ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal Ramyatra: ગોંડલની રામયાત્રામાં 1008 બાળકો રામ પરિવેશ પહેરી જોડાયા

Gondal Ramyatra: આજરોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. ત્યારે ગોંડલ શહેરમાં કૈલાશબાગ સોસાયટીમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના નિવાસ સ્થાનેથી રામ મંદિર ગોંડલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં રામ નામે ઠેર ઠેર ઠંડા...
11:32 PM Jan 22, 2024 IST | Aviraj Bagda
Gondal Ramyatra: આજરોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. ત્યારે ગોંડલ શહેરમાં કૈલાશબાગ સોસાયટીમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના નિવાસ સ્થાનેથી રામ મંદિર ગોંડલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં રામ નામે ઠેર ઠેર ઠંડા...
1008 children wearing Ram Parivesh participated in Gondal's Ram Yatra

Gondal Ramyatra: આજરોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. ત્યારે ગોંડલ શહેરમાં કૈલાશબાગ સોસાયટીમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના નિવાસ સ્થાનેથી રામ મંદિર ગોંડલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં રામ નામે ઠેર ઠેર ઠંડા પાણી અને સરબતના સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

ગોડલની મહિલાઓએ રામ મંદિરની 40 ફુટની રંગોળી બનાવી

Gondal Ramyatra

ગોડલ શહેરનાં ભોજરાજપરા મારવાડી મીલમાં રહેતા કાજલબેન સાવનભાઈ તાળા, મીતલબેન રેનિષભાઈ વાળા, અને મનીષાબેન દિનેશભાઈ કોટડીયા સહિતની મહિલાઓએ 150 કિલો રંગોળીનાં રંગનો ઉપયોગ કરી 40 ફૂટની રામ મંદિરની રંગોળી બનાવી અનોખી હતી.

સમગ્ર રૂટ પર જય શ્રી રામની ઝંડીઓ મારવામાં આવી

ગોંડલ રાજમાર્ગો પર નીકળેલ ભવ્ય શોભાયાત્રા રૂટ પર રંગોળી, ધજા, પતાકાથી શણગાર કરવામાં આવ્યો હતો. જય શ્રી રામના નારા સાથે સમગ્ર શહેરમાં રામમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો, મહિલાઓ સહિત નગરજનો જોડાયા હતા.

Gondal Ramyatra

અક્ષરમંદિર ખાતે 1008 બાળકો રામ પરિવેશ જોડાયા

સમગ્ર દેશમાં રામલલાને વધારવા માટે અનેકવિધ આયોજનો થયા હતા. ત્યારે ગોંડલના અક્ષરમંદિરમાં શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન શ્રીરામ પૂજન સાથે અનેકવિધ ભક્તિ સભર આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં 1008 બાળકોને રામ પરિવેશમાં ગોંડલના રાજમાર્ગ ઉપર યાત્રામાં જોડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gondal Development News: ગોંડલમાં 165 વર્ષ પુરાતન ભુરાબાવાના ચોરાનું નવીનીકરણ કરાયું

Tags :
AyodhyaayodhyarammandirGondalGondalNewsGujaratGujaratFirstnewsRammandirRamyatraViral
Next Article