ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલને કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવી

Ahmedabad: કાર અકસ્માત સર્જી 9 લોકોની મરણટકાવ કરાવનાર તથ્ય પટેલને ગુજરાતના ગ્રામ્ય સેશન્સ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટએ તથ્ય પટેલની જામીન અરજીને ફગાવી
11:06 PM Dec 03, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: કાર અકસ્માત સર્જી 9 લોકોની મરણટકાવ કરાવનાર તથ્ય પટેલને ગુજરાતના ગ્રામ્ય સેશન્સ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટએ તથ્ય પટેલની જામીન અરજીને ફગાવી
Ahmedabad
  1. 20 જુલાઈ 2023ના રોજ થયો હતો અકસ્માત
  2. 142.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તથ્ય પટેલે કાર ચલાવતો હતો
  3. અકસ્માતમાં 9 નિર્દોશ લોકોના ઘટના સ્થળે મોત થયાં હતા

Ahmedabad: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત 20 જુલાઈ 2023ના રોજ કાર અકસ્માત સર્જી 9 લોકોની મરણટકાવ કરાવનાર તથ્ય પટેલને ગુજરાતના ગ્રામ્ય સેશન્સ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટએ તથ્ય પટેલની જામીન અરજીને ફગાવી દીધી છે. આ ગંભીર અકસ્માતમાં તથ્ય પટેલે 142.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જેગુઆર ગાડી ચલાવી હતી, જેનાથી 9 નિર્દોષ લોકોનાં જીવ ગયા હતા.

આ પણ વાંચો: Chhotaudepur: અનાજ સંગ્રહ સ્ટોરેજ એટલે ‘મોહટી’, જાણો આદિવાસીઓની આ ઉત્તમ કળા વિશે

ગુજરાતના ગ્રામ્ય સેશન્સ કોર્ટ તરફથી મોટો ઝટકો

નોંધનીય છે કે, તથ્ય પટેલ હાલ સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદ છે અને તેના પરિવારે તેના માટે જામીનની અરજી દાખલ કરી હતી. મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટએ ફેસલો અનામત રાખ્યો હતો, અને હવે તેમણે તેમની જામીન અરજીને નિસંશય ખારીજ કરી દીધી છે. આરોપીની જામીન અરજીમાં આ દલીલ કરવામાં આવી હતી કે, પોલીસે તપાસ પૂરું કરી અને ચાર્જશીટ ફાઇલ કરી છે, તેમજ પુરાવા સાથે કેડા થવાની શક્યતા ન હોઈ તેમણે તમામ શરતો પાલન કરવાનું સત્ય કહેવાયું. તેઓએ કોર્ટથી વિનંતી કરી કે, જો જામીન આપવામાં આવે તો તેઓ કાયદાની તમામ શરતોનું પાલન કરી શકશે.

આ પણ વાંચો: રમશે ગુજરાત જીતશે ગુજરાત; Khel Mahakumbh 3.0 ની તારીખો થઈ ગઈ જાહેર, વાંચો આ અહેવાલ

આરોપી તથ્ય પટેલે 9 નિર્દોષો લોકોનો જીવ લીધો હતો

મળતી વિગતો પ્રમાણે મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ આ દલીલનો વિરોધ કર્યો અને કહ્યું કે, આ કેસ અત્યંત ગંભીર છે, કારણ કે આરોપી તથ્ય પટેલે 9 નિર્દોષો લોકોનો જીવ લીધો છે અને એમાંથી એક વ્યક્તિ હજુ પણ ગંભીર રીતે સારવાર હેઠળ છે અને બરોબર બોલી શકતો નથી.’ તેઓએ વધુમાં ઉમેર્યું કે, આવી પ્રકારની ઘટનાઓમાં દરરોજ અકસ્માતો વધી રહ્યા છે, જે લોકોના જીવને ખતરમાં મૂકી રહ્યા છે. તથ્ય પટેલ પર પૂરતા પુરાવા છે તેથી તેને જામીન પર મુક્ત કરવું યોગ્ય નથી. જેથી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: Kutch: સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના Prix Versailles 2024 માં વૈશ્વિક સ્તરે માન્યતા

Tags :
Ahmedabad Bridge accidentahmedabad iskcon bridge accidentBridge accidentBridge accident accused Tathya Patelcourt rejects bail applicationiskcon bridge accidentIskcon Bridge accident accused Tathya Patelrejects bail applicationTathya Patel
Next Article