Gujarat: મહેસૂલ વિભાગમાં મોટાપાયે ફેરબદલ, તલાટી અને નાયબ મામલતદારોની બદલી
- Gujarat Revenue Department માં બદલીઓના ઓર્ડર
- મહેસુલી તલાટી અને નાયબ મામલતદારોની બદલીઓ
- 207 જેટલા મહેસુલી તલાટીની બદલીઓ
- 145 નાયબ મામલતદારોની બદલીના આદેશ
Gujarat Revenue Department Transfer: રાજ્યના મહેસૂલ વિભાગ (Revenue Department) દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવાના હેતુથી એક સાથે મોટાપાયે બદલીઓના ઓર્ડર (Transfer Orders) જારી કરવામાં આવ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા આ આદેશોથી મહેસૂલ તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે.
Gujarat Revenue Department: 207 જેટલા તલાટીની બદલી
આ જાહેરાત મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 207 જેટલા મહેસુલી તલાટી (Revenue Talati) ની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ પાછળ વહીવટી જરૂરિયાત (Administrative Necessity) અને કર્મચારીઓની લાંબા સમયની એક જ સ્થળ પરની નિમણૂકને કારણભૂત માનવામાં આવે છે. બદલી પામેલા તલાટીઓને તાત્કાલિક અસરથી નવા સ્થાને હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.
View this post on Instagram
145 નાયબ મામલતદારોની બદલી
તલાટીઓ ઉપરાંત, મહેસૂલ વિભાગે 145 નાયબ મામલતદારો (Deputy Mamlatdars) ની બદલીના પણ આદેશ આપ્યા છે. નાયબ મામલતદાર એ મહેસૂલ વહીવટની મહત્વની કડી ગણાય છે, તેથી આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓની સીધી અસર તાલુકા અને જિલ્લા કક્ષાની કામગીરી પર પડશે.
View this post on Instagram
મહેસૂલ વિભાગ (Revenue Department) ના આ સામૂહિક બદલીના આદેશોને પગલે કર્મચારીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Kheda: 'વાસ્મો વિભાગ ટાંકી તોડી નવી બનાવી આપે' મહિસામાં જર્જરિત ટાંકીનો મુદ્દો ફરી ઉછળ્યો!


