Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 23 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગુજરાતમાં વહીવટી ક્ષમતા વધારવા Training Program નો પ્રારંભ થયો છે. સ્થાનિક ચૂંટણીને લઈ રાજકોટમાં હર્ષ સંઘવીના રોડ શો વચ્ચે લોકોનો વિરોધ પણ જોવા મળ્યો છે. જૂનાગઢમાં ગિરનાર બચાવો રેલી અને અંબાજી ગબ્બર ખાતે મધમાખીના ત્રાસને લીધે બે દિવસ દર્શન બંધ રહેશે. રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કે પહોંચ્યો છે.
gujarat news today  આજે 23 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: ગુજરાતના વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવા માટે સચિવાલયના ઉપસચિવો માટે 'Enhancing Administrative Capacities and Leadership' વિષય પર ત્રણ દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ (Training Program) સ્પીપા ખાતે શરૂ થશે, જેનું ઉદ્ઘાટન મુખ્ય સચિવ એમ.કે. દાસ કરશે.

રાજકોટમાં વિરોધ અને રોડ શો 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટમાં ભવ્ય રોડ શો કરવાના છે. જોકે, રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં 'ઓસ્કાર સ્કાય પાર્ક' ના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે ભાજપના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લગાવ્યા છે. બે વર્ષથી રજૂઆતો કરવા છતાં પ્રશ્નો ન ઉકેલાતા મતદારોએ વિરોધ (Public Protest) પ્રદર્શનની તૈયારી કરી છે.

Advertisement

અંબાજી ગબ્બર બે દિવસ બંધ

યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત (Ambaji Gabbar) પર મધમાખી અને ભમરાઓના ત્રાસને કારણે મુસાફરોની સુરક્ષા માટે બે દિવસ દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 20 પૂજારીઓ જીવના જોખમે પર્વતની ટોચ પરથી મધપૂડા હટાવવાની કામગીરી કરશે.

Advertisement

જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાન

 જૂનાગઢમાં સનાતન ધર્મની જગ્યાઓ પર થઈ રહેલી તોડફોડ અને અતિક્રમણ સામે સાધુ-સંતોની આગેવાનીમાં ભવ્ય મહારેલી (Girnar Rally) યોજાશે. કલેક્ટરને આવેદન આપીને ગિરનારની પવિત્રતા જાળવવા રજૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચો : Rashifal 23 April 2026 : મેષથી મીન; જાણો કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ છે વરદાન સમાન!

Tags :
Advertisement

.

×