી કેટેગરીમાં તેવા રાજ્યો સામેલ છે,જ્યાં આમ આદમી પાર્ટી ક્ષેત્રિય નેતાઓના ભરોશે જ ચૂંટણી લડશે. આમાં ખાસ વાત તે છે કે, બિહારને બીજી કેટેગરીમાં રાખવામાં આવ્યું છે.

યૂપી-બિહારની ચૂંટણીની રાજનીતિ કરવાથી અચકાય છે કેમ?

તે આશ્ચર્યજનક નથી લાગતું કે જ્યારે પેટાચૂંટણીની તારીખ પણ આવી નહતી, ત્યારથી જ અરવિંદ કેજરીવાલ લુધિયાણાના વિસ્તારમાં ધાબા નાંખી દીધા હતા. તેમાંય તેમના સાથી મનીષ સિસોદિયા સહિત પોતાના નજીકના તમામ લોકોની ટીમ મહેનત કરવા લાગી જાય છે. એટલું ઓછું હોય તેવી રીતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પણ લુધિયાણાના કાર્યક્રમોમાં કામે લગાવી દેવામાં આવે છે. તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ બિહારની બધી જ સીટો પર આમ આદમી પાર્ટીની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરીને ઘરે બેસી જાય છે.

2022માં વિધાનસભા ચૂંટણી ગઠબંધન માટે સંજય સિંહ અને અખિલેશ યાદવ વચ્ચે મીટિંગ પણ થઈ હતી, પરંતુ કંઈ સહમતિ બની નહતી. 2024ની લોકસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે લખનઉમાં અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફ્રન્સ પણ કરી હતી અને સ્વાતી માલીવાલાના પ્રશ્ન પર તેમનો બચાવ પણ કર્યો હતો. 2025ની વિધાનસભા ચૂંટણીમાં તો અખિલેશ યાદવે અરવિંદ કેજરીવાલ માટે પ્રચાર પણ કર્યો હતો.

અત્યાર સુધી આમ આદમી પાર્ટી દિલ્હી ઉપરાંત ગુજરાત અને ગોવામાં પણ એક્ટિવ દેખાઈ છે. હવે ગોવા પર ઓછો ભાર મૂકવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા પછી વધારે ભાર પંજાબ પર યોગ્ય બાબત છે, પરંતુ તે પછી સીધી નજર ગુજરાત ઉપર છે.

પ્રશ્ન તે છે કે યૂપી બિહારમાં કોંગ્રેસ નબળી છે, તેથી અરવિંદ કેજરીવાલની ચૂંટણીની રાજનીતિથી દૂરી બનાવી છે? કે પછી યૂપી-બિહારની ફાસ્ટ પોલિટિક્સમાં અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીને ફિટ થતી જોઈ શકી રહ્યા નથી.

સત્ય તો તેવું જ છે કે અરવિંદ કેજરીવાલ ત્યાં જ સફળ થાય છે, જ્યાં કોંગ્રેસ પ્રભાવી હોય છે. દિલ્હીથી પંજાબ અને ગુજરાત સુધી તેવું જોવા મળ્યું છે. દિલ્હીની પ્રથમ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને 8 સીટો પર સમેટી નાંખી હતી અને પછી તે આઠ ધારાસભ્યોના સમર્થનથી પ્રથમ વખત દિલ્હીમાં સરકાર પણ બનાવી લીધી હતી, તે વાત અલગ છે કે તે સરકાર માત્ર 49 દિવસ સુધી જ ચાલી શકી હતી.

પંજાબમાં પહેલા કોંગ્રેસને ટક્કર આપીને નંબર બે પર પહોંચ્યા હતા અને પછી બીજા અટેમ્પ્ટમાં સત્તા પણ મેળવી લીધી. ગુજરાતમાં પણ 5 સીટ આમ આદમી પાર્ટીના ખાતામાં ગઈ, જે કોંગ્રેસના ભાગની હતી. 2017માં ચૂંટણીમાં બીજેપીને 100 સીટો પર રોકી દેનારા રાહુલ ગાંધીની કોંગ્રેસને અરવિંદ કેજરીવાલે 17 સીટોથી આગળ વધવા દીધા નહતા. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની 77 વિધાનસભા સીટો આવી હતી.

આ પણ વાંચો- 5 વર્ષ સુધી તકલીફો વેઠ્યા બાદ પણ લોકો ભાજપને મત આપી દે છે, જે એક ભૂલ : ગોપાલ ઈટાલિયા

Tags :
Aarvind KejrivalBJPCongressGujaratrahul-gandhi
Next Article