ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને તમામ જણસીની આવક રહેશે બંધ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ    સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસી ની આવક થી ઉભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળી ના તહેવારો ને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજા ના દિવસે માર્કેટિંગ યાર્ડ...
04:46 PM Nov 07, 2023 IST | Hiren Dave
અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ    સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસી ની આવક થી ઉભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળી ના તહેવારો ને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજા ના દિવસે માર્કેટિંગ યાર્ડ...

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

 

સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસી ની આવક થી ઉભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળી ના તહેવારો ને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજા ના દિવસે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડ ના સત્તાધીશો તેમજ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી દિવાળી તહેવાર દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓ કારણે જણસી ની આવક હરરાજી અને યાર્ડ નું કામ કાજ બંધ રહેશે યાર્ડ માં આવતા ખેડૂતો વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિત ના એ રજા ના દિવસે કામ કાજ બંધ રાખવામાં આવશે.

તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ નો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા, ડુંગળી, લસણ સહિત ની 55 થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડ માં વેચવા આવી રહ્યા છે. ત્યારે દિવાળી ના તહેવાર ને લઈને શુક્રવાર ને ધનતેરસ ના દિવસે છેલ્લી જણસીની આવક અને હરરાજી થયા બાદ શનિવાર ને કાળી ચૌદશ થી તમામ જણસી ની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી કોઈ જાહેરાત ના થાય ત્યાં સુધી બંધ રહેશે.

 

લાભપાંચમ ના દિવસે તમામ જણસીનું મુહૂર્ત કરવામાં આવશે

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે આગામી દિવાળી ના તહેવારો આવતા હોય જેને પગલે સાત દિવસ એટલે કે તારીખ 11 નવેમ્બર થી 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસી ની આવક સદંતર બંધ રાખવામાં આવશે અને તારીખ 18 નવેમ્બર ને લાભ પાંચમ ના દિવસે સારા મુહૂર્તમાં રાબેતા મુજબ તમામ જણસીઓની આવક તેમજ વિવિધ જણસીઓની હરરાજી શરૂ કરવામાં આવશે.

દિવાળી ના તહેવાર દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડ માં હરરાજી અને યાર્ડ બંધ રહેશે.

 

આ  પણ  વાંચો -RSS : ભારત હંમેશા હિન્દુ રાષ્ટ્ર રહેશે. રાષ્ટ્રની અસ્મિતાને જાગૃત કરવાની જરુર

 

 

Tags :
all salesclosedDiwali FestivalGondalMarketing Yard
Next Article