Harsh Sanghvi : ભારત-પાકિસ્તાન સરહદના ગ્રામ્ય વિસ્તારોની DYCM હર્ષભાઈ સંઘવી કરશે મુલાકાત
રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાની હેઠળ 30 સિનિયર IPS અધિકારીની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ ગામડાઓની મુલાકાત માટે જઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. આવતીકાલે 6 નવેમ્બરના રોજ સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાંથી તેમના કાર્યક્રમનો પ્રારંભ થશે.
Advertisement
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi) ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરશે
- ભારત-પાકિસ્તાન સરહદનાં ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરશે
- નાયબ મુખ્યમંત્રી સાથે 30 IPS અધિકારીની ટીમ રહેશે હાજર
- કચ્છનાં લખપતનાં વિવિધ ગામડાઓની લેશે મુલાકાત
- સ્થાનિક ગ્રામજનો સાથે હર્ષભાઈ સંઘવી કરશે ખાટલા સભા
- આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા સહિતના મુદ્દે કરશે ઊંડાણપૂર્વક સમીક્ષા
Gandhinagar : રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની (Harshbhai Sanghvi) આગેવાની હેઠળ 30 સિનિયર IPS અધિકારીની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ ગામડાઓની મુલાકાત માટે જઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.

