ગાંધીનગરમાં અડધી રાત્રે ગુંજ્યો બગદાણા કેસનો મુદ્દો; જાણો બળદેવજી ઠાકોરે કેમ કર્યા પરસોત્તમભાઈ સોલંકીના વખાણ?
ગાંધીનગરના આંગણે યોજાયેલા 'અભ્યુદય' સંમેલનમાં અડધી રાત્રે રાજકીય માહોલ ગરમાયો હતો. બળદેવજી ઠાકોરે પરસોત્તમ સોલંકીના ઉદાહરણ સાથે સમાજને સત્તાના શિખરે પહોંચવા જે હાકલ કરી છે, તે આગામી સમયમાં નવા સમીકરણો રચી શકે છે. બગદાણા કેસમાં થયેલી ધરપકડો અને ઠાકોર સમાજના મંચ પરથી અપાયેલા નિવેદનો પાછળનો અસલી ખેલ શું છે? આ ગંભીર રાજકીય વળાંકની પૂરી વિગત જાણવા વાંચો અહેવાલ.
Advertisement
- ઠાકોર મહાસંમેલનમાં બળદેવજી ઠાકોરનું પરસોત્તમભાઈ સોલંકી અંગે મોટું નિવેદન
- ગાંધીનગરમાં 'અભ્યુદય' સંમેલનમાં બગદાણા હુમલા કેસના પડ્યા ઘેરા પડઘા
- "સમાજ માટે પરસોત્તમભાઈ સોલંકી બનવામાં કચાશ ન રાખતા" - બળદેવજી ઠાકોર
- સત્તા મેળવવા અને એકતા જાળવવા ઠાકોર સમાજના અગ્રણીઓની સૂરપુરાવણી
- બગદાણા કેસમાં SIT ની કાર્યવાહી: જયરાજ આહિરની ધરપકડ બાદ જેલ હવાલે
abhyudaya sammelan baldevji statement : ગાંધીનગરના રામકથા મેદાનમાં આયોજિત ક્ષત્રિય ઠાકોર સમાજના 'અભ્યુદય' (Abhyudaya) મહાસંમેલનમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અડધી રાત્રે 3 વાગ્યે હજારોની મેદની વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ અને એકતાની સાથે ભાવનગરના ચર્ચિત બગદાણા હુમલા કેસ (Bagdana Attack Case) ના પડઘા પડ્યા હતા. અલ્પેશભાઈ ઠાકોર (Alpesh Thakor) ની આગેવાની હેઠળની 'ક્ષત્રિય ઠાકોર સેના' દ્વારા આ શક્તિ પ્રદર્શન યોજાયું હતું.

