Gir Somnath: સુલતાનપુરમાં અતિવૃષ્ટિમાં ફસાયેલા 4 લોકોનું SDRF દ્વારા સફળ રેસક્યૂ
ઉનાના સુલતાનપુર ગામે અતિવૃષ્ટિને કારણે ઘરમાં ફસાયેલા 4 લોકોને વહીવટીતંત્ર અને SDRF ટીમે રેસક્યૂ કરી બચાવ્યા છે. પાણી ભરાવાને કારણે સર્જાયેલી આ ગંભીર સ્થિતિમાં તંત્રની ત્વરિત કામગીરીથી તમામના જીવ બચ્યા છે. અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક શાળામાં સુરક્ષિત રીતે ખસેડી તેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
Advertisement
Gir Somnath: ઉના તાલુકાના સુલતાનપુર (Sultanpur) ગામમાં ભારે વરસાદ આફતરૂપ સાબિત થયો હતો, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું હતું. આ ગંભીર પરિસ્થિતિમાં ઘરની અંદર ફસાયેલા ૪ લોકોને વહીવટીતંત્ર અને એસ.ડી.આર.એફની ટીમે સમયસર કામગીરી કરીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

