ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : જળ પૂજા ટાણે ભાજપના મહિલા કોર્પોરેટર પાણીમાં લપસ્યા

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા આજરોજ આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જળ પુજા કરવા માટે અન્ય કોર્પોરેટરો સાથે ભાજપના વોર્ડ નં - 13 ના મહિલા કોર્પોરેટર જ્યોતિબેન પટેલ પણ પહોંચ્યા...
02:22 PM Jun 07, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા આજરોજ આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જળ પુજા કરવા માટે અન્ય કોર્પોરેટરો સાથે ભાજપના વોર્ડ નં - 13 ના મહિલા કોર્પોરેટર જ્યોતિબેન પટેલ પણ પહોંચ્યા...

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા આજરોજ આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જળ પુજા કરવા માટે અન્ય કોર્પોરેટરો સાથે ભાજપના વોર્ડ નં - 13 ના મહિલા કોર્પોરેટર જ્યોતિબેન પટેલ પણ પહોંચ્યા હતા. દરમિયાન તેઓ લપસી જતા પાણીમાં બેસી પડ્યા હતા. બાદમાં તેમને સાથી કોર્પોરેટર દ્વારા ટેકો આપીને બહાર કાઢવામાં આવ્યા હતા.

જળ પુજન કરવામાં આવ્યું

દર વર્ષે ચોમાસા પહેલા વડોદરા પાલિકા દ્વારા આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે આજરોજ કરવામાં આવ્યું છે. તે નિમિત્તે મોટી સંખ્યામાં કોર્પોરેટર આજવા સરોવર ખાતે હાજર રહ્યા છે. ભગવાન સત્યનારાયણની કથા બાદ જળ પુજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ દાદરા વાટે નીચે ઉતરીને કોર્પોરેટર દ્વારા તેમાં હાજરી આપવામાં આવી હતી. જળ પુજા દરમિયાન વડોદરાના વહીવટી વોર્ડ નં - 13 ના મહિલા કોર્પોરેટર જ્યોતિબેન પટેલ પાણીમાં લપસી પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

કોર્પોરેટરે ટેકો આપ્યો

જો કે, ઘટના સમયે પાલિકાના અન્ય સાથી કોર્પોરેટર હોવાથી તેમણે ટેકો આપીને જ્યોતિ બેનને પાણીમાંથી બહાર કાઢી લીધા હતા. આ ઘટનાનો વિડીયો હાલ સામે આવ્યો છે. જેમાં જ્યોતિબેન પાણીમાં બેઠેલા દેખાય છે. અને સાથી કોર્પોરેટર તેમને ટેકો આપીને બહાર કાઢી રહ્યા છે. દરમિયાન તેમનું પર્સ કિનારે જોવા મળે છે. વિડીયોમાં અન્ય મહિલા કોર્પોરેટર આંગળી વડે ઇશારો કરીને મોબાઇલ તરફ સંકેત કરતા હોવાનું જોવા મળી રહ્યું છે.

ગાયકવાડી સાશનની દેન

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરને પાણીનો જથ્થો પુરો પાડનાર એક મહત્વનું જળ સ્ત્રોત આજવા સરોવર છે. જે ગાયકવાડી સાશનની દેન છે.

આ પણ વાંચો -- VADODARA : ભાજપના પૂર્વ કોર્પોરેટરે લખવું પડ્યું, “શરમ આવવી જોઇએ”

Tags :
BJPCorporatorduringfallfemaleinjalpujanVadodarawater
Next Article