Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Namo Shri Yojana : ડગલે ને પગલે સરકાર તમારી સાથે!

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૪થી શરૂ કરાયેલી ‘નમો શ્રી યોજના’અંતર્ગત ગત એક વર્ષમાં ૭ લાખથી વધુ જરૂરિયાતમંદ મહિલાઓને રૂ. ૪૩૭ કરોડથી વધુની સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને કુલ બે પ્રસુતિ સુધી લાભ મળે છે.
namo shri yojana   ડગલે ને પગલે સરકાર તમારી સાથે
Advertisement

Namo Shri Yojana : ગુજરાત સરકાર-GujaratGovernment દ્વારા રાજ્યમાં પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૪થી શરૂ કરાયેલી ‘નમો શ્રી યોજના’-Namo Shri Yojana અંતર્ગત ગત એક વર્ષમાં ૭ લાખથી વધુ જરૂરિયાતમંદ મહિલાઓને રૂ. ૪૩૭ કરોડથી વધુની સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

Namo Shri Yojana : સહાયનું માળખું: રૂ. ૧૨,૦૦૦ની ચૂકવણી કેવી રીતે થાય છે?

આ યોજના અંતર્ગત લાભાર્થીને કુલ બે પ્રસુતિ સુધી લાભ મળે છે. સહાયની રકમ ચાર તબક્કાવાર DBT (Direct Benefit Transfer) મારફતે સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

Advertisement

૧. પ્રથમ પ્રસુતિ સમયે સહાય:

તબક્કોસમયગાળોસહાયની રકમફાળો (રાજ્ય/કેન્દ્ર)
૧ લો હપ્તોસગર્ભાવસ્થાની નોંધણી સમયેરૂ. ૫,૦૦૦રાજ્ય: ૨૦૦૦ + કેન્દ્ર: ૩૦૦૦
૨ જો હપ્તોસગર્ભાવસ્થાના ૬ માસ પૂર્ણ થયા બાદરૂ. ૨,૦૦૦રાજ્ય સરકાર
૩ જો હપ્તોસંસ્થાકીય પ્રસુતિ સમયેરૂ. ૩,૦૦૦રાજ્ય સરકાર
૪ થો હપ્તોરસીકરણના ૧૪મા અઠવાડિયેરૂ. ૨,૦૦૦કેન્દ્ર સરકાર
કુલરૂ. ૧૨,૦૦૦

૨. બીજી પ્રસુતિ સમયે સહાય:

બીજી પ્રસુતિમાં પણ કુલ રૂ. ૧૨,૦૦૦ની સહાય મળે છે, જેમાં નોંધણી સમયે રૂ. ૨,૦૦૦, ૬ માસ બાદ રૂ. ૩,૦૦૦, દીકરી કે દીકરાના જન્મ સમયે રૂ. ૬,૦૦૦ અને સંપૂર્ણ રસીકરણ બાદ રૂ. ૧,૦૦૦ ચૂકવાય છે.

Advertisement

Namo Shri Yojana : કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ? (પાત્રતાની શ્રેણી)

રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૧ કેટેગરીની મહિલાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે:

  1. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની મહિલાઓ.

  2. ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલાઓ.

  3. BPL રેશન કાર્ડ ધારક મહિલાઓ.

  4. આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ ધારકો.

  5. ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ.

  6. કિસાન સન્માન નિધિનો લાભ લેતા મહિલા ખેડૂતો.

  7. મનરેગા (MGNREGA) જોબ કાર્ડ ધારકો.

  8. વાર્ષિક રૂ. ૮ લાખથી ઓછી કૌટુંબિક આવક ધરાવતી મહિલાઓ.

  9. સગર્ભા/સ્તનપાન કરાવતી આંગણવાડી કાર્યકર (AWW), હેલ્પર (AWH) અને આશા (ASHA) વર્કર્સ.

  10. NFSA (રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ) હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા બહેનો.

  11. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત અન્ય કોઇપણ પાત્રતા ધરાવતી શ્રેણી.

નોંધણીની પ્રક્રિયા

લાભાર્થીએ સગર્ભાવસ્થાની નોંધણી નજીકના ફીમેલ હેલ્થ વર્કર (FHW) પાસે કરાવવાની રહે છે. આ નોંધણીની ખરાઈ મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવે છે, જેથી પારદર્શક રીતે સહાયની રકમ પહોંચાડી શકાય.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ યોજના અંગે યોગ્ય જ કહ્યું છે: 

"ગુજરાતની નારીશક્તિનું સ્વાસ્થ્ય અને નવજાત શિશુનું સુરક્ષિત ભવિષ્ય એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 'નમો શ્રી યોજના' દ્વારા અમે રાજ્યની સગર્ભા માતાઓને માત્ર આર્થિક સહાય જ નથી આપી રહ્યા, પરંતુ ગર્ભાવસ્થાના કપરા ગાળામાં એક મજબૂત ટેકો પૂરો પાડી રહ્યા છીએ. જ્યારે એક માતા સ્વસ્થ હોય છે, ત્યારે જ એક સશક્ત પેઢી અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આવો, આપણે સૌ સાથે મળીને 'સ્વસ્થ માતા, સશક્ત બાળ'ના સંકલ્પ સાથે ઉન્નત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ."

ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત

નમો શ્રી યોજના’ ગુજરાતની નારીશક્તિના સશક્તિકરણ અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટેનું એક મહત્વનું પગલું સાબિત થઈ રહી છે. વાર્ષિક રૂ. ૪૮૮.૪૦ કરોડની બજેટ જોગવાઈ સાથે સરકારનો લક્ષ્યાંક રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો છે.

આ પણ વાંચો : Banaskantha માં ઠાકોર સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, એવું શું થશે જે સમાજને બદલી નાખશે!

Tags :
Advertisement

.

×