Gandhinagar: હવે ખેતી અને હેલ્થમાં ચાલશે AI! જાણો શું છે IAIRO પ્રોજેક્ટ?
- Gandhinagar: 2026ના પ્રારંભે રાજ્યને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની ભેટ
- ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓર્ગેનાઈઝેશનને મંજૂરી આપી
Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત @ 2047' ના વિઝનને સાકાર કરવા તરફ ગુજરાતે વધુ એક મજબૂત કદમ ઉઠાવ્યું છે. વર્ષ 2026ના પ્રારંભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) દ્વારા ગુજરાતની જનતાને એક અભિનવ ભેટ આપવામાં આવશે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) ખાતે 'ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન' (IAIRO) ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાથે ગુજરાત પીપીપી (Public-Private Partnership) મોડલ પર આવી સંસ્થા સ્થાપનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
PPP મોડલ અને આર્થિક માળખું
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાત સરકાર, ભારત સરકાર અને ખાનગી ઉદ્યોગોની ત્રિપક્ષીય ભાગીદારીથી સાકાર થશે. 1 જાન્યુઆરી 2026 થી કાર્યરત થનારા આ ઓર્ગેનાઈઝેશન માટે પ્રથમ પાંચ વર્ષનું અંદાજિત બજેટ રુ. 300 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી ભાગીદાર ત્રણેયનું સમાન એટલે કે 33.33 ટકા યોગદાન રહેશે. આ સંસ્થાની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 હેઠળ 'નોન-પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ' તરીકે કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ નફો કમાવવાનો નહીં પણ ટેકનોલોજીકલ ઉત્ક્રાંતિ લાવવાનો રહેશે.
ફાર્મા સેક્ટરનું મહત્વનું યોગદાન
I am glad to share that Gujarat is set to take a historic leap in the field of Artificial Intelligence with the establishment of the Indian AI Research Organization (IAIRO) at GIFT City, to be operational from 1 January 2026.
With an estimated outlay of ₹300 crore over the…
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 30, 2025
IAIRO માટે એન્કર પ્રાઇવેટ પાર્ટનર તરીકે 'ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ' (IPA) જોડાયું છે. IPAમાં સિપ્લા, સન ફાર્મા અને ટોરેન્ટ ફાર્મા જેવી દેશની અગ્રણી 23 ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2025-26 માટે IPA દ્વારા રુ. 25 કરોડનું પ્રારંભિક યોગદાન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ભાગીદારી દર્શાવે છે કે આવનારા સમયમાં હેલ્થકેર અને ફાર્મા ક્ષેત્રે AI કેવી રીતે ક્રાંતિ લાવશે. મુખ્ય ઉદ્દેશ્યો અને કાર્યક્ષેત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં કાર્યરત થનાર IAIRO એક 'મલ્ટી ડિસિપ્લિનરી હબ' તરીકે ઉભરી આવશે. તેના મુખ્ય કાર્યો નીચે મુજબ રહેશે:
- આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંશોધન કરવું.
- શિક્ષણ, કૃષિ, આરોગ્ય અને અર્થવ્યવસ્થામાં AI ના ઉપયોગથી પ્રજાના જીવનધોરણમાં સુધારો કરવો.
- શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચે સેતુનું કાર્ય કરવું.
- IAIRO હાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ પર કાર્ય કરશે.
ગ્લોબલ લીડર બનવાની નેમ
આ પહેલ ભારત સરકારના 'ઇન્ડિયા એ.આઈ. મિશન' અને ગુજરાત સરકારના 'એ.આઈ. એક્શન પ્લાન' સાથે સુસંગત છે. અગાઉ પણ મુખ્યમંત્રીએ રાજ્યમાં AI ટાસ્કફોર્સની રચના કરીને આ દિશામાં પાયો નાખ્યો હતો. IAIRO દ્વારા માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ ભવિષ્ય માટે કુશળ માનવ સંસાધન (Skilled Workforce) પણ તૈયાર કરવામાં આવશે.


