નમો લક્ષ્મી યોજના: વિદ્યાર્થિનીઓની હાજરીમાં 73% નો તોતિંગ વધારો
રાજ્યમાં ધોરણ-9 થી 12 (Class 9 to 12) સુધીની કન્યાઓનું શિક્ષણ અધવચ્ચેથી અટકે નહીં તે માટે અમલી બનેલી નમો લક્ષ્મી યોજનાના અદભુત પરિણામો મળ્યા છે. વર્ષ 2024-25 માં વર્ગખંડોમાં 80% હાજરી આપતી વિદ્યાર્થિનીઓની સંખ્યા 1,71,988 હતી, જે વર્ષ 2025-26 માં વધીને 2,96,495 થઈ ગઈ છે. આ આંકડો ગત એક વર્ષમાં સીધો 73% નો વધારો દર્શાવે છે.
આ ઉપરાંત, ફુલ એટલે કે 100% હાજરી આપનારી દીકરીઓની સંખ્યામાં પણ 62,059 નો વધારો થયો છે. શાળાઓમાં પ્રવેશ મેળવનારી કુલ વિદ્યાર્થિનીઓની સંખ્યા 13,29,762 થી વધીને 13,91,308 (અંદાજે 4.63% નો વધારો) થઈ છે, જેમાં ધોરણ-12 (Class 12) માં સૌથી વધુ 13.59% નો વધારો નોંધાયો છે. આ ક્રાંતિકારી યોજના અંતર્ગત ગુજરાત સરકારે અત્યાર સુધીમાં દીકરીઓના શિક્ષણ માટે કુલ 1,664.06 કરોડ રૂપિયા (Rs 1664.06 Crore) ની આર્થિક સહાય સીધી ચૂકવી દીધી છે.
નમો સરસ્વતી યોજના: વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની હાજરી 125% વધી
ગુજરાતના યુવાધનને સાયન્સ અને ટેક્નોલોજી (Science and Technology) તરફ વાળવા માટે શરૂ કરાયેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ સુપરહિટ સાબિત થઈ છે. વિજ્ઞાન પ્રવાહના વર્ગોમાં 80 થી 100% હાજરી આપનારા તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2024-25 માં માત્ર 19,324 હતી, જે ગત એક વર્ષમાં 125% ના તોતિંગ વધારા સાથે વર્ષ 2025-26 માં 43,533 પર પહોંચી ગઈ છે.
સાયન્સ સ્ટ્રીમ (Science Stream) માં એડમિશન લેનારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પણ 2,40,556 થી વધીને 2,55,804 (6.34% નો વધારો) થઈ છે. ખાસ કરીને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશદરમાં 11.04% નો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરતી આ યોજના પાછળ સરકારે અત્યાર સુધીમાં કુલ 290 કરોડ રૂપિયા (Rs 290 Crore) ની સહાય વિતરીત કરી છે. કન્યા કેળવણી રથયાત્રા (Kanya Kelavani Rathyatra) અને શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav) ના પાયા પર બનેલું ગુજરાતનું આ એજ્યુકેશન મોડેલ (Education Model) આજે સમગ્ર દેશ માટે અનુકરણીય બન્યું છે.
આ પણ વાંચો: Agniveer Reservation: પૂર્વ અગ્નિવીરોને સરકારી નોકરીઓમાં મળશે 20 ટકા અનામત, જાણો નવા નિયમો