Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : શહેરમાં શ્વાનનો આતંક, એક જ દિવસમાં 35 લોકોને ભર્યા બચકાં

મહેસાણા શહેરમાં રખડતા શ્વાનનો આતંક એક જ દિવસમાં 35 લોકોને શ્વાને ભર્યા બચકાં ચાલુ મહિને જ શ્વાન કરડવાના 480 કેસ નવેમ્બર મહિનામાં શ્વાન કરડવાના 1025 કેસ ખસીકરણની પ્રક્રિયા શરૂ કરવાની માગ ઉઠી   સમગ્ર રાજ્યમાં શ્વાનનો આતંક પણ વધી...
mehsana   શહેરમાં શ્વાનનો આતંક  એક જ દિવસમાં 35 લોકોને ભર્યા બચકાં
Advertisement
  • મહેસાણા શહેરમાં રખડતા શ્વાનનો આતંક
  • એક જ દિવસમાં 35 લોકોને શ્વાને ભર્યા બચકાં
  • ચાલુ મહિને જ શ્વાન કરડવાના 480 કેસ
  • નવેમ્બર મહિનામાં શ્વાન કરડવાના 1025 કેસ
  • ખસીકરણની પ્રક્રિયા શરૂ કરવાની માગ ઉઠી

સમગ્ર રાજ્યમાં શ્વાનનો આતંક પણ વધી રહ્યો છે, હાલમાં મળતી અનુસાર મહેસાણામાં શ્વાનનો ભયાનક આતંક સામે આવ્યો છે, અહીં એક જ દિવસમાં 35થી વધુ લોકોને શ્વાને બચકાં ભરતાં શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે.

Advertisement

Advertisement

મળતી માહિતી પ્રમાણે, મહેસાણામાં છેલ્લા એક મહિનાથી શ્વાનનો આતંક સામે આવ્યો છે. તાજા માહિતી પ્રમાણે, મહેસાણા શહેરમાં એક જ દિવસમાં શ્વાને આતંક મચાવ્યો છે. એક જ દિવસમાં 35થી વધુ લોકોને બચકાં ભરી લીધા છે,ત્યારે ચાલુ મહિનામા 480 કેસ સામે આવ્યા છે. શહેરમાં અત્યારે વધી રહેલા શ્વાનના આતંકથી લોકો ડરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વાત કરી એ તો નવેમ્બર મહિનામાં શ્વાન કરડવાના 1025 કેસ નોંધાયા હતા .પાલીકાને કૂતરા પકડી ખસીકરણ ની પ્રક્રિયા સત્વરે શરૂ કરે તેવી સ્માંથાનિકોએ માંગ કરી છે.

આ પણ વાંચો-પંચમહાલમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની જાસૂસીનો થયો ઘટસ્ફોટ

Tags :
Advertisement

.

×