જનસુવિધામાં વધારો કરતા અનેક પ્રકલ્પોનું લોકાર્પણ
આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહકાર અને પ્રાથમિક શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા (Prafull Pansheriya) તેમજ અગ્રણી મંત્રી ઈશ્વરસિંહ પટેલ (Ishwarsinh Patel) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જનસુવિધામાં વધારો કરતા અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય આકર્ષણ તરીકે સાબરમતી નદી (Sabarmati River) પર નિર્મિત નવનિર્મિત સાદરા અલુવા બ્રિજ (Sadra Aluva Bridge) નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી આસપાસના ગ્રામજનોના અવરજવરના પ્રશ્નો કાયમ માટે હલ થઈ જશે.
Gandhinagar: સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
આ ઉપરાંત, મહુડી (Mahudi) પાસે નદી પર નવ નિર્મિત બેરેજ (Barrage) તેમજ સ્થાનિક નાગરિકો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સામુહિક આરોગ્ય કેન્દ્ર (Community Health Center) નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે માણસા શહેરી વિસ્તારમાં નાગરિકોની સુખાકારી માટે માણસા કોમ્યુનિટી હોલ (Mansa Community Hall) સહિતના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તથા નવાં કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રકલ્પો થકી માણસા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય ક્ષેત્રે મોટો સુધારો જોવા મળશે.
માણસામાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં માણસા ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી વર્ચ્યુઅલી જોડાયા હતા. પોતાના સંબોધનમાં અમિતભાઈ શાહે પ્રખ્યાત સાહિત્યકાર રઘુવીર ચૌધરીને 'માણસાનું રત્ન' ગણાવી તેમની યાદગીરી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવ્યાનું જણાવ્યું હતું. માણસામાં ભૂતકાળમાં પાણીના તળ હજારો ફૂટ નીચે જતા રહ્યા હોવાની વાત યાદ કરી તેમણે કહ્યું હતું કે લાખરોટા-રાજપૂર બેરેજ અને આસપાસ બની રહેલા કુલ ચાર નવા બેરેજથી જળસ્તર ઊંચા આવશે. આ કાર્યક્રમમાં સાદરા-અલુવા બ્રિજ, મહુડી બેરેજ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હોલ જેવા મહત્વના પ્રકલ્પો લોકાર્પિત કરવામાં આવ્યા હતા. માણસાના વતની તરીકે પ્રદેશને આ તમામ વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ તેમણે મુખ્યમંત્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Navsari: કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતી, 15 ગામોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા