રાષ્ટ્રીય શોકને પગલે ગૃહમંત્રી અમિતભાઇ શાહનો NFSU નો કાર્યક્રમ મોકૂફ, દહેગામ APMC નું લોકાર્પણ યથાવત રહેશે
NFSU Interpol Meeting Gandhinagar: કતાર (Qatar) ના પૂર્વ અમીરના નિધનથી ભારતમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાતા ગૃહમંત્રી અમિતભાઇ શાહનો NFSU ખાતેનો ઇન્ટરપોલ (Interpol) બેઠકનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. જો કે, દહેગામ APMC (Dahegam APMC) ના નવનિર્મિત શાક માર્કેટનું લોકાર્પણ અને અમૃત મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ પૂર્વવત ચાલુ રહેશે.
Advertisement
NFSU Interpol Meeting Gandhinagar: કેન્દ્રીય ગૃહ મંત્રી (Union Home Minister) અમિતભાઇ શાહ (Amit Shah) નો ગુજરાત પ્રવાસનો આજનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. કતાર (Qatar) ના પૂર્વ અમીર (Former Amir) શેખ હમદ બિન ખલીફા અલ થાની (Sheikh Hamad bin Khalifa Al Thani) નું તાજેતરમાં નિધન થયું છે. આ દુઃખદ અવસાનને પગલે ભારત સરકાર (Government of India) દ્વારા દેશભરમાં એક દિવસનો સત્તાવાર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે ગૃહમંત્રીના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

