DyCM Harshbhai Sanghavi : "પહેલા ખેડૂતોના રૂપિયા બેંકમાં દલાલો પાસે જતા હતા"
- આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી કાકર ગામે પહોંચ્યા
- માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો
- આઝાદીથી પીએમ મોદીના શાસન આવ્યું ત્યાં સુધી ખેડૂતોને રૂપિયો મળતો નહતો - હર્ષભાઇ
DyCM Harshbhai Sanghavi : આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી બનાસકાંઠાની મુલાકાતે છે. જ્યાં તેમણે કાકર ગામે સંબોધન કર્યું છે. જેમાં હર્ષભાઇ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પહેલા ખેડૂતોના પૈસા પહેલા બેંકમાં દલાલો પાસે જતા હતા. દલાલો પોતાની દલાલી લઇને રૂપિયા આપતા હતા. બનાસકાંઠાની મુલાકાતે પહોંચેલા હર્ષભાઇ સંઘવીના હસ્તે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
DyCM Harshbhai Sanghavi | "અત્યારના યુવાનોને ખબર નથી કે
પહેલા ખેડુતો સાથે શું થતું હતું" | Gujarat Firstનાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બનાસકાંઠાની મુલાકાતે
થરાના કાકર ખાતે હર્ષભાઈએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર
"પહેલા ખેડૂતોના રૂપિયા બેંકમાં દલાલો પાસે જતા હતા"
"દલાલો પોતાની દલાલી… pic.twitter.com/dM6PN6ee62— Gujarat First (@GujaratFirst) December 26, 2025
અત્યારના યુવાનો ખબર નથી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી આજે બનાસકાંઠાના કાકર ગામે પહોંચ્યા છે. દરમિયાન તેમણે કુળદેવી માંશ્રી સમોર માતાજીની ભૂમિ કાકર ગામના ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. જેમાં તેમણે સંબોધનમાં કહ્યું કે, પહેલા ખેડૂતોના પૈસા પહેલા બેંકમાં દલાલો પાસે જતા હતા. દલાલો પોતાની દલાલી લઇને રૂપિયા આપતા હતા. આ વાતની જાણ અહિંયા બેઠેલા વડીલોને હશે. અત્યારના યુવાનો ખબર નથી કે, પહેલાના ખેડૂતો પાસે શું થતું હતું.
સાહેબ પીએમ બન્યા ત્યારથી ખેડૂતોને સીધા રૂપિયા આવે છે
તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યારે ખેડૂતોના સીધા જ બેંકમાં રૂ. 6 હજાર રૂપિયા આવે છે. પરિવારમાં જેટલા સભ્યો હોય તે બધાને રૂ. 6 હજાર આવે છે. આઝાદીથી પીએમ મોદીના શાસન આવ્યું ત્યાં સુધી ખેડૂતોને રૂપિયો મળતો નહતો. મોદી સાહેબ પીએમ બન્યા ત્યારથી ખેડૂતોને સીધા રૂપિયા આવે છે.
આ પણ વાંચો ----- Ahemdabad:ઉત્તરાયણ પહેલાં હાઈકોર્ટે ચાઈનીઝ દોરી સહિતના મામલે કડક અમલવારીનો આપ્યો આદેશ


