Gujarat: મહેસૂલ વિભાગમાં મોટાપાયે ફેરબદલ, તલાટી અને નાયબ મામલતદારોની બદલી
Gujarat ના મહેસૂલ વિભાગ (Revenue Department) દ્વારા વહીવટી કારણોસર મોટાપાયે બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં કુલ 207 મહેસુલી તલાટીઓ (Revenue Talatis) અને 145 નાયબ મામલતદારો (Deputy Mamlatdars) ની બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવા અને કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે આ સામૂહિક ફેરબદલ કરવામાં આવ્યો છે.
Advertisement
- Gujarat Revenue Department માં બદલીઓના ઓર્ડર
- મહેસુલી તલાટી અને નાયબ મામલતદારોની બદલીઓ
- 207 જેટલા મહેસુલી તલાટીની બદલીઓ
- 145 નાયબ મામલતદારોની બદલીના આદેશ
Gujarat Revenue Department Transfer: રાજ્યના મહેસૂલ વિભાગ (Revenue Department) દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવાના હેતુથી એક સાથે મોટાપાયે બદલીઓના ઓર્ડર (Transfer Orders) જારી કરવામાં આવ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા આ આદેશોથી મહેસૂલ તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે.

