Gandhinagar News: કચરાના વર્ગીકરણના નવા નિયમો લાગુ, ,જાણો નવી સિસ્ટમમાં શું થયા મોટો ફેરફાર?
ગાંધીનગરમાં ‘ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ-2026’ ના અમલીકરણ માટે યોજાયેલા વર્કશોપમાં મંત્રી કનુભાઈ દેસાઈ અને દર્શનાબેન વાઘેલાએ કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને જનભાગીદારી પર ભાર મૂક્યો હતો. અગ્ર સચિવ એમ. થેન્નારસને કચરાનું ચાર ભાગમાં વર્ગીકરણ ફરજિયાત બનાવવાની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કામાં સરકારી કચેરીઓ અને શાળાઓમાં નવી સિસ્ટમ લાગુ થશે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગુજરાતને સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે લાવવાનો છે.
Advertisement
Gandhinagar: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 ના અમલીકરણ અંગે એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય તા. 1 એપ્રિલથી રાજ્યમાં અમલી બનેલા ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ-2026 ના અસરકારક અમલીકરણ કરવાનો છે.

