સચિવાલયમાં વહીવટી હલચલ: 2 IAS અધિકારીઓને સોંપાઈ મહત્વની જવાબદારી
IAS News: ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા વહીવટી ફેરફાર કરીને બે મહત્વના વિભાગોના વડાનો ચાર્જ આઈએએસ (IAS) અધિકારીઓને સોંપાયો છે. જેમાં આઈએએસ ધવલ પટેલને જીએસડીએમએ (GSDMA) ના સીઈઓ (CEO) અને આઈએએસ ગૌરાંગ મકવાણાને રાહત કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ મળ્યો છે. અગાઉ આ બંને વિભાગોનો કાર્યભાર રાજેશ માંજૂ સંભાળતા હતા.
Advertisement
IAS News: ગુજરાત વહીવટી તંત્ર (Gujarat Administration) માં શાસનને વધુ ગતિશીલ અને વ્યવસ્થિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાટનગર ગાંધીનગર (Gandhinagar) સચિવાલય ખાતેથી જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યના 2 મહત્વના સરકારી વિભાગોના વડા તરીકે બે વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ વહીવટી ફેરફારના કારણે બંને વિભાગોની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

