પાકિસ્તાનમાં 100 કિમી અંદર સુધી જઈને આતંકવાદીઓને માર્યા - Amit Shah
કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah ગુજરાતના પ્રવાસે છે. તેમણે અંદાજિત 700 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા છે. આ પ્રસંગે સંબોધન કરતી વખતે પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર કર્યા છે. વાંચો વિગતવાર.
Advertisement
- પાકિસ્તાનની સીમામાં 100 કિમી અંદર ઘુસીને માર્યા - Amit Shah
- વૈશ્વીક સ્તરે પાકિસ્તાનના આતંકવાદને ખુલ્લો પાડ્યો - Amit Shah
- પાકિસ્તાની આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા - Amit Shah
Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત મુલાકાતે છે. અમિતભાઈએ ગાંધીનગર લોકસભામાં 700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હત કર્યુ છે. આ પ્રસંગે સંબોધન કરતી વખતે તેમણે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર પહેલું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, પહલગામના હુમલા (Pahalgam Terror Attack) નો બદલો લઈ લેવામાં આવ્યો છે. આતંકી અડ્ડાઓને નેસ્તોનાબૂદ કરી દેવામાં આવ્યા છે. ભારતે તેના સંસ્કાર અનુસાર જવાબ આપ્યો છે.

