Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

4 સિંહ બાળના મૃત્યુ બાદ સઘન મોનિટરિંગ શરૂ, CM એ યોજી બેઠક

ગીરના જંગલોમાં 4 સિંહ બાળના મૃત્યુ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો. વન વિભાગે 17 સિંહોને આઇસોલેટ કરી સઘન મોનિટરિંગ શરૂ કર્યું છે. ઉનાળુ બીમારી સામે રક્ષણ આપવા 350થી વધુ સિંહોનું ડી-ટીકીંગ કરવામાં આવ્યું છે. વેટરનરી કોલેજના નિષ્ણાતોની મદદથી તમામ સિંહોના સ્વાસ્થ્યની સતત તપાસ કરવામાં આવી રહી છે.
4 સિંહ બાળના મૃત્યુ બાદ સઘન મોનિટરિંગ શરૂ  cm એ યોજી બેઠક
Advertisement

ગુજરાતના ગૌરવ સમાન ગીરના સિંહોની સુરક્ષા અને તેમના સ્વાસ્થ્યને લઈને રાજ્ય સરકાર અત્યંત ગંભીર બની છે. તાજેતરમાં ગીર વિસ્તારમાં 4 સિંહ બાળ (Lion Cubs) ના અકાળે થયેલા મૃત્યુને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. આ બેઠકમાં તેમણે સમગ્ર ઘટના અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને વન વિભાગને સખત સૂચનાઓ આપી હતી.

4 સિંહ બાળના મૃત્યુ

વન અને પર્યાવરણ અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જે 4 સિંહ બાળના મૃત્યુ થયા છે, તે અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયા છે. સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં તે વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ (Isolate) કરવામાં આવ્યા છે, જેથી તેમની યોગ્ય સારવાર અને કાળજી લઈ શકાય. ખાસ કરીને ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહો પર વન વિભાગની ટીમ બાજ નજર રાખી રહી છે. સદનસીબે, હાલમાં કોઈ અન્ય સિંહમાં ગંભીર બીમારીના લક્ષણો (Symptoms of illness) જોવા મળ્યા નથી.

Advertisement

CM GujaratFirst (3)

Advertisement

350 થી વધુ સિંહોનું હેલ્થ ચેકઅપ

આ ઉપરાંત, અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારોમાં પણ વન વિભાગ દ્વારા સઘન નિરીક્ષણ (Intensive monitoring) કરવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા આ તમામ સિંહોનો દૈનિક અહેવાલ (Daily report) મેળવવામાં આવે છે. ઉનાળાની શરૂઆતમાં અવારનવાર જોવા મળતી સીઝનલ બીમારીઓ (Seasonal diseases) સામે રક્ષણ મેળવવા માટે વન વિભાગે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના ભાગરૂપે ગીર વિસ્તારના 350 થી વધુ સિંહોના ડી-ટીકીંગ  સહિતના આરોગ્યલક્ષી પગલાંઓ હાથ ધરવામાં આવ્યા છે, જેની વિગતવાર માહિતી મુખ્યમંત્રીને આપવામાં આવી.

cm GujaratFirst (3)

નિષ્ણાંત તબીબોની મદદ લેવાઈ

અગ્ર મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંઘે જણાવ્યું હતું કે, સિંહોના સ્વાસ્થ્યની તપાસ અને સારવારની કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજ (Junagadh Veterinary College) ના નિષ્ણાંત તબીબોની મદદ લેવામાં આવી રહી છે, જેથી સિંહોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે. આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને મુખ્યમંત્રીના સચિવ ડૉ. અજયકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર ગીરના જંગલોમાં વસતા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી અને તેમના સ્વાસ્થ્ય માટે સતત પગલાં લઈ રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad Firing Case: નહેરુનગરમાં નિવૃત્ત DySP દ્વારા જાહેરમાં ફાયરિંગ

Tags :
Advertisement

.

×