Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ગાંધીનગરમાં અડધી રાત્રે ગુંજ્યો બગદાણા કેસનો મુદ્દો; જાણો બળદેવજી ઠાકોરે કેમ કર્યા પરસોત્તમભાઈ સોલંકીના વખાણ?

ગાંધીનગરના આંગણે યોજાયેલા 'અભ્યુદય' સંમેલનમાં અડધી રાત્રે રાજકીય માહોલ ગરમાયો હતો. બળદેવજી ઠાકોરે પરસોત્તમ સોલંકીના ઉદાહરણ સાથે સમાજને સત્તાના શિખરે પહોંચવા જે હાકલ કરી છે, તે આગામી સમયમાં નવા સમીકરણો રચી શકે છે. બગદાણા કેસમાં થયેલી ધરપકડો અને ઠાકોર સમાજના મંચ પરથી અપાયેલા નિવેદનો પાછળનો અસલી ખેલ શું છે? આ ગંભીર રાજકીય વળાંકની પૂરી વિગત જાણવા વાંચો અહેવાલ.
ગાંધીનગરમાં અડધી રાત્રે ગુંજ્યો બગદાણા કેસનો મુદ્દો  જાણો બળદેવજી ઠાકોરે કેમ કર્યા પરસોત્તમભાઈ સોલંકીના વખાણ
Advertisement
  • ઠાકોર મહાસંમેલનમાં બળદેવજી ઠાકોરનું પરસોત્તમભાઈ સોલંકી અંગે મોટું નિવેદન
  • ગાંધીનગરમાં 'અભ્યુદય' સંમેલનમાં બગદાણા હુમલા કેસના પડ્યા ઘેરા પડઘા
  • "સમાજ માટે પરસોત્તમભાઈ સોલંકી બનવામાં કચાશ ન રાખતા" - બળદેવજી ઠાકોર
  • સત્તા મેળવવા અને એકતા જાળવવા ઠાકોર સમાજના અગ્રણીઓની સૂરપુરાવણી
  • બગદાણા કેસમાં SIT ની કાર્યવાહી: જયરાજ આહિરની ધરપકડ બાદ જેલ હવાલે

abhyudaya sammelan baldevji statement : ગાંધીનગરના રામકથા મેદાનમાં આયોજિત ક્ષત્રિય ઠાકોર સમાજના 'અભ્યુદય' (Abhyudaya) મહાસંમેલનમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અડધી રાત્રે 3 વાગ્યે હજારોની મેદની વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ અને એકતાની સાથે ભાવનગરના ચર્ચિત બગદાણા હુમલા કેસ (Bagdana Attack Case) ના પડઘા પડ્યા હતા. અલ્પેશભાઈ ઠાકોર (Alpesh Thakor) ની આગેવાની હેઠળની 'ક્ષત્રિય ઠાકોર સેના' દ્વારા આ શક્તિ પ્રદર્શન યોજાયું હતું.

"સમાજ માટે પરસોત્તમભાઈ સોલંકી બનો" - બળદેવજી ઠાકોર

સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Baldevji Thakor) એ અત્યંત ગંભીર અને રાજકીય સૂચિતાર્થો ધરાવતું નિવેદન આપ્યું હતું. તેમણે સમાજને સંબોધતા કહ્યું કે, "જ્યારે પણ સમાજને જરૂર પડે, ત્યારે આપણે પરસોત્તમભાઈ સોલંકી (Parshottam Solanki) જેવા બનવું પડશે. સમાજ હિત માટે 'પરસોત્તમ' બનવામાં કોઈ કચાશ ન રાખવી જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું કે સત્તા વગર સમાજનું ભવિષ્ય સુરક્ષિત નથી, માટે સમાજ પાસે રાજકીય સત્તા હોવી અનિવાર્ય છે. આ નિવેદનને બગદાણા કેસમાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પીડિત નવનીત બાલધિયા (Navnit Baldhiya) ને આપેલા ખુલ્લા સમર્થન સાથે જોડીને જોવામાં આવે છે.

Advertisement

Advertisement

બગદાણા કેસ અને તાજેતરની કાર્યવાહી

બગદાણા હુમલા કેસમાં કાયદાકીય શિકંજો કસાયો છે. તપાસ કરી રહેલી SIT એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર (Jayraj Ahir) ની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો છે. પોલીસે આ કેસમાં વધુ 2 આરોપીઓને પણ ઝડપી લીધા છે. ઉલ્લેખનીય છે કે, પરસોત્તમભાઈ સોલંકીએ નવનીત બાલધિયાની મુલાકાત લઈને ન્યાયની ખાતરી આપી હતી, જેનાથી કોળી અને અન્ય પછાત સમાજોમાં તેમની લોકપ્રિયતામાં ઉછાળો આવ્યો છે.

સામાજિક સુધારણાનો સંકલ્પ

સંમેલનમાં હાજર અન્ય અગ્રણીઓ જેવા કે શોભનાબેન બારૈયા, ચંદનજી ઠાકોર (Chandanji Thakor) અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી (Raman Solanki) એ પણ સમાજને શિક્ષણ પર ધ્યાન આપવા અને કુરિવાજો તેમજ ખોટા ખર્ચાઓ ત્યાગવા અપીલ કરી હતી. અલ્પેશભાઈ ઠાકોરની આ 'અભ્યુદય' ઇવેન્ટે ઠાકોર સમાજમાં નવી રાજકીય અને સામાજિક ચેતના જગાવી છે.

આ પણ વાંચો : Abhyudaya Sankalp Sammelan : ગાંધીનગરમાં નેતાઓની ગર્જના; અભ્યુદય સંકલ્પ સંમેલનમાં આવેલા મહેમાનોએ શું કહ્યું?

Tags :
Advertisement

.

×