PM મોદીના આગમનને પગલે Metro Rail Timing માં ફેરફાર, મુસાફરી કરતા પહેલા આ વાંચી લેજો
- PM Modi Gujarat Visit ને લઈને તૈયારીઓ તેજ
- PMના કાર્યક્રમને લઈ ગાંધીનગર મેટ્રોના સમયમાં ફેરફાર
- આવતીકાલે કોટેશ્વર રોડથી GNLU સુધી મેટ્રો બંધ
- સવારના 9:30થી 11 વાગ્યા સુધી મેટ્રોનું સંચાલન થશે
- સવારના 11 વાગ્યા બાદ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે
- ઈન્ફોસિટીથી મહાત્મા મંદિર સુધી પણ મેટ્રો રહેશે બંધ
- સવારે 11:30થી 12:15 સુધી મેટ્રો સેવા રહેશે બંધ
- 12:15 બાદ મેટ્રો ફરી રાબેતા મુજબ કાર્યરત થશે
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર (Gandhinagar) મેટ્રો રેલના સમયપત્રક (Metro Rail Timing) માં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વડાપ્રધાનના રૂટ અને કાર્યક્રમ સ્થળની આસપાસના સ્ટેશનો પર મેટ્રો સેવા અમુક કલાકો માટે સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે.
Metro Rail Timing- કોટેશ્વર રોડથી GNLU સુધી સંચાલન ખોરવાશે
આવતીકાલે સવારથી જ સુરક્ષા એજન્સીઓ દ્વારા રિહર્સલ અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. જેના ભાગરૂપે કોટેશ્વર રોડ (Koteshwar Road) થી GNLU (Gujarat National Law University) સુધીના રૂટ પર મેટ્રો સેવા સવારના સમયે બંધ રહેશે. મુસાફરોએ ખાસ નોંધ લેવી કે સવારે 9:30 થી 11:00 વાગ્યા સુધી જ આ રૂટ પર મેટ્રોનું સંચાલન થશે. ત્યારબાદ વડાપ્રધાનના પ્રોટોકોલને કારણે 11 વાગ્યા પછી આ રૂટ પર મેટ્રો અટકાવી દેવામાં આવશે, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ફરી રાબેતા મુજબ શરૂ થશે.
Gandhinagar Metro Update : PM Narendrabhai Modi કાર્યક્રમ લઈને Gandhinagar મેટ્રોના સમયમાં ફેરફાર | Gujarat First
કોટેશ્વર રોડ થી GNLU સુધી મેટ્રો આવતીકાલે રહેશે બંધ
સવારના 9:30 થી 11 વાગ્યા સુધી મેટ્રોનું સંચાલન થશે
સવારના 11 વાગ્યા બાદ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે
ઈન્ફોસિટી… pic.twitter.com/9ZasT6ShDy— Gujarat First (@GujaratFirst) March 30, 2026
Metro Rail Timing- મહાત્મા મંદિર અને ઇન્ફોસિટી રૂટ પર પણ અસર
ગાંધીનગરના હાર્દ સમાન ઇન્ફોસિટી (Infocity) થી મહાત્મા મંદિર (Mahatma Mandir) સુધીના મેટ્રો રૂટ પર પણ અસર જોવા મળશે. વડાપ્રધાનનો મુખ્ય કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાવાનો હોવાથી, સુરક્ષાના કારણોસર સવારે 11:30 થી બપોરે 12:15 વાગ્યા સુધી મેટ્રો સેવા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોને મેટ્રો સ્ટેશન પર પ્રવેશ મળશે નહીં. 12:15 વાગ્યા બાદ તમામ સેવાઓ ફરી પૂર્વવત કરી દેવામાં આવશે.
મુસાફરો માટે સૂચના અને વ્યવસ્થા
મેટ્રો પ્રશાસન દ્વારા મુસાફરોને અગાઉથી જાણ કરવામાં આવી છે જેથી તેમને હાલાકી ન ભોગવવી પડે. જે મુસાફરો નિયમિતપણે અમદાવાદ (Ahmedabad) થી ગાંધીનગર નોકરી કે અભ્યાસ અર્થે જાય છે, તેમણે આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે. પોલીસ કમિશનર (Police Commissioner) અને મેટ્રો રેલ કોર્પોરેશન (Metro Rail Corporation) ના સંકલનથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: PM Modi Gujarat Visit: જૈન મ્યુઝિયમથી લઈને સેમિકન્ડક્ટર પ્લાન્ટ સુધીના વિકાસ કાર્યોની ભેટ


