Gujarat Top News Today : આજે 26 માર્ચ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat Top News Today : રાજ્યમાં હાલ રાજકીય હલચલ અને ધાર્મિક ઉત્સવોનો બેવડો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરથી લઈને ગાંધીનગર સુધી અને શક્તિપીઠ અંબાજીથી લઈને પાટણ સુધીના મહત્વના સમાચાર નીચે મુજબ છે.
જામનગરમાં AAPની 'વિજય વિશ્વાસ સભા'
આજે જામનગર ખાતે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે. તેમની સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના દિગ્ગજ નેતાઓ કાર્યકર્તાઓમાં જોમ પૂરશે.
પીએમ મોદીની ગાંધીનગર મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગરના કોબા ખાતે મહાવીર આરાધના કેન્દ્રમાં આધુનિક મ્યુઝિયમ (Modern Museum) નું લોકાર્પણ કરશે, જ્યાં જૈન સંસ્કૃતિનો અમૂલ્ય વારસો પ્રદર્શિત કરાશે.
રામનવમી અને હનુમાન જયંતીની ઉજવણી
ચૈત્ર માસ નિમિત્તે કેશરા ગામના બાલાજી હનુમાન મંદિરે વિશેષ યજ્ઞનું આયોજન છે, જ્યાં અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir Theme) ની થીમ ઉભી કરાઈ છે. ગોધરા અને સુરેન્દ્રનગરમાં રામનવમી (Ram Navami) નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ગોધરામાં સંવેદનશીલ વિસ્તારોને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવવામાં આવ્યો છે, જ્યારે સુરેન્દ્રનગરમાં દીકરીઓ તલવાર રાસ રજૂ કરશે.
અંબાજીમાં ચૈત્ર આઠમનો મેળો
શક્તિપીઠ અંબાજી (Ambaji Shaktipeeth) માં આજે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે વહેલી સવારે મંગળા આરતી થશે. ચાચર ચોકમાં હવન અને યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.
પાટણમાં બસ પોટ મુદ્દે કોંગ્રેસના આકરા તેવર
પાટણમાં કરોડોના ખર્ચે તૈયાર આધુનિક બસ પોટ (Modern Bus Port) હજુ સુધી જનતા માટે ખુલ્લું ન મુકાતા, આવતીકાલે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ત્યાં હવન યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આ પણ વાંચો : Rashifal 26 March 2026: રામનવમીના દિવસે આ 4 રાશિના ભાગ્યાના દરવાજા ખુલશે ! જાણો તમારુ રાશિફળ


