Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: ધો-12ની વિદ્યાર્થિનીનો આપઘાત, ધાર્યા કરતા ઓછુ પરિણામ આવતા ભર્યુ અંતિમ પગલું

એક તરફ સફળતાનો ઉત્સવ છે, તો બીજી તરફ આશા અને નિરાશા વચ્ચેની એ પાતળી રેખા જીવલેણ સાબિત થઈ રહી છે. અમદાવાદના એક શાંત રહેણાંક વિસ્તારમાં માત્ર થોડા ટકાના ઓછા આંકડાએ માસૂમની દુનિયા કાયમ માટે ઉજાડી દીધી. કાજલના ઘરેથી મળેલા સમાચારે શિક્ષણ જગત અને વાલીઓ માટે અનેક સવાલો છોડ્યા છે.
ahmedabad  ધો 12ની વિદ્યાર્થિનીનો આપઘાત  ધાર્યા કરતા ઓછુ પરિણામ આવતા ભર્યુ અંતિમ પગલું
Advertisement
  • Ahmedabad: પરીક્ષામાં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો આપઘાત!
  • નારોલ વિસ્તારમાં રહેતી ધોરણ 12ની છાત્રા કાજલ પાલે વ્હાલું કર્યું મોત
  • સામાન્ય પ્રવાહમાં અપેક્ષા મુજબ 44 ટકા ન આવતા ભરી લીધું અંતિમ પગલું
  • રિઝલ્ટથી નારાજ થઈને ગળેફાંસો ખાતા પરિવારમાં ફાટી નીકળ્યો કલ્પાંત
  • બનાવની જાણ થતા નારોલ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી શરૂ કરી કાર્યવાહી
  • પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદ (Ahmedabad) શહેરના નારોલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અભ્યાસ અને પરિણામના દબાણે (Academic Pressure) વધુ એક તેજસ્વી જીવનનો અંત આણ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ (Class 12 Commerce Result) બાદ અપેક્ષા મુજબના ટકા ન આવતા એક વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું છે.

ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત

વિગતો મુજબ, નારોલ (Narol) વિસ્તારમાં રહેતી કાજલ પાલ (Kajal Pal) નામની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો. કાજલ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બેઠી હતી. પરિણામ જાહેર થતા તેને 44 ટકા પ્રાપ્ત થયા હતા. કાજલને તેના અભ્યાસમાં વધુ ઉંચી અપેક્ષાઓ હતી, પરંતુ ધાર્યા મુજબનું પરિણામ ન આવતા તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં (Depression) હોવાનું મનાઈ રહ્યું છે.

Advertisement

Advertisement

Ahmedabad: પરિવારમાં શોકની લાગણી

આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતા નારોલ પોલીસ (Narol Police) કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલમાં અકસ્માતે મોતનો (Accidental Death) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાની ઉંમરે વિદ્યાર્થિનીએ ભરેલા આ પગલાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે. મનોચિકિત્સકો અને શિક્ષણવિદો ફરી એકવાર વાલીઓને અપીલ કરી રહ્યા છે કે બાળકો પર પરિણામનું દબાણ ન લાવે અને તેમને હિંમત આપે.

આ પણ વાંચો: Surat માં કરોડની છેતરપિંડીનો પર્દાફાશ, તામિલનાડુનો ભેજાબાજ ઇકો સેલની જાળમાં

Tags :
Advertisement

.

×