Water Conservation : 'જળસંચય' માં વધારો કરવા રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
- જળસંચયમાં વધારો કરવા માટે મહત્ત્વનો નિર્ણય કરાયો (Water Conservation)
- ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવામાં આવતા વિવિધ વિકાસકાર્યોની સૂચિમાં 'જળસંચય' નો સમાવેશ
- "કેચ ધ રેઈન" દ્વારા ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો અને રેઈન વૉટર હાર્વેસ્ટિંગનાં વિકાસ કામ માટે 50 લાખની જોગવાઈ
- જળસંચયનાં સૂચવાયેલા વિકાસ કાર્યોમાં એક કામ માટે રૂ. 5 લાખની નાણાકીય મર્યાદા
Water Conservation : વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ધારાસભ્યો પોતાનાં મતવિસ્તારમાં સામૂહિક વિકાસનાં મહત્ત્વનાં નાના કામો માટે દરેક ધારાસભ્યને મતવિસ્તાર દીઠ ચોક્કસ વાર્ષિક રકમ ફાળવવાની યોજનામાં વર્ષ 2025-26 થી વધારો કરીને રૂ.2.50 કરોડ કરવામાં આવ્યો છે. આ ગ્રાન્ટમાંથી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો કરવાની સૂચી તૈયાર કરવામાં આવી છે, જેમાં “જળસંચય” નાં કામો ઉમેરવામાં આવ્યા છે.
"કેચ ધ રેઈન" અને રેઈન વૉટર હાર્વેસ્ટિંગના વિકાસકામો માટે 50 લાખની જોગવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 'જળ એ જ જીવન' નાં સૂત્રનાં મહત્ત્વને સમજીને “જળસંચય” ને પ્રાઘાન્ય આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ તેમ જ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા (Kunvarjibhai Bavaliya) તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલનાં (Mukeshbhai Patel) નેતૃત્વમાં જિલ્લામાં જળસંચયને લગતા વિકાસકાર્યો વધુ સારી રીતે થઈ શકે તેવા હેતુંથી મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે હેઠળ ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી જળસંગ્રહ ક્ષમતા વધારવાનાં અને "કેચ ધ રેઈન" (Catch the Rain) દ્વારા ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો થાય, રેઈન વૉટર હાર્વેસ્ટિંગ (Rainwater Harvesting) થાય તેવા સામૂહિક વિકાસનાં કામો માટે રૂ.50 લાખની લઘુત્તમ રકમ વપરાય તેવી જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Gujarat Weather : ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીથી વધુની ઝડપે ટકરાશે વાવાઝોડું - અંબાલાલ પટેલ
-જળસંચયમાં વધારો કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય -ધારાસભ્યોની ગ્રાન્ટમાં કાર્યોની સૂચિમાં જળસંચયનો સમાવેશ 'કેચ -ધ રેઈન' હેઠળ ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો કરાશે રેઈન વોટર -હાર્વેસ્ટિંગના કામ માટે રૂ.50 લાખની જોગવાઈ@CRPaatil @BJPGujarat #gujarat #gandhinagar #WaterConservation… pic.twitter.com/rNk8KyejcW
— Gujarat First (@GujaratFirst) May 21, 2025
જળસંચયનાં સૂચવાયેલા વિકાસ કાર્યોમાં એક કામ માટે રૂ. 5 લાખની મર્યાદા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગામ તળાવો અને સીમ તળાવો ઊંડા અને છીદ્રાળું કરવાની કામગીરીમાં લોકફાળા પેટે જરૂરી રકમ સામે ખૂટતી રકમ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી 10 ટકાની મર્યાદામાં ફાળવી શકાશે. જળસંચયનાં સૂચવાયેલા વિકાસકાર્યોમાં એક કામ માટે રૂ. 5 લાખની નાણાકીય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી સૂચવી શકે તેવા વધારાનાં કામોની અદ્યતન સૂચીમાં “જળસંચય"નાં (Water Conservation) કામોની સૂચી તૈયાર કરવામાં આવી છે, જેમાં ગામનાં તળાવોને ઊંડા કરવાના તથા તળાવમાં પાણી ભરવા માટેના વોકળા, ગટર, નાળીયા ઊંડા ઉતારવાનાં અને સિંચાઈનાં કામ, ચેકડેમનાં કામ, સરકારી બિલ્ડીંગ પર વરસાદી પાણીનાં સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગને લગતા કામ, ગામનાં પીવાનાં પાણીનાં કુવા ઊંડા ઉતારવા, બાંધવા તથા પાણીનો પીવા માટે ઉપયોગ કરવાલક્ષી સુધારણાનાં કામો કરવામાં આવશે.
આ પણ વાંચો - Asiatic Lion Census : ગુજરાતમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો, 'પ્રોજેક્ટ લાયન'અંગે PM મોદીએ કહી આ વાત
આ કામોનો પણ સૂચિમાં સમાવેશ કરાયો
ઉપરાંત કૂવા રિચાર્જીંગનાં કામ, દુષ્કાળ સમયે શરૂ થયેલ પીવાનાં પાણીના તળાવો સેઈફ સ્ટેજે લાવવા, પાણીની ટાંકીનાં નવા કામ, વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે વોટર રિચાર્જ સ્ટ્રક્ચરને લગતા કામ, ભૂગર્ભ જળસંગ્રહનાં સ્ટ્રક્ચરને લગતા કામો જેવા કે ભૂગર્ભ ટાંકી અને તેને લગતી આનુષાંગિક કામ, WTP/STP ના રિપેરિંગ તેમ જ તેને લગત આનુષાંગિક કામગીરી, સ્ટોર્મ વોટર ડ્રેઈનનાં કામ, તળાવનાં પાળાં અને વેસ્ટ વિયરનાં મજબૂતીકરણનાં કામ, ચેકડેમ રિપેરિંગ, ચેકવોલ તથા નહેરોની મરામતની કામગીરીનો સૂચિમાં સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો - MNREGA Scheme Scam : 'હું કોઈ ભાગેડું નથી, મારા પર ખોટા આક્ષેપો થાય છે' : બચુભાઇ ખાબડ