38,000 પરિવારોને મળશે પોતાનું ઘર, PM Modi કરશે કરોડોના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 31 માર્ચ, 2026ના રોજ વાવ-થરાદથી ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં કેન્દ્રના ઊર્જા, રેલવે અને હાઇવે પ્રોજેક્ટ્સ તેમજ ગુજરાતના શહેરી વિકાસ અને આવાસ યોજનાનો સમાવેશ થાય છે. આ મુલાકાતથી ગુજરાતના આર્થિક અને માળખાગત વિકાસને મોટો વેગ મળશે.
Advertisement
- આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે
- CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગણાવી ઐતિહાસિક મુલાકાત
- નવરચિત વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે પધારશેઃ CM
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાત (Gujarat) ની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વાવ-થરાદ (Vav-Tharad) ખાતેથી રાજ્યને ₹19,806.9 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. આ કાર્યક્રમમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ મંત્રાલયોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

