Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji : શકિતપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો ચોથો દિવસ આજથી સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ

અહેવાલ-શકિતસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ પૈકી આધ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે.હાલમા ભાદરવી મહામેળો ચાલી રહ્યો છે ત્યારે ચોથા દિવસથી અંબાજી ખાતે માઈ...
ambaji   શકિતપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો ચોથો દિવસ આજથી સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ
Advertisement

અહેવાલ-શકિતસિંહ રાજપુત,અંબાજી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ પૈકી આધ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે.હાલમા ભાદરવી મહામેળો ચાલી રહ્યો છે ત્યારે ચોથા દિવસથી અંબાજી ખાતે માઈ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો હતો.

Advertisement

Image preview

Advertisement

જેમાં ગુજરાત સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી ખાતે મહામેળો ચાલી રહ્યો છે,ત્યારે અંબાજી ખાતે રાત્રે માઈ ભકતો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ મંગળવાર થી શરૂ થયા છે.પ્રથમ દિવસે બોલીવુડના જાણીતા મહીલા સિંગર સાધના સરગમ આવ્યા હતા. કાર્યક્ર્મ ની શરુઆત મા તમામ ગાયક કલાકારો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ના ચેરમેન અને વહીવટદાર નું પણ સ્વાગત કરવામાં આવ્યું હતુ.

અંબાજી મહામેળામા હાલમા રોજના લાખો માઈ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે માઇ ભક્તો માટે કોઇ તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 29 જેટલી કમિટીઓ બનાવેલી છે. અંબાજી ખાતે રાત્રે 8:30 થી રાત્રે 12 સુઘી માઇ ભકતો માટે અલગ અલગ ગાયક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો શરુ કરાયા છે.આજે સાધના સરગમ સાથે અન્ય ગાયક કલાકારો જીતુ રાવલ અને ઉમેશ મંડલીયા સહીત બાળાઓ દ્વારા નૃત્ય કાર્યક્ર્મ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો કાર્યક્ર્મ મા હાજર રહ્યા હતા. સાધના સરગમ પ્રથમ વખત અંબાજી આવ્યા હતા અને તેમને સુંદર ગીતો દ્વારા માંઈ ભક્તો માટે સુર સાથે ગીતો ગાયા હતા. સાધના સરગમ હિન્દી ફિલ્મમા ઘણા ગીતો ગાયા છે. સાત સમુંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ ગીત તેમનું ખૂબ સફળ રહ્યુ હતુ.

પ્રશાંત કોરાટ સહીત ધારાસભ્યો કાર્યક્ર્મ નિહાળવા આવ્યા
ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહીત ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી સહીત વિવિઘ નેતાઓ સાધના સરગમનાં કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા. કાર્યક્રમનું એંકરીંગ અજય બારોટ હાસ્ય કલાકાર દ્વારા કરાયુ હતુ. અંબાજી મંદિરના અધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ સહિત યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ જોડાયા હતા.

આ પણ    વાંચો -રક્ષાબંધન પર ઘણી રાખડીઓ મળી હતી, ગીફ્ટની તૈયારી પહેલેથી જ કરી હતી’ નારી શક્તિ વંદન બિલ પર બોલ્યા PM

Tags :
Advertisement

.

×