ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat News: તૂટતા બ્રિજ-બેરોજગારી અટકાવવા ભાજપે રાજીનામું આપવું પડશે: ગોપાલ ઈટાલિયા

ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્યપદના શપથ લીધા છે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા છે
11:47 AM Jul 16, 2025 IST | SANJAY
ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્યપદના શપથ લીધા છે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા છે
Gujarat News, Gopal Italia, MLA

Gujarat News: ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્યપદના શપથ લીધા છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા છે. ધારાસભ્યપદના શપથ પહેલા ગોપાલ ઈટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું છે કે આજે ઐતિહાસિક દિવસ છે. મહાન સંવિધાનથી હું MLA બની રહ્યો છું. મારા માટે આ રોમાંચક અને ગૌરવપૂર્ણ દિવસ છે. અનેક ક્રાંતિકારી નેતાઓએ ગૃહને શોભાવ્યું છે.

વિસાવદર ભેસાણની જનતાને વંદન કરું છુ

એક સપનું લઈ ચાલતા હતા જે સાકાર થવા જઈ રહ્યું છે. વિસાવદર ભેસાણની જનતાને વંદન કરું છું. શપથ પહેલા ગોપાલ ઈટાલિયાએ આકરા પ્રહાર કર્યા છે. જેમાં કાંતિ અમૃતિયાના નિવેદન પર ગોપાલ ઈટાલિયાએ જવાબ આપતા જણાવ્યું છે કે ગુજરાતનો નાગરિક તૂટતા બ્રિજ અને રસ્તાઓથી પરેશાન છે. ગોપાલ ઇટાલિયના રાજીનામાથી બ્રિજ તૂટતા બંધ નહીં થાય. તેમજ તૂટતા બ્રિજ-બેરોજગારી અટકાવવા ભાજપે રાજીનામું આપવું પડશે.

મહિને રૂપિયા 1.47 લાખનો પગાર અને ભથ્થા સવલતો મળતી થઈ જશે

15મી વિધાનસભામાં પેટાચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટી- આપના ગોપાલ ઈટાલિયા અને કડી (અનુસૂચિત જાતિ અનામત) બેઠકમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા આજે સવારે 11 વાગે ધારાસભ્યપદના શપથ લીધા છે. ચૂંટાયા તે દિવસથી આજે 22માં દિવસે આ બંને જનપ્રતિનિધિઓને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પદ- ગોપનિતા, દાયિત્વ અંગેના શપથ લેવડાવ્યા છે. આ સાથે જ 180 ધારાસભ્યોની જેમ આ બંને નવોદિત MLAના પણ પગાર- ભથ્થાનું મીટર શરૂ થઈ ગયુ છે.

આ પણ વાંચો: ChatGPT ડાઉન થયા પછી સેવાઓ ફરી શરૂ થઈ, તેની અસર વિશ્વભરમાં જોવા મળી

 

Tags :
Gopal ItaliaGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsMLA Gujarat NewsTop Gujarati News
Next Article