Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

વડાપ્રધાન ફરી આવશે Gujarat પ્રવાસે! સાણંદમાં પ્લાન્ટની લેશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 28 ફેબ્રુઆરીએ ગુજરાત (Gujarat) પ્રવાસે આવી શકે છે, તેઓ સાણંદ (Sanand) ખાતેના સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતની પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપ (First Indigenous Chip) લોન્ચ કરીને ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિનો પ્રારંભ કરાવશે. પીએમઓ (PMO) દ્વારા અન્ય કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન ફરી આવશે gujarat પ્રવાસે  સાણંદમાં પ્લાન્ટની લેશે મુલાકાત
Advertisement
  • PM Visit Gujarat: વડાપ્રધાન ફરી એકવાર આવશે Gujarat પ્રવાસે!
  • આગામી 28 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન આવી શકે છે ગુજરાત
  • સાણંદ ખાતે સેમિકોન સંમિકંડક્ટર પ્લાન્ટની લેશે મુલાકાત

PM Visit Gujarat:ભારતને ગ્લોબલ ટેકનોલોજી મેપ પર અગ્રેસર કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) ફરી એકવાર ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આગામી 28 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઈ શકે છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ સાણંદ (Sanand) ખાતે સ્થિત સેમિકન્ડક્ટર પ્લાન્ટ (Semiconductor Plant) ની મુલાકાત લેવાનો અને ભારતની ટેકનોલોજી ક્ષેત્રની ઐતિહાસિક સિદ્ધિ સમાન પ્રથમ સ્વદેશી ચિપ (Indigenous Chip) ને દેશને સમર્પિત કરવાનો છે.

Advertisement

PM Visit Gujarat:સાણંદ બનશે ટેકનોલોજી ક્રાંતિનું કેન્દ્ર

વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (India Semiconductor Mission - ISM) વેગ પકડી રહ્યું છે. સાણંદ (Sanand) માં કાર્યરત આ પ્લાન્ટમાં તૈયાર થયેલી પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' (Made in India) સેમિકન્ડક્ટર ચિપનું લોન્ચિંગ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ ચિપનું ઉત્પાદન થવાથી ભારતની વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે અને ઓટોમોબાઈલથી લઈને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર (Aatmanirbhar Bharat) બનશે.

Advertisement

PMO દ્વારા કાર્યક્રમોની તૈયારીઓ તેજ

વડાપ્રધાન કાર્યાલય (Prime Minister's Office - PMO) દ્વારા આ પ્રવાસના અન્ય કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી રહી છે. 28 ફેબ્રુઆરીના રોજ સાણંદમાં મુખ્ય કાર્યક્રમ બાદ વડાપ્રધાન અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અથવા ખાતમુહૂર્ત કરી શકે છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર (State Administration) દ્વારા અત્યારથી જ સુરક્ષા અને વ્યવસ્થાને લઈને આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Surendranagar ને CM ભૂપેન્દ્રભાઇ પટેલની વિકાસભેટ: 539 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Tags :
Advertisement

.

×