Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

World Cancer Day : ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઐતિહાસિક સિદ્ધિ

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો રેકોર્ડ! ૪૦,૫૨૦થી વધુ લોકોએ લાઈવ જોડાઈને યોગ, પ્રાણાયામ અને સાચા આહાર દ્વારા કેન્સર મુક્ત જીવન જીવવાનું વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું. જાણો યોગસેવક શીશપાલજી અને ડો. બિશ્વરૂપ રોય ચૌધરીના મુખ્ય સૂચનો
world cancer day   ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઐતિહાસિક સિદ્ધિ
Advertisement

World Cancer Day : આધુનિક યુગમાં કેન્સર એ માત્ર એક શારીરિક વ્યાધિ નથી, પરંતુ માનસિક ડરનું પણ કારણ બની ગયું છે. 'વિશ્વ કેન્સર દિવસ' ના અવસરે નાગરિકોમાં આ ગંભીર બીમારી પ્રત્યે જાગૃતિ લાવવા અને તેને જીવનશૈલીના બદલાવ દ્વારા કેવી રીતે રોકી શકાય તે સમજાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ Gujarat State Yoga Board દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી હતી. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી સ્વાસ્થ્યનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમે લોકજાગૃતિની નવી મિસાલ કાયમ કરી છે.

World Cancer Day : ઐતિહાસિક ડિજિટલ પહોંચ: ૪૦,૦૦૦થી વધુની લાઈવ ઉપસ્થિતિ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ વિશેષ 'યુટ્યુબ લાઈવ સત્ર'માં ગુજરાત અને દેશભરમાંથી રેકોર્ડબ્રેક ૪૦,૫૨૦ થી વધુ આરોગ્ય પ્રેમીઓ લાઈવ જોડાયા હતા. આ ભવ્ય કાર્યક્રમનું નેતૃત્વ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ન્યુટ્રીશન નિષ્ણાત ડો. બિશ્વરૂપ રોય ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કેન્સર સામે લડવા માટે આહારના વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી.

Advertisement

World Cancer Day : યોગ અને પ્રાણાયામ: કેન્સર કોષો સામેનું સુરક્ષા કવચ

ચેરમેન  શીશપાલજીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, "કેન્સર એ બહારથી આવેલો કોઈ દુશ્મન નથી, પરંતુ આપણી ખોટી આદતો અને જીવનશૈલીનું પરિણામ છે." તેમણે ઉમેર્યું કે યોગ અને પ્રાણાયામ શરીરની અંદર ઓક્સિજનનો એવો 'વિસ્ફોટ' કરે છે, જેમાં કેન્સરના કોષો જીવિત રહી શકતા નથી. યોગ બોર્ડનો ઉદ્દેશ્ય માત્ર આસનો શીખવવાનો નથી, પરંતુ દરેક ઘરને કેન્સર મુક્ત બનાવવા માટે એક મજબૂત 'જન-આંદોલન' ઊભું કરવાનો છે.

Advertisement

મુખ્ય આકર્ષણો અને સામૂહિક સંકલ્પ

આ લાઈવ સત્ર યોગ બોર્ડના અત્યાર સુધીના સૌથી સફળ કાર્યક્રમોમાંનો એક સાબિત થયો છે. ડો. બિશ્વરૂપ રોય ચૌધરીએ પ્રાકૃતિક જીવનશૈલી-Natural lifestyle દ્વારા કેન્સરથી બચવાના વૈજ્ઞાનિક રસ્તાઓ સમજાવ્યા હતા. કાર્યક્રમના અંતે હજારો દર્શકોએ પોતાની જીવનશૈલી સુધારવા, શુદ્ધ આહાર અપનાવવા અને યોગને દૈનિક જીવનનો અવિભાજ્ય હિસ્સો બનાવવા માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આ પહેલે સાબિત કર્યું છે કે જ્યારે યોગ-Yoga  અને સાચો આહાર-Proper diet એકસાથે મળે છે, ત્યારે કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે પણ વિજય મેળવી શકાય છે. ૪૦ હજારથી વધુ લોકોની સક્રિય ભાગીદારી દર્શાવે છે કે જનતા હવે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બની રહી છે. ચેરમેન  શીશપાલજીએ આ અભિયાનને સફળ બનાવનાર તમામ યોગ કોચ, ટ્રેનર્સ અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રકારના જ્ઞાનવર્ધક આયોજનો આવનારા સમયમાં ગુજરાતને 'સ્વસ્થ અને કેન્સર મુક્ત' રાજ્ય બનાવવાના લક્ષ્યમાં માઈલસ્ટોન સાબિત થશે.

આ પણ વાંચો : Sujalam Sufalam Jal Abhiyan:ચોમાસા પહેલા જળ ક્રાંતિની તૈયારી

Tags :
Advertisement

.

×