ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં નેપાળ બોર્ડરથી ઝડપાયેલા આરોપીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા!

સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસ મામલે મૌલવી સહિત એક અન્ય યુવકની નેપાળ બોર્ડર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી યુવકની પુછપરછમાં મોટા ખુલાસા થયા છે. પોલીસ તપાસ મુજબ, યુવકે બોગસ ડોક્યુમેન્ટ બનાવી નેપાળની નાગરિકતા મેળવી હતી....
11:46 AM May 13, 2024 IST | Vipul Sen
સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસ મામલે મૌલવી સહિત એક અન્ય યુવકની નેપાળ બોર્ડર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી યુવકની પુછપરછમાં મોટા ખુલાસા થયા છે. પોલીસ તપાસ મુજબ, યુવકે બોગસ ડોક્યુમેન્ટ બનાવી નેપાળની નાગરિકતા મેળવી હતી....

સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસ મામલે મૌલવી સહિત એક અન્ય યુવકની નેપાળ બોર્ડર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી યુવકની પુછપરછમાં મોટા ખુલાસા થયા છે. પોલીસ તપાસ મુજબ, યુવકે બોગસ ડોક્યુમેન્ટ બનાવી નેપાળની નાગરિકતા મેળવી હતી. નેપાળી નાગરિકતા મેળવીને આરોપી યુવક પાકિસ્તાન ગયો હોવાની પોલીસને આશંકા છે.

નેપાળી નાગરિકતા મેળવી પાકિસ્તાન ગયો હોવાની આશંકા

સુરતમાં હિન્દુવાદી નેતાઓની (Hindu Leaders) હત્યાના ષડયંત્રમાં મૌલાના મોહમ્મદ સોહેલ અબુબકરની (Maulvi Mohammad Sohail Abubakar) ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ કેસમાં વધુ એક આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીની (Muhammad Ali) નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના (Bihar) મુજફરપુરથી ધરપકડ કરાઈ હતી. પોલીસે મોહમ્મદ અલીની પૂછપરછ કરતા મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી મોહમ્મદ અલીએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને નેપાળની (Nepad) નાગરિકતા મેળવી હતી. પોલીસ તપાસ મુજબ, નેપાળી નાગરિકતા મેળવીને મોહમ્મદ અલી પાકિસ્તાન (Pakistan) ગયો હોવાની આશંકા છે.

IB, NIA, RAW સહિતની એજન્સીઓ પણ કરી શકે છે પૂછપરછ

પોલીસ તપાસ મુજબ, આરોપી મોહમ્મદ અલીના મોબાઇલમાંથી 40થી વધુ પાકિસ્તાની નંબરો પણ મળી આવ્યા છે. આરોપી મોહમ્મદ અલીના (Muhammad Ali) પિતાની નેપાળમાં રહે છે અને કાપડની દુકાન ધરાવી ગુજરાન ચલાવે છે. હાલ, ક્રાઇમ બ્રાંચે (Surat Crime Branch) મોહમ્મદ અલી પાસેથી નેપાળના કેટલાક દસ્તાવેજ અને આધારકાર્ડ કબજે કર્યા છે. જણાવી દઈએ કે, ક્રાઇમ બ્રાંચે મોહમ્મદ અલીને કોર્ટમાં રજૂ કરી 12 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. તેની વધુ પૂછપરછ હાલ ચાલી રહી છે. માહિતી છે કે, હવે મોહંમદ અલીની પૂછપરછ કરવા માટે સેન્ટ્રલ IB, NIA, ATS, RAW સહિતની એજન્સીઓ પણ સુરતમાં (Surat) ધામા નાખશે.

 

આ પણ વાંચો - Surat Crime Branch: હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર! નેપાળ બોર્ડર નજીકથી વધુ એક આરોપી ઝડપાયો

આ પણ વાંચો - Surat : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા મૌલવીનો વધુ એક જૂનો Video આવ્યો સામે

આ પણ વાંચો - Surat : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું કરનાર મૌલાનાની પુછપરછમાં મોટો ખુલાસો! JCP એ આપી માહિતી

Tags :
ATSBiharCrime NewsGujarat FirstGujarati NewsHindu LeadersIBMaulviMaulvi Mohammad Sohail AbubakarMuhammad AliMuzaffarpurNepalNIAPakistanRAWSuratSurat Crime Branch
Next Article