વિરોધીઓ સાંભળી લે! અંબાલાલ પટેલની આગાહીથી સૌરાષ્ટ્રના જગતના તાતને થાય છે મોટો ફાયદો
Ambalal Patel Forecast: હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના સમર્થનમાં કોંગ્રેસ નેતાઓ લલિત વસોયા અને લલિત કગથરા આવ્યા છે. તેમણે જણાવ્યું કે અંબાલાલ પટેલની સચોટ આગાહીથી સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટો ફાયદો થાય છે અને તેઓ કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. કગથરાએ જયંત પંડ્યાને ખોટો વિરોધ પડતો મૂકી સાચા અંધશ્રદ્ધા ફેલાવતા તત્વો સામે લડવાની સલાહ આપી છે.
Advertisement
Ambalal Patel Forecast: ગુજરાતના જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલ સામે થઈ રહેલી ટીકાઓ વચ્ચે હવે રાજકીય નેતાઓ તેમના બચાવમાં આવ્યા છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ (Lalit Vasoya) અંબાલાલ પટેલનું ખુલ્લું સમર્થન કર્યું છે. તેમણે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, "અંબાલાલ પટેલની આગાહીઓથી (Forecasts) હંમેશા ખેડૂતોને મોટો ફાયદો થયો છે. તેઓ વર્ષોથી વરસાદ અંગે ખૂબ જ સચોટ અને દેશી પદ્ધતિથી આગાહી કરે છે."

