Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: જો બાળક શાળાએ નહીં જાય તો શિક્ષકો આવશે ઘરે, શું આ રીતે ઘટશે ડ્રોપ આઉટ રેશિયો?

ગુજરાત સરકારે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ડ્રોપ આઉટ બાળકોને ફરી શિક્ષણમાં જોડવા કડક આદેશો આપ્યા છે. DEO અને આચાર્યોને 31 મે સુધીમાં નામાંકન પૂર્ણ કરવા અને વાલીઓની રૂબરૂ મુલાકાત લેવાની સૂચના અપાઈ છે. પ્રી અને પોસ્ટ સર્વે ઓનલાઈન ભરીને પારદર્શિતા જાળવવાની સાથે જિલ્લાવાર યાદી મુજબ કામગીરી કરવા તંત્ર સજ્જ બન્યું છે.
gandhinagar  જો બાળક શાળાએ નહીં જાય તો શિક્ષકો આવશે ઘરે  શું આ રીતે ઘટશે ડ્રોપ આઉટ રેશિયો
Advertisement
  • Gandhinagar: શાળા પ્રવેશોત્સવને લઈ એક્શન મોડમાં સરકાર
  • DEO અને DPEO, આચાર્યોને આપવામાં આવ્યો કડક આદેશ
  • ડ્રોપ આઉટ બાળકોને ફરી સ્કૂલમાં લાવવા તંત્ર સજ્જ

Gandhinagar: ગુજરાત સરકાર આગામી શાળા પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે અત્યારે સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ આદેશોનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ અધવચ્ચે છોડી દેનારા એટલે કે 'ડ્રોપ આઉટ' (Drop-out) વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં લાવવાનો છે. તંત્ર દ્વારા આ વર્ષે શૂન્ય ટકા ડ્રોપ આઉટ રેશિયો હાંસલ કરવા માટે વહીવટી માળખાને સજ્જ કરવામાં આવ્યું છે, જેથી દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળી રહે.

કાગળો પર નહીં, પણ વાસ્તવિક સ્તરે કામગીરી કરવા તાકીદ

આદેશ આપ્યો છે કે આગામી 31 મે સુધીમાં તમામ ડ્રોપ આઉટ બાળકોનું શાળાઓમાં નામાંકન (Registration) થઈ જવું જોઈએ. આ પ્રક્રિયાને વેગ આપવા માટે માત્ર સરકારી કાગળો પર જ નહીં, પરંતુ વાસ્તવિક સ્તરે કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે. શાળાના આચાર્યો (Principals) અને શિક્ષકોએ વ્યક્તિગત રીતે ડ્રોપ આઉટ બાળકોના વાલીઓની (Parents) રૂબરૂ મુલાકાત લેવી પડશે. આ મુલાકાત દરમિયાન વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી, બાળક શા માટે શાળાએ જતું નથી તે કારણો જાણીને તેને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

Advertisement

પ્રી-સર્વે અને પોસ્ટ-સર્વેના ફોર્મ ઓનલાઈન ભરવા સૂચના

આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને ચોકસાઈ જાળવવા માટે સરકારે ટેકનોલોજીનો (Technology) મહત્તમ ઉપયોગ કરવા સૂચના આપી છે. દરેક શાળાએ પ્રી-સર્વે (Pre-survey) અને પ્રવેશ બાદનો પોસ્ટ-સર્વે (Post-survey) ફોર્મ ફરજિયાતપણે ઓનલાઈન પોર્ટલ પર ભરવાના રહેશે. આ ડિજિટલ ડેટાના આધારે સરકાર રીઅલ-ટાઇમ મોનિટરિંગ (Real-time monitoring) કરશે, જેથી કયા જિલ્લામાં કેટલી કામગીરી થઈ છે તેની સચોટ માહિતી મળી શકે. આ કડક અમલીકરણ પાછળનો હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો છે.

Advertisement

શિક્ષણમાં કોઈ બાંધકામ છોડવા તૈયાર નહીં સરકાર

તંત્ર દ્વારા ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની જિલ્લાવાર યાદી તૈયાર કરીને જે તે શાળાઓને સોંપી દેવામાં આવી છે. આ યાદીના આધારે હવે શિક્ષકોએ 'ગામડા ખૂંદીને' બાળકોને શોધવાના રહેશે.  સરકારનો આ અભિગમ સાબિત કરે છે કે તે શિક્ષણ ક્ષેત્રે (Education sector) કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. આમ, વહીવટી તંત્ર, શિક્ષકો અને વાલીઓના સામૂહિક પ્રયાસોથી જ્ઞાન શક્તિનું આ અભિયાન સફળ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Gariyadhar માં લાખોના ખર્ચે બનેલો અટલજી જોગર્સ પાર્ક ખંડેર હાલતમાં! જવાબદાર કોણ?

Tags :
Advertisement

.

×