Machhimar Diesel VAT Rahat Yojana : ગુજરાતના માછીમારો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય
Machhimar Diesel VAT Rahat Yojana : ગુજરાતના માછીમારો માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય: ડીઝલ વેટ રાહતમાં 20 મીટરની મર્યાદા નાબૂદ, 18,000થી વધુ બોટોને સીધો આર્થિક લાભ
ગુજરાતનો લાંબો દરિયા કિનારો રાજ્યના અર્થતંત્ર અને લાખો માછીમાર પરિવારોના રોજીરોટીનો મુખ્ય આધાર છે. સાગરખેડૂતો(Fishermen)ના આર્થિક ઉત્થાન, સલામતી અને તેમના વ્યવસાયને વધુ નફાકારક બનાવવા માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ રહી છે. માછીમારીના વ્યવસાયમાં ડીઝલનો વપરાશ એ સૌથી મોટો દૈનિક ખર્ચ ગણાય છે, જે સીધી રીતે માછીમારોની આવક પર અસર કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વમાં રાજ્ય સરકારે સાગરખેડૂઓના વ્યાપક હિતમાં એક ક્રાંતિકારી અને કલ્યાણકારી નિર્ણય લીધો છે, જે માછીમારોના જીવનધોરણને ઊંચું લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
Machhimar Diesel VAT Rahat Yojana : ડીઝલ પર વેટ (VAT) રાહત આપવાની યોજનાના નિયમોમાં મોટો સુધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ (VAT) રાહત આપવાની યોજનાના નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)એ આ નિર્ણયની વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, અગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી બોટોને જ મળતો હતો. હવે માછીમાર સમુદાયના હિતમાં 20 મીટરની આ મર્યાદાને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે.
'ડીપ-સી ફિશિંગ બોટો' સહિતની તમામ યાંત્રિક બોટોને આ યોજનાનો સમાન લાભ
હવે નાના-મોટા તમામ માછીમારો તેમજ ઊંડા સમુદ્રમાં જતા 'ડીપ-સી ફિશિંગ બોટો' Deep-sea fishing boatsસહિતની તમામ યાંત્રિક બોટોને આ યોજનાનો સમાન લાભ મળશે.
પ્રતિ લિટર Rs. 15 સુધીની રાહત: પાત્રતા ધરાવતી યાંત્રિક બોટોને સરકાર તરફથી 'ડીઝલ કાર્ડ' આપવામાં આવશે. આ કાર્ડ ધારકોને પ્રતિ લિટર મહત્તમ Rs. 15 સુધીની વેટ રાહત સીધી મળવાપાત્ર થશે. જો વેટની રકમ Rs. 15 કરતાં ઓછી હશે, તો તે મુજબની સબસિડી ચૂકવાશે.
18,000થી વધુ બોટોને ફાયદો: આ નિર્ણયના પરિણામે રાજ્યની આશરે 18,000થી પણ વધુ યાંત્રિક ફિશિંગ બોટો આ આર્થિક સબસિડીના દાયરામાં આવી જશે.
રિયલ ક્રાફ્ટ પોર્ટલ
વેટ રાહતનો લાભ મેળવવા માટે બોટની “રિયલ ક્રાફ્ટ પોર્ટલ” -Real Craft Portal પર નોંધણી થયેલી હોવી જોઈએ તેમજ બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. મંત્રીશ્રીએ જે માછીમારોની નોંધણી બાકી હોય તેમને આ પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા અપીલ કરી છે.
રાજ્ય સરકારનો આ નિર્ણય ગુજરાતના માછીમારી ઉદ્યોગ માટે એક સંજીવની સમાન સાબિત થશે. 20 મીટરની મર્યાદા હટાવીને સરકારે સાબિત કર્યું છે કે તે નાના અને મોટા તમામ વર્ગના માછીમારોની પડખે ઊભી છે. ડીઝલના ખર્ચમાં થનારો આ મોટો ઘટાડો માછીમારોની આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે અને વૈશ્વિક બજારમાં ગુજરાતના મત્સ્યઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારશે. સાગરખેડૂતોના સર્વાંગી વિકાસ અને બ્લુ ઇકોનોમીને (Blue Economy) વેગ આપવાની દિશામાં સરકારનું આ એક પ્રશંસનીય અને દીર્ઘદ્રષ્ટિવાળું કદમ છે.
આ પણ વાંચો : Haveli Sangeet Parampara : આચાર્ય રણછોડલાલજી ગોસ્વામીને મળ્યું રાષ્ટ્રીય સન્માન

